રાહુલ ગાંધી પર ચાલતા માનહાનિ કેસને લઈ સુરત કોર્ટે આપ્યો ચૂકાદો , જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-23 14:33:34

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ સર્જાઈ જતો હોય છે. ત્યારે 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ  મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કેવી રીતે બધા ચોરોની અટક મોદી કેમ છે? મોદી અટક અંગે આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. સુરતની કોર્ટ દ્વારા આ અંગે ચૂકાદો આપવામાં આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે.

     

ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેમને લઈ આપ્યું હતું નિવેદન

સમગ્ર મામલાની વાત કરીએ તો વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ, તેમણે નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, મને એક નાનો પ્રશ્ન છે, કે આ બધા ચોરોના નામની પાછળ મોદી કેમ હોય છે. મહત્વનું છે કે એ સમયે અનેક ઘોટાળાઓ સામે આવ્યા હતા. કૌભાંડો બહાર આવ્યા હતાં જેમાં નીરવ મોદી અને લલિત મોદીના નામ બહાર આવ્યા હતા. જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે.  


પૂર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ 

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમગ્ર મોદી સમાજ રોષે ભરાયો હતો અને સુરત પશ્ચિમના ધારાસભ્ય એવા પૂર્ણેશ મોદીએ તેમની પર માનહાનીનો દાવો કર્યો હતો,જેને પગલે આજે સુરત કોર્ટમાં આ કેસ મુદ્દે સુનવણી થઈ હતી, જેમાં કોર્ટે IPC 500 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. ત્યારે કોર્ટે રાહુલ ગાંંધીને જામીન આપી દીધા છે.  


સુરત ખાતે જોવા મળ્યો નેતાઓનો જમાવડો

2019થી ચાલતા આ કેસની સુનાવણી આજે સુરત કોર્ટે કરી હતી, જે માટે રાહુલ ગાંધી આજે સવારે 11 વાગતા સુરત ખાતે પહોંચ્યાં હતા,જ્યાં કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસના તમામ નેતાઓ જગદીશ ઠાકોરથી લઈને રઘુ શર્મા અને અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા છે અને આ કેસને લઈને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓનું કહેવું હતું કે અમને ન્યાયપાલિકા પર ભરોસો છે, અને જો રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવશે તો અમે કોર્ટની બહાર જ ધરણા કરીશું, અને જો તેમને દોષિત જાહેર કરવામાં આવશે તો અમે ફટાકડા ફોડીને ઉજવણી કરીશું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સંસદ પદને પણ ખતરો થઈ શકે છે.     



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.