સુરતના અમરોલીમાં લવ જેહાદ, લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને ભગાડી જનારા વિધર્મી યુવકની બાડમેરથી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-06 17:19:40

રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. કોસાડ ગામમાં રહેતો વિધર્મી યુવક ઈરફાન સિંધી એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને રાજસ્થાનનાં બાડમેરથી ઝડપી પાડી યુવતીને મુક્ત કરાવી હતી. 


14 લાખ રૂપિયાની કરી ઉચાપત


છેલ્લા બે વર્ષ દરમિયાન ઇરફાને આ યુવતી કે જેની પાસે પોતાની માતાનું ATM કાર્ડ રહેતું હતું તેમાંથી જુદા જુદા સમયે અંદાજિત 14 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ પડાવી લીધી હતી. યુવતી પાસેથી રૂપિયા પડાવી લઇ ઈરફાન સિંધીએ બોરિંગ નો ધંધો ઘરમાં ફર્નિચર અને એક નવી મોટરસાયકલ ખરીદવામાં વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ ઈરફાન સિંધીને અમરોલી પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગત 26 ઓગસ્ટના રોજ ઇરફાન સિંધી યુવતીને લઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાનના બાડમેરમાં ભગાડી ગયો હતો. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપી પાડ્યો હતો.


કોળી સમાજે કરી હતી રજુઆત


સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના બાદ ગત શુક્રવારે આ અંગે કોળી પટેલ સમાજના અગ્રણીઓએ લવ જેહાદના આ કિસ્સા અંગે પો. કમિશ્નરને રજૂઆત કરી ઝડપથી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દરમિયાનમાં અમરોલી પોલીસે ગત રોજ યુવતી અને ઇરફાનને  બાડમેર ખાતેથી શોધી કાઢયા હતા. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી