સુરતમાં રૂ.400 કરોડના ખર્ચે તૈયાર થયેલો આઉટર રીંગરોડ ધોવાયો, અઠવાડિયા પહેલા જ મુખ્યમંત્રીએ કર્યું હતું ઉદ્ઘાટન


  • Published By :
  • Published Date : 2023-07-19 22:03:27

આજે ગુજરાતના વિકાસની વાત કરવી છે જે વિકાસને એક સમયે રોજ કોંગ્રેસ યાદ કરતી હતી અને કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે એ વિકાસ હવે કોઈ યાદ નથી કરતું, પણ અત્યારે અમુક બનાવોના કારણે એ વિકાસને યાદ કરવો છે કારણ કે સુરતના બનાવથી ખરેખર લાગી રહ્યું છે કે વિકાસ ગાંડો થઈ ગયો છે. સુરતમાં નવનિર્મિત આઉટર રીંગરોડ વરસાદ શરૂ થતાની સાથે જ બે જ દિવસમાં ધોવાઈ ગયો અને રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. આ મુદ્દે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ સમાચાર સરકારના કાન સુધી પહોંચવા જોઈએ અને લોકો સુધી પણ પહોંચવો જોઈએ જેથી ખબર પડે કે સુરતમાં વિકાસના નામે કેવા કાંડ થઈ રહ્યા છે. 


આઉટર રીંગ રોડનો કચ્ચરઘાણ


સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં હમણા છ દિવસ પહેલા જ આઉટર રીંગ રોડ બનાવવામાં આવ્યો હતો. રાજાશાહીના જમાનામાં જ્યારે ભગવત સિંહજી મહારાજ અને કૃષ્ણકુમાર સિંહજી મહારાજના સમયમાં રોડ બનતા હતા તે દાયકાઓ સુધી ચાલતા હતા અને હાલના સમયમાં છ દિવસ પહેલા બનાવેલા રોડમાં પણ ખાડા થઈ જાય છે અને કપચીઓ નીકળી જાય છે. ખબર છે આવું શા માટે થાય છે કારણ કે પહેલાના સમયમાં પ્રજાનું કલ્યાણ કરવાની લાગણી હતી અને હવે મારા ઘરનું કલ્યાણ કરવાની રાજનીતિ ચાલે છે, પછી એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય. સુરતના મામલામાં થયું છે કંઈક એવું કે  છ દિવસ પહેલા બનેલા રોડનો કચ્ચરઘાણ નીકળી જતા સુરતના જાગૃત નાગરિકે આમ આદમી પાર્ટીના નેતા મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાને ફરિયાદ કરી હતી કે છ દિવસ પહેલા જ રોડ બન્યો હતો અને તેના અત્યારે ઠામ ઠેકાણા નથી, જાહેર બાંધકામ સમિતિના સભ્ય મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાએ રોડની વિઝિટ લીધી હતી અને સમગ્ર મામલે કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી. 


રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર


આમ આદમી પાર્ટીના મહેશ અણધણે આક્ષેપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ અને ભ્રષ્ટ સત્તાધીશોએ રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ મામલે મહેશ અણધણે સુરત કમિશનર બંછાનિધિપાનીને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માગ કરી છે તો હવે આ મામલે શું થશે એ જોવાનું રહેશે. એક રીતે જોવા જઈએ તો આ વીડિયો જોઈને લોકોએ મનમાં વિચારી લીધું હશે કે સુરતમાં રોડ તૂટ્યો છે તો મારે શું પણ ભાઈ આ લોકોના રૂપિયે રોડ બન્યો હતો જે ખરેખર ટકવો જોઈએ વર્ષો સુધી પણ અફસોસ છ દિવસમાં જ ખાડે ખાડા થઈ ગયા હતા. તમારા ખિસ્સાના રૂપિયા તમે ભરોસાથી રાજ્યની સેવા માટે આપો છો પણ તે ક્યાં જાય છે તેનો પણ હિસાબ માગવો જોઈએ જો આ કેસમાં ગેરરીતિ થઈ હોય તો કોન્ટ્રાક્ટરને જ દંડ ફટકારવો જોઈએ અને તપાસ કમિટી બેસાડીને કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. 


પ્રજાના ટેક્સના પૈસાનું ધોવાણ


આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ અને રચના હિરપરા આઉટર રીંગરોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વાત કરતા તેમણે રીંગરોડની મુલાકાત લીધી હતી. મહેશ અણઘણે જણાવ્યું કે, હજી તો એક સત્તા પણ પૂર્ણ નથી થયું અને રસ્તાનું ધોવાણ જે રીતે થયું છે, તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. માત્ર કમલમ બનાવવા માટે આ પ્રકારના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે ધોવાણ થવું એક લોકો સાથે અન્યાય કરવા બરાબર છે. અમારી માંગ છે કે જે પણ એજન્સીઓ અને માટે જવાબદાર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે