Surat: એથર કેમિકલ કંપનીને ફટકારાયો લાખોનો દંડ, ફાયર વિભાગ જાગ્યું, ફાયર સેફ્ટિના સાધનો ના મળતા અનેક એકમો કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-12-01 12:30:58

સુરતમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાને કારણે અનેક કામદારો દાઝ્યા છે જ્યારે 7 કામદારોના મોત નિપજ્યાં છે. આ આગની ઘટનાની ચર્ચા ગુજરાતભરમાં થઈ રહી છે. આ મામલે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જીપીસીબીએ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે ઉપરાંત 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

કંપનીને ફટકારવામાં આવ્યો 50 લાખનો દંડ! 

આગ લાગવાને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે એક દુર્ઘટના સુરતમાં બની હતી જેમાં સાત કામદારોના મોત થઈ ગયા. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કામદારના પરિવારને વ્યક્તિદીઠ 50 લાખ રુપિયાના વળતરની અને મૃતકોના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા છે અને એમાંથી અનેક કામદારોની હાલત ગંભીર છે. ક્લોઝર નોટિસ તેમજ દંડ કંપનીને ફટકારવામાં આવ્યો છે. 


ફાયર વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

સુરતમાં આગની ઘટના બની તે બાદ ફાયર વિભાગની ટીમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. જીઆઈડીસીમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટી છે કે નહીં તેને લઈ ડ્રાઈવ શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ચેકિંગ દરમિયાન જો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી થતું તો તેને સિલ કરવામાં આવી રહી છે. સતત ચોથા દિવસે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવું ચેકિંગ જો પહેલા કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ના બની હોત. કામદારોના જીવ ન ગયા હોત અને બીજા કામદારોના જીવ પર સંકટ ન રહ્યું હોત. ખેર મોડા તો મોડા પરંતુ તંત્ર જાગ્યું તો ખરૂં તેનો આનંદ છે!      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.