Surat Loksabha seat : Social Media platform X પર ટ્રેન્ડ થયું સુરત, જુઓ ઉમેદવારની બિનહરીફ જીતને કેવી રીતે જુએ છે લોકો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 16:29:06

ડિજીટલ યુગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. દરેકની પાસે મોબાઈલ છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મુખ્યત્વે દરેક લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વસ્તુઓ ટ્રેન્ડ થતી હોય છે. કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડમાં જોવા મળે છે તો કોઈ વખત કોઈ કરન્ટ ટોપિક ટ્રેન્ડમાં આવતા હોય છે. ત્યારે આજે X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે કારણ કે મતદાન થાય તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર સાંસદ બની ગયા છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે...



ગુજરાતની એક બેઠક આવી ગઈ ભાજપના ફાળે! 

લોકસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ 26એ 26 બેઠક ભાજપને ફાળે જાય તે માટે મહેનત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક ચૂંટણી પહેલા ભાજપ પાસે આવી ગઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે..



સુરત થઈ રહ્યું છે સોશિયલ મીડિયા X પર ટ્રેન્ડ

ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે. અલગ અલગ યુઝર્સે આ મામલે પ્રતિક્રિયા આપી છે. અનેક ટ્વિટ ન્યુઝ ચેનલની છે તો બીજી અનેક ટ્વિટ કટાક્ષની છે અથવા તો ભાજપને અભિનંદન પાઠવવામાં આવતા હોય તેવી છે... કોઈ યુઝરે લખ્યું છે સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી... ભાજપના કાર્યકરો કરતાં વધારે પેંડા (સોરી ઘારી) તો ચૂંટણી ફરજમાં રોકાયેલા શિક્ષકો અને અન્ય સ્ટાફ વહેંચશે...! તો કોઈએ લખ્યું BJP Candidate from Surat Loksabha Seat Mukesh Dalal won Unopposed without voting


Huge setback for Congress 


તો કોઈએ લખ્યું કે કુમ્ભાણિ ના તેકેદારો હતા 

તેના બનેવી

ભાણીયો

અને ધંધા ના ભાગીદાર


લો બોલો બહાર ના હોઈ તો કદાચ વેચાઇ ગયા હોઈ , આ તો ઘરના જ ભાગી ગયા .

જે ઘરના ને સાચવી નિ શકે તે દેશ કઈ રીતે સાચવી શકે .

કોંગ્રેસી ઓ માટે સમર્પિત વિચાર. 




સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'