રાહુલ ગાંધી પર ચાલતા માનહાનિ કેસને લઈ સુરત કોર્ટે આપ્યો ચૂકાદો , જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-23 14:33:34

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ સર્જાઈ જતો હોય છે. ત્યારે 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ  મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કેવી રીતે બધા ચોરોની અટક મોદી કેમ છે? મોદી અટક અંગે આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. સુરતની કોર્ટ દ્વારા આ અંગે ચૂકાદો આપવામાં આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે.

     

ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેમને લઈ આપ્યું હતું નિવેદન

સમગ્ર મામલાની વાત કરીએ તો વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ, તેમણે નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, મને એક નાનો પ્રશ્ન છે, કે આ બધા ચોરોના નામની પાછળ મોદી કેમ હોય છે. મહત્વનું છે કે એ સમયે અનેક ઘોટાળાઓ સામે આવ્યા હતા. કૌભાંડો બહાર આવ્યા હતાં જેમાં નીરવ મોદી અને લલિત મોદીના નામ બહાર આવ્યા હતા. જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે.  


પૂર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ 

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમગ્ર મોદી સમાજ રોષે ભરાયો હતો અને સુરત પશ્ચિમના ધારાસભ્ય એવા પૂર્ણેશ મોદીએ તેમની પર માનહાનીનો દાવો કર્યો હતો,જેને પગલે આજે સુરત કોર્ટમાં આ કેસ મુદ્દે સુનવણી થઈ હતી, જેમાં કોર્ટે IPC 500 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. ત્યારે કોર્ટે રાહુલ ગાંંધીને જામીન આપી દીધા છે.  


સુરત ખાતે જોવા મળ્યો નેતાઓનો જમાવડો

2019થી ચાલતા આ કેસની સુનાવણી આજે સુરત કોર્ટે કરી હતી, જે માટે રાહુલ ગાંધી આજે સવારે 11 વાગતા સુરત ખાતે પહોંચ્યાં હતા,જ્યાં કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસના તમામ નેતાઓ જગદીશ ઠાકોરથી લઈને રઘુ શર્મા અને અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા છે અને આ કેસને લઈને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓનું કહેવું હતું કે અમને ન્યાયપાલિકા પર ભરોસો છે, અને જો રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવશે તો અમે કોર્ટની બહાર જ ધરણા કરીશું, અને જો તેમને દોષિત જાહેર કરવામાં આવશે તો અમે ફટાકડા ફોડીને ઉજવણી કરીશું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સંસદ પદને પણ ખતરો થઈ શકે છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.