Surat Hit And Run : સીટી બસના ડ્રાઈવરો બન્યા બેફામ, સીટી બસ યુવક માટે યમદૂત સાબિત થઈ, બસ ડ્રાઈવર ફરાર


  • Published By :
  • Published Date : 2023-10-07 13:01:19

લોકોને સુવિધા રહે તે માટે અનેક શહેરોમાં સીટી બસની સુવિધા ચાલે છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ચાલતી સીટી બસ અનેક વખત રાહદારીઓ તેમજ વાહનચાલક માટે જીવલેણ સાબિત થતી હોય છે. સીટી બસ કાળમુખી અનેક લોકો માટે સાબિત થઈ છે ત્યારે વધુ એક યુવકનો ભોગ સીટી બસે લીધો છે. સુરતમાં ચાલતી સીટી બસી એક યુવક માટે યમદૂત સાબિત થઈ છે. રોડ ક્રોસ કરવા જતા યુવકને સીટી બસે પોતાની અડફેટે લીધો છે. બસની અડફેટે આવતા યુવકનું મોત થઈ ગયું છે. આ ઘટનાને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ પોલીસ તપાસ શરૂ તો કરી દેતી હોય છે પરંતુ અકસ્માત સર્જનાર વિરૂદ્ધ અનેક વખત કાર્યવાહી કરવામાં નથી આવતી. 

રાજકોટ: હિટ એન્ડ રનની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું મોત - Rajkot In The Event  Of A Hit And Run The Death Of A Republican Youth - Abtak Media

સુરતમાં બની હિટ એન્ડ રનની ઘટના 

અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અનેક લોકોના મોત અકસ્માત થવાને કારણે થયા છે. અનેક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ મોટા વાહનની અડફેટે લોકો આવે છે ત્યારે તે મોતને ભેટતા હોય છે. ટક્કર એકદમ ભયંકર થતી હોય છે જેને કારણે લોકો પોતાનો જીવ બચાવી શક્તા નથી. અકસ્માત થતા લોકોમાં ભારે રોષ જોવા મળતો હોય છે. અને એમાં જો અકસ્માત સીટી બસને કારણે સર્જાયો હોય ત્યારે વાત એકદમ અલગ હોય છે. અનેક લોકો માટે સીટી બસ કાળમુખી સાબિત છે. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સીટી બસને કારણે લોકોના મોત થતા હોય. ત્યારે આવો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. 

Jaggi Vasudev | Can you predict death? - Telegraph India

અકસ્માત સર્જી બસ ડ્રાઈવર થયો ફરાર 

ઉધના વિસ્તારમાં રાત્રીના સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. સીટી બસની અડફેટે આવતા યુવકનું મોત થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અવાર-નવાર સીટી બસના ડ્રાઈવરોની બેફામ ડ્રાઈવીંગને કારણે લોકો મોતને ભેટ્યા છે. ત્યારે વધુ એક વ્યક્તિયનું મોત અકસ્માતને કારણે થયું છે. મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ફરાર બસ ચાલકને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી હાથ તો ધરી છે પરંતુ દંડાત્મક પગલા ક્યારે લેવાશે તે એક પ્રશ્ન છે.      

Police Issued Order for Those Who Rent Houses in Mumbai | Mumbai : મકાન  ભાડે લેનારા માટે પોલીસ જાહેર કર્યો આદેશ, ન માન્યો તો થશે કાર્યવાહી

અકસ્માતોની ઘટના ક્યાં સુધી બનતી રહેશે? 

મહત્વનું છેપાલિકા સંચાલિત બસની અડફેટે આવતા અનેક લોકોના મોત થયા છે. સીટી બસ અને બીઆરટીએસ બસના કારણે અકસ્માત વારંવાર થતા હોય તેવા સમાચારો, તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી રહે છે. બેફામ બનેલા ડ્રાઈવરોને કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવે છે. તેમ છતાં બસ ચાલકો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ડ્રાઈવરો વિરૂદ્ધ કોઈ દંડાત્મક પગલા કેમ નથી લેવાતા તેવી વાતો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે..




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.