Surat : બોમ્બે માર્કેટમાં લાગી ભીષણ આગ, આગ લાગવાથી સર્જાઈ અફરા-તફરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-03 13:25:38

આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. 500 જેટલી દુકાનો ધરાવતા આ માર્કેટમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવા પ્રયાસ કર્યો. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આ આગને કારણે જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવી લેવાતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 



માર્કેટમાં આગ લાગતા સર્જાઈ અફરા-તફરી 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. મહત્વનું છે કે આ બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ બજારમાં આગ લાગતા વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો આવેલી છે. 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને પગલે આગ કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 



મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ખરીદી માટે 

માર્કેટમાં લાગેલી આગ જોતજોતામાં એકદમ વિકરાળ બની ગઈ હતી. સવારે 9 વાગતાં જ માર્કેટમાં હજારોની સંખ્યમાં વેપારીઓ કાપડની ખરીદી અને વેચાણ માટે આવતાં હોય છે, ત્યારે અચાનક જ આગ લાગતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. મહત્વનું છે કે તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે 10 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી હતી. લગભગ અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.  





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.