Surat Loksabha seat : Social Media platform X પર ટ્રેન્ડ થયું સુરત, જુઓ ઉમેદવારની બિનહરીફ જીતને કેવી રીતે જુએ છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-04-22 16:29:06

ડિજીટલ યુગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. દરેકની પાસે મોબાઈલ છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મુખ્યત્વે દરેક લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વસ્તુઓ ટ્રેન્ડ થતી હોય છે. કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડમાં જોવા મળે છે તો કોઈ વખત કોઈ કરન્ટ ટોપિક ટ્રેન્ડમાં આવતા હોય છે. ત્યારે આજે X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે કારણ કે મતદાન થાય તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર સાંસદ બની ગયા છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે...



ગુજરાતની એક બેઠક આવી ગઈ ભાજપના ફાળે! 

લોકસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ 26એ 26 બેઠક ભાજપને ફાળે જાય તે માટે મહેનત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક ચૂંટણી પહેલા ભાજપ પાસે આવી ગઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે..



સુરત થઈ રહ્યું છે સોશિયલ મીડિયા X પર ટ્રેન્ડ

ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે. અલગ અલગ યુઝર્સે આ મામલે પ્રતિક્રિયા આપી છે. અનેક ટ્વિટ ન્યુઝ ચેનલની છે તો બીજી અનેક ટ્વિટ કટાક્ષની છે અથવા તો ભાજપને અભિનંદન પાઠવવામાં આવતા હોય તેવી છે... કોઈ યુઝરે લખ્યું છે સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી... ભાજપના કાર્યકરો કરતાં વધારે પેંડા (સોરી ઘારી) તો ચૂંટણી ફરજમાં રોકાયેલા શિક્ષકો અને અન્ય સ્ટાફ વહેંચશે...! તો કોઈએ લખ્યું BJP Candidate from Surat Loksabha Seat Mukesh Dalal won Unopposed without voting


Huge setback for Congress 


તો કોઈએ લખ્યું કે કુમ્ભાણિ ના તેકેદારો હતા 

તેના બનેવી

ભાણીયો

અને ધંધા ના ભાગીદાર


લો બોલો બહાર ના હોઈ તો કદાચ વેચાઇ ગયા હોઈ , આ તો ઘરના જ ભાગી ગયા .

જે ઘરના ને સાચવી નિ શકે તે દેશ કઈ રીતે સાચવી શકે .

કોંગ્રેસી ઓ માટે સમર્પિત વિચાર. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.