રાહુલ ગાંધી પર ચાલતા માનહાનિ કેસને લઈ સુરત કોર્ટે આપ્યો ચૂકાદો , જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-23 14:33:34

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ સર્જાઈ જતો હોય છે. ત્યારે 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ  મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કેવી રીતે બધા ચોરોની અટક મોદી કેમ છે? મોદી અટક અંગે આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. સુરતની કોર્ટ દ્વારા આ અંગે ચૂકાદો આપવામાં આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે.

     

ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેમને લઈ આપ્યું હતું નિવેદન

સમગ્ર મામલાની વાત કરીએ તો વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ, તેમણે નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, મને એક નાનો પ્રશ્ન છે, કે આ બધા ચોરોના નામની પાછળ મોદી કેમ હોય છે. મહત્વનું છે કે એ સમયે અનેક ઘોટાળાઓ સામે આવ્યા હતા. કૌભાંડો બહાર આવ્યા હતાં જેમાં નીરવ મોદી અને લલિત મોદીના નામ બહાર આવ્યા હતા. જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે.  


પૂર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ 

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમગ્ર મોદી સમાજ રોષે ભરાયો હતો અને સુરત પશ્ચિમના ધારાસભ્ય એવા પૂર્ણેશ મોદીએ તેમની પર માનહાનીનો દાવો કર્યો હતો,જેને પગલે આજે સુરત કોર્ટમાં આ કેસ મુદ્દે સુનવણી થઈ હતી, જેમાં કોર્ટે IPC 500 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. ત્યારે કોર્ટે રાહુલ ગાંંધીને જામીન આપી દીધા છે.  


સુરત ખાતે જોવા મળ્યો નેતાઓનો જમાવડો

2019થી ચાલતા આ કેસની સુનાવણી આજે સુરત કોર્ટે કરી હતી, જે માટે રાહુલ ગાંધી આજે સવારે 11 વાગતા સુરત ખાતે પહોંચ્યાં હતા,જ્યાં કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસના તમામ નેતાઓ જગદીશ ઠાકોરથી લઈને રઘુ શર્મા અને અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા છે અને આ કેસને લઈને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓનું કહેવું હતું કે અમને ન્યાયપાલિકા પર ભરોસો છે, અને જો રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવશે તો અમે કોર્ટની બહાર જ ધરણા કરીશું, અને જો તેમને દોષિત જાહેર કરવામાં આવશે તો અમે ફટાકડા ફોડીને ઉજવણી કરીશું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સંસદ પદને પણ ખતરો થઈ શકે છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે