સુરતમાં રૂ.400 કરોડના ખર્ચે તૈયાર થયેલો આઉટર રીંગરોડ ધોવાયો, અઠવાડિયા પહેલા જ મુખ્યમંત્રીએ કર્યું હતું ઉદ્ઘાટન


  • Published By :
  • Published Date : 2023-07-19 22:03:27

આજે ગુજરાતના વિકાસની વાત કરવી છે જે વિકાસને એક સમયે રોજ કોંગ્રેસ યાદ કરતી હતી અને કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે એ વિકાસ હવે કોઈ યાદ નથી કરતું, પણ અત્યારે અમુક બનાવોના કારણે એ વિકાસને યાદ કરવો છે કારણ કે સુરતના બનાવથી ખરેખર લાગી રહ્યું છે કે વિકાસ ગાંડો થઈ ગયો છે. સુરતમાં નવનિર્મિત આઉટર રીંગરોડ વરસાદ શરૂ થતાની સાથે જ બે જ દિવસમાં ધોવાઈ ગયો અને રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. આ મુદ્દે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ સમાચાર સરકારના કાન સુધી પહોંચવા જોઈએ અને લોકો સુધી પણ પહોંચવો જોઈએ જેથી ખબર પડે કે સુરતમાં વિકાસના નામે કેવા કાંડ થઈ રહ્યા છે. 


આઉટર રીંગ રોડનો કચ્ચરઘાણ


સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં હમણા છ દિવસ પહેલા જ આઉટર રીંગ રોડ બનાવવામાં આવ્યો હતો. રાજાશાહીના જમાનામાં જ્યારે ભગવત સિંહજી મહારાજ અને કૃષ્ણકુમાર સિંહજી મહારાજના સમયમાં રોડ બનતા હતા તે દાયકાઓ સુધી ચાલતા હતા અને હાલના સમયમાં છ દિવસ પહેલા બનાવેલા રોડમાં પણ ખાડા થઈ જાય છે અને કપચીઓ નીકળી જાય છે. ખબર છે આવું શા માટે થાય છે કારણ કે પહેલાના સમયમાં પ્રજાનું કલ્યાણ કરવાની લાગણી હતી અને હવે મારા ઘરનું કલ્યાણ કરવાની રાજનીતિ ચાલે છે, પછી એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય. સુરતના મામલામાં થયું છે કંઈક એવું કે  છ દિવસ પહેલા બનેલા રોડનો કચ્ચરઘાણ નીકળી જતા સુરતના જાગૃત નાગરિકે આમ આદમી પાર્ટીના નેતા મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાને ફરિયાદ કરી હતી કે છ દિવસ પહેલા જ રોડ બન્યો હતો અને તેના અત્યારે ઠામ ઠેકાણા નથી, જાહેર બાંધકામ સમિતિના સભ્ય મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાએ રોડની વિઝિટ લીધી હતી અને સમગ્ર મામલે કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી. 


રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર


આમ આદમી પાર્ટીના મહેશ અણધણે આક્ષેપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ અને ભ્રષ્ટ સત્તાધીશોએ રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ મામલે મહેશ અણધણે સુરત કમિશનર બંછાનિધિપાનીને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માગ કરી છે તો હવે આ મામલે શું થશે એ જોવાનું રહેશે. એક રીતે જોવા જઈએ તો આ વીડિયો જોઈને લોકોએ મનમાં વિચારી લીધું હશે કે સુરતમાં રોડ તૂટ્યો છે તો મારે શું પણ ભાઈ આ લોકોના રૂપિયે રોડ બન્યો હતો જે ખરેખર ટકવો જોઈએ વર્ષો સુધી પણ અફસોસ છ દિવસમાં જ ખાડે ખાડા થઈ ગયા હતા. તમારા ખિસ્સાના રૂપિયા તમે ભરોસાથી રાજ્યની સેવા માટે આપો છો પણ તે ક્યાં જાય છે તેનો પણ હિસાબ માગવો જોઈએ જો આ કેસમાં ગેરરીતિ થઈ હોય તો કોન્ટ્રાક્ટરને જ દંડ ફટકારવો જોઈએ અને તપાસ કમિટી બેસાડીને કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. 


પ્રજાના ટેક્સના પૈસાનું ધોવાણ


આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ અને રચના હિરપરા આઉટર રીંગરોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વાત કરતા તેમણે રીંગરોડની મુલાકાત લીધી હતી. મહેશ અણઘણે જણાવ્યું કે, હજી તો એક સત્તા પણ પૂર્ણ નથી થયું અને રસ્તાનું ધોવાણ જે રીતે થયું છે, તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. માત્ર કમલમ બનાવવા માટે આ પ્રકારના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે ધોવાણ થવું એક લોકો સાથે અન્યાય કરવા બરાબર છે. અમારી માંગ છે કે જે પણ એજન્સીઓ અને માટે જવાબદાર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે. 



અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.