સુરતના અમરોલીમાં લવ જેહાદ, લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને ભગાડી જનારા વિધર્મી યુવકની બાડમેરથી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-06 17:19:40

રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. કોસાડ ગામમાં રહેતો વિધર્મી યુવક ઈરફાન સિંધી એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને રાજસ્થાનનાં બાડમેરથી ઝડપી પાડી યુવતીને મુક્ત કરાવી હતી. 


14 લાખ રૂપિયાની કરી ઉચાપત


છેલ્લા બે વર્ષ દરમિયાન ઇરફાને આ યુવતી કે જેની પાસે પોતાની માતાનું ATM કાર્ડ રહેતું હતું તેમાંથી જુદા જુદા સમયે અંદાજિત 14 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ પડાવી લીધી હતી. યુવતી પાસેથી રૂપિયા પડાવી લઇ ઈરફાન સિંધીએ બોરિંગ નો ધંધો ઘરમાં ફર્નિચર અને એક નવી મોટરસાયકલ ખરીદવામાં વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ ઈરફાન સિંધીને અમરોલી પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગત 26 ઓગસ્ટના રોજ ઇરફાન સિંધી યુવતીને લઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાનના બાડમેરમાં ભગાડી ગયો હતો. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપી પાડ્યો હતો.


કોળી સમાજે કરી હતી રજુઆત


સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના બાદ ગત શુક્રવારે આ અંગે કોળી પટેલ સમાજના અગ્રણીઓએ લવ જેહાદના આ કિસ્સા અંગે પો. કમિશ્નરને રજૂઆત કરી ઝડપથી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દરમિયાનમાં અમરોલી પોલીસે ગત રોજ યુવતી અને ઇરફાનને  બાડમેર ખાતેથી શોધી કાઢયા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.