Surat: એથર કેમિકલ કંપનીને ફટકારાયો લાખોનો દંડ, ફાયર વિભાગ જાગ્યું, ફાયર સેફ્ટિના સાધનો ના મળતા અનેક એકમો કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-12-01 12:30:58

સુરતમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાને કારણે અનેક કામદારો દાઝ્યા છે જ્યારે 7 કામદારોના મોત નિપજ્યાં છે. આ આગની ઘટનાની ચર્ચા ગુજરાતભરમાં થઈ રહી છે. આ મામલે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જીપીસીબીએ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે ઉપરાંત 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

કંપનીને ફટકારવામાં આવ્યો 50 લાખનો દંડ! 

આગ લાગવાને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે એક દુર્ઘટના સુરતમાં બની હતી જેમાં સાત કામદારોના મોત થઈ ગયા. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કામદારના પરિવારને વ્યક્તિદીઠ 50 લાખ રુપિયાના વળતરની અને મૃતકોના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા છે અને એમાંથી અનેક કામદારોની હાલત ગંભીર છે. ક્લોઝર નોટિસ તેમજ દંડ કંપનીને ફટકારવામાં આવ્યો છે. 


ફાયર વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

સુરતમાં આગની ઘટના બની તે બાદ ફાયર વિભાગની ટીમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. જીઆઈડીસીમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટી છે કે નહીં તેને લઈ ડ્રાઈવ શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ચેકિંગ દરમિયાન જો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી થતું તો તેને સિલ કરવામાં આવી રહી છે. સતત ચોથા દિવસે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવું ચેકિંગ જો પહેલા કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ના બની હોત. કામદારોના જીવ ન ગયા હોત અને બીજા કામદારોના જીવ પર સંકટ ન રહ્યું હોત. ખેર મોડા તો મોડા પરંતુ તંત્ર જાગ્યું તો ખરૂં તેનો આનંદ છે!      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી