ગુજરાતને સ્મારકની નહીં જીંદગી બચાવી શકે તેવી ઉંચી સીડીની જરૂર છે...


  • Published By :
  • Published Date : 2022-11-03 15:42:55

24 મે 2019ના દિવસે સુરતના પરિવારોના 22 જેટલા નાના બાળકોના મોત થઈ ગયા હતા. કોઈકનો દિકરો ગયો તો કોઈકની દિકરી ગઈ. સુરતની તક્ષશિલા આર્કેડ ભડકે બળી રહી હતી ત્યારે આ કરુણ ઘટનાનો પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં લાભ કેવી રીતે લેવો તેવા વિચારો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત થઈ રહી હતી ત્યારે કોઈ નિર્ણય ના લેવાયો જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી કે તરત જ તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત કરી દીધી છે..... 

Surat Gujarat takshashila arcade massive fire 22 students death two years  News18 Gujarati

ચૂંટણી સમયે સુરત મેયરને તક્ષશિલા કાંડ યાદ આવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે તેની વચ્ચે મતદારોમાં કેમ વધારો કરવો તે પણ રાજકીય પક્ષોએ વિચાર કરવાનું શરૂ કરી દીઘું છે. સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા મારફતે જાહેરાત કરાઈ છે કે સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવે. તક્ષશિલા એ જ જગ્યા છે જ્યાં 24 મે 2019ના ગોજારા દિવસે આગ લાગતા 22 વિદ્યાર્થીઓનાં મૃત્યું થયાં હતા. ફૂલ જેવા બાળકો પોતાના ભવિષ્યના સપના જોવા માટે ટ્યૂશન ક્લાસમાં ભણી રહ્યા હતા અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ગેરકાયદેસર ટ્રાન્સફોર્મરના કારણે આગ લાગે છે. આ આગ સૌથી ઉપરના માળ પરના આર્ટ અને ક્રાફ્ટના ક્લાસના શેડમાં લાગે છે. જેના પરિણામે આગ વધારે તિવ્રતાથી પ્રસરી અને 22 બાળકોનું કૂદવાથી, ગૂંગળામણથી અને ભડથું થઈને મોત થયું હતું.  

તક્ષશિલાને સ્મારક જાહેર કરાશેઃ સુરત મેયર 

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે અને સુરતના મેયરે જાહેરાત કરી છે. મેયર હેમાલી બોઘાવાલાએ જાહેરાત કરી હતી કે તક્ષશિલાને સ્મારક જાહેર કરવામાં આવશે. સુરતના લોકોનું આ મામલે માનવું છે કે પાટીદારોને મનાવવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત થઈ રહી હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો ના હતો અને ચૂંટણી નજીક આવી એટલે તરત નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. 

Takshashila arcade fire SMC begins demolition drive, razes illegal dome  structure | India News,The Indian Express

તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર ફાઈટરો ત્યાં પહોંચે છે. ફાયર ફાઈટરોએ બચાવ કામગીરી માટે અંદર પહોંચે તેવી સીડી તેમના વાહનમાં ખોલી પરંતુ તે સીડી ખુલી જ ના હતી. જોત જોતામાં આગ પ્રસરે છે અને ત્યારબાદ જે થયું તેણે ગુજરાતના સત્તાધીશો પર કલંક લગાવી જ દીધો છે. ત્યાર બાદથી અત્યાર સુધી સુરતના સત્તાધીશોને તક્ષશિલા કાંડ ભૂલાઈ ગયો હતો. અચાનક ચૂંટણી નજીક આવતા કરુણ પરિસ્થિતિનો વોટમાં લાભ લેવા સ્મારકની જાહેરાત કરી દેવામાં આવી છે. અમેં સવાલ પૂછીએ છીએ કે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા સૂતી હતી કે બદામ ખાવાનું ભૂલાઈ ગયું હતું અને તક્ષશિલા કાંડ ભૂલાઈ ગયો હતો? ચૂંટણી નજીક આવતા જ આવા નિર્ણયો યાદ આવે છે? અત્યાર સુધી માગણીઓ કરવામાં આવી રહી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ કોઈ ધ્યાન ના દીધું હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે મતનો લાભ ખાટવા માટે તરત નિર્ણય કરી દેવામાં આવ્યો છે કે તક્ષશિલાને સ્મારક જાહેર કરવામાં આવે. ગુજરાતને એવી ઉંચી સીડીની જરૂર છે જેનાથી આવી પરિસ્થિતિમાં લોકો પોતાનો જીવ બચાવીને બહાર નીકળી શકે. જો આવા નિર્ણયો લેવામાં આવશે તો તક્ષશિલા જેવો કોઈ કાંડ ગુજરાત કે દેશમાં નહીં થાય. ચૂંટણી નજીક આવતા જાહેરાત કરાઈ છે તેનો મતલબ પાટીદારોના મત મેળવવા છે. નિર્ણય સારો છે પરંતુ નિર્ણય લેવા પાછળનો આશય સારો નથી તેવું સુરતના લોકોનું માનવું છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.