Surat : બોમ્બે માર્કેટમાં લાગી ભીષણ આગ, આગ લાગવાથી સર્જાઈ અફરા-તફરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-03 13:25:38

આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. 500 જેટલી દુકાનો ધરાવતા આ માર્કેટમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવા પ્રયાસ કર્યો. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આ આગને કારણે જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવી લેવાતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 



માર્કેટમાં આગ લાગતા સર્જાઈ અફરા-તફરી 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. મહત્વનું છે કે આ બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ બજારમાં આગ લાગતા વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો આવેલી છે. 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને પગલે આગ કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 



મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ખરીદી માટે 

માર્કેટમાં લાગેલી આગ જોતજોતામાં એકદમ વિકરાળ બની ગઈ હતી. સવારે 9 વાગતાં જ માર્કેટમાં હજારોની સંખ્યમાં વેપારીઓ કાપડની ખરીદી અને વેચાણ માટે આવતાં હોય છે, ત્યારે અચાનક જ આગ લાગતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. મહત્વનું છે કે તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે 10 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી હતી. લગભગ અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.  





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી