Surat Loksabha seat : Social Media platform X પર ટ્રેન્ડ થયું સુરત, જુઓ ઉમેદવારની બિનહરીફ જીતને કેવી રીતે જુએ છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-04-22 16:29:06

ડિજીટલ યુગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. દરેકની પાસે મોબાઈલ છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મુખ્યત્વે દરેક લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વસ્તુઓ ટ્રેન્ડ થતી હોય છે. કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડમાં જોવા મળે છે તો કોઈ વખત કોઈ કરન્ટ ટોપિક ટ્રેન્ડમાં આવતા હોય છે. ત્યારે આજે X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે કારણ કે મતદાન થાય તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર સાંસદ બની ગયા છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે...



ગુજરાતની એક બેઠક આવી ગઈ ભાજપના ફાળે! 

લોકસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ 26એ 26 બેઠક ભાજપને ફાળે જાય તે માટે મહેનત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક ચૂંટણી પહેલા ભાજપ પાસે આવી ગઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે..



સુરત થઈ રહ્યું છે સોશિયલ મીડિયા X પર ટ્રેન્ડ

ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે. અલગ અલગ યુઝર્સે આ મામલે પ્રતિક્રિયા આપી છે. અનેક ટ્વિટ ન્યુઝ ચેનલની છે તો બીજી અનેક ટ્વિટ કટાક્ષની છે અથવા તો ભાજપને અભિનંદન પાઠવવામાં આવતા હોય તેવી છે... કોઈ યુઝરે લખ્યું છે સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી... ભાજપના કાર્યકરો કરતાં વધારે પેંડા (સોરી ઘારી) તો ચૂંટણી ફરજમાં રોકાયેલા શિક્ષકો અને અન્ય સ્ટાફ વહેંચશે...! તો કોઈએ લખ્યું BJP Candidate from Surat Loksabha Seat Mukesh Dalal won Unopposed without voting


Huge setback for Congress 


તો કોઈએ લખ્યું કે કુમ્ભાણિ ના તેકેદારો હતા 

તેના બનેવી

ભાણીયો

અને ધંધા ના ભાગીદાર


લો બોલો બહાર ના હોઈ તો કદાચ વેચાઇ ગયા હોઈ , આ તો ઘરના જ ભાગી ગયા .

જે ઘરના ને સાચવી નિ શકે તે દેશ કઈ રીતે સાચવી શકે .

કોંગ્રેસી ઓ માટે સમર્પિત વિચાર. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે