Surat : બોમ્બે માર્કેટમાં લાગી ભીષણ આગ, આગ લાગવાથી સર્જાઈ અફરા-તફરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-03 13:25:38

આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. 500 જેટલી દુકાનો ધરાવતા આ માર્કેટમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવા પ્રયાસ કર્યો. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આ આગને કારણે જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવી લેવાતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 



માર્કેટમાં આગ લાગતા સર્જાઈ અફરા-તફરી 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. મહત્વનું છે કે આ બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ બજારમાં આગ લાગતા વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો આવેલી છે. 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને પગલે આગ કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 



મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ખરીદી માટે 

માર્કેટમાં લાગેલી આગ જોતજોતામાં એકદમ વિકરાળ બની ગઈ હતી. સવારે 9 વાગતાં જ માર્કેટમાં હજારોની સંખ્યમાં વેપારીઓ કાપડની ખરીદી અને વેચાણ માટે આવતાં હોય છે, ત્યારે અચાનક જ આગ લાગતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. મહત્વનું છે કે તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે 10 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી હતી. લગભગ અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.  





ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.