Surat Loksabha seat : Social Media platform X પર ટ્રેન્ડ થયું સુરત, જુઓ ઉમેદવારની બિનહરીફ જીતને કેવી રીતે જુએ છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-04-22 16:29:06

ડિજીટલ યુગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. દરેકની પાસે મોબાઈલ છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મુખ્યત્વે દરેક લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વસ્તુઓ ટ્રેન્ડ થતી હોય છે. કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડમાં જોવા મળે છે તો કોઈ વખત કોઈ કરન્ટ ટોપિક ટ્રેન્ડમાં આવતા હોય છે. ત્યારે આજે X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે કારણ કે મતદાન થાય તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર સાંસદ બની ગયા છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે...



ગુજરાતની એક બેઠક આવી ગઈ ભાજપના ફાળે! 

લોકસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ 26એ 26 બેઠક ભાજપને ફાળે જાય તે માટે મહેનત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક ચૂંટણી પહેલા ભાજપ પાસે આવી ગઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે..



સુરત થઈ રહ્યું છે સોશિયલ મીડિયા X પર ટ્રેન્ડ

ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે. અલગ અલગ યુઝર્સે આ મામલે પ્રતિક્રિયા આપી છે. અનેક ટ્વિટ ન્યુઝ ચેનલની છે તો બીજી અનેક ટ્વિટ કટાક્ષની છે અથવા તો ભાજપને અભિનંદન પાઠવવામાં આવતા હોય તેવી છે... કોઈ યુઝરે લખ્યું છે સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી... ભાજપના કાર્યકરો કરતાં વધારે પેંડા (સોરી ઘારી) તો ચૂંટણી ફરજમાં રોકાયેલા શિક્ષકો અને અન્ય સ્ટાફ વહેંચશે...! તો કોઈએ લખ્યું BJP Candidate from Surat Loksabha Seat Mukesh Dalal won Unopposed without voting


Huge setback for Congress 


તો કોઈએ લખ્યું કે કુમ્ભાણિ ના તેકેદારો હતા 

તેના બનેવી

ભાણીયો

અને ધંધા ના ભાગીદાર


લો બોલો બહાર ના હોઈ તો કદાચ વેચાઇ ગયા હોઈ , આ તો ઘરના જ ભાગી ગયા .

જે ઘરના ને સાચવી નિ શકે તે દેશ કઈ રીતે સાચવી શકે .

કોંગ્રેસી ઓ માટે સમર્પિત વિચાર. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.