Surat: એથર કેમિકલ કંપનીને ફટકારાયો લાખોનો દંડ, ફાયર વિભાગ જાગ્યું, ફાયર સેફ્ટિના સાધનો ના મળતા અનેક એકમો કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-12-01 12:30:58

સુરતમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાને કારણે અનેક કામદારો દાઝ્યા છે જ્યારે 7 કામદારોના મોત નિપજ્યાં છે. આ આગની ઘટનાની ચર્ચા ગુજરાતભરમાં થઈ રહી છે. આ મામલે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જીપીસીબીએ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે ઉપરાંત 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

કંપનીને ફટકારવામાં આવ્યો 50 લાખનો દંડ! 

આગ લાગવાને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે એક દુર્ઘટના સુરતમાં બની હતી જેમાં સાત કામદારોના મોત થઈ ગયા. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કામદારના પરિવારને વ્યક્તિદીઠ 50 લાખ રુપિયાના વળતરની અને મૃતકોના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા છે અને એમાંથી અનેક કામદારોની હાલત ગંભીર છે. ક્લોઝર નોટિસ તેમજ દંડ કંપનીને ફટકારવામાં આવ્યો છે. 


ફાયર વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

સુરતમાં આગની ઘટના બની તે બાદ ફાયર વિભાગની ટીમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. જીઆઈડીસીમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટી છે કે નહીં તેને લઈ ડ્રાઈવ શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ચેકિંગ દરમિયાન જો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી થતું તો તેને સિલ કરવામાં આવી રહી છે. સતત ચોથા દિવસે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવું ચેકિંગ જો પહેલા કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ના બની હોત. કામદારોના જીવ ન ગયા હોત અને બીજા કામદારોના જીવ પર સંકટ ન રહ્યું હોત. ખેર મોડા તો મોડા પરંતુ તંત્ર જાગ્યું તો ખરૂં તેનો આનંદ છે!      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.