સુરતના માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવી વિરોધ નોંધાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 17:09:21

ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરી રહ્યો છે. જે અંતર્ગત આજે રાજ્યભરમાં માલધારી સમાજે દૂધ ન વેચવાની જાહેરાત કરી હતી. આજે માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ તેમજ ચાની કિટલીઓ પર દુધનું વેચાણ કર્યું ન હતું.


સુરતનાં નાવડી ઓવારા ખાતે માલધારીઓ ઉમટ્યા


જો કે આ જાહેરાતના સૌથી વધુ પડઘા સુરતમાં પડ્યા હતાં સુરતનાં માલધારીઓએ આજ દૂધ વિતરણ કર્યું ન હતું.  ઢોર નિયંત્રણ કાયદાને લઈ ઉગ્ર વિરોધ વિરોધ કરતા માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવી દીધું હતું. મોટી સંખ્યામાં માલધારીઓ નાવડી ઓવારે એકઠા થયા હતા. તેઓએ નાવડી ઓવારા ખાતે 300 લિટર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. આમ સુરતમાં માલધારીઓએ દૂધ વહાવીને વિરોધ કર્યો છે. માલધારીઓ દ્વારા આજે દૂધ નહીં વેચવાનું એલાન કરવામાં આવ્યુ છે. સુરતના ડભોલી-જહાંગીર પુરા બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું હતું. વહેલી સવારે માલધારીઓ એ કેનમાંથી તાપી નદીમાં દૂધ ઢોળ્યું હતું. દૂધનો નાશ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. જોકે, સાધુ સંતો દ્વારા દૂધ ઢોળવાની મનાઈ ફરમાવી છે.


ગુજરાતના માલધારીઓ આજે તા. 21 અને બુધવારના રોજ અણુંજા પાડશે. એટલે કે, આ દિવસે ડેરીઓમાં, મંડળીઓમાં, વાડામાં ક્યાંય દૂધ ભરાવવાનું કે વેચવાનું નહી એવું માલધારી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે