યુવરાજસિંહને લઈ સુરત પોલીસે કર્યું એવું ટ્વિટ કે જેની થઈ રહી છે ચર્ચા! ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહને જ પોલીસે ગણાવ્યા આરોપી!


  • Published By :
  • Published Date : 2023-04-25 10:34:11

યુવરાજસિંહને લઈ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ હાલ ચર્ચામાં છે. પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસતા હોવાની વાત યુવરાજસિંહે આપી હતી. આ મામલે યુવરાજસિંહ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરત પોલીસે તો આ પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પાસ કરવાવવાનું કૌભાંડ યુવરાજસિંહે કરાવ્યું હોય તેવું ટ્વિટમાં દર્શાવ્યું હતું. સુરત પોલીસે ટ્વિટ કર્યું હતું કે 'બોર્ડની પરીક્ષાઓ અને અન્ય ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ આચરનાર આરોપી યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભાને દબોચી લેતી સુરત શહેર પી.સી.બી. તથા ભાવનગર SITની ટીમ.' ત્યારે આ ટ્વિટને લઈ ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે યુવરાજસિંહના સાળા કાનભાને સુરત પોલીસે ઝડપી પાડ્યો હતો.  

      

યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાના આરોપ!

ડમીકાંડ મામલે રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. યુવરાજસિંહે પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાની વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં  આવી હતી જેને અનેક લોકોને પોલીસે ઝડપી પણ પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવરાજસિંહે નામ ન લેવા માટે પૈસા લીધા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. 


સુરતથી ઝડપાયો હતો યુવરાજસિંહનો સાળો!

ભાવનગર એસઓજીએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે પોલીસ સમક્ષ હાજર થતા તે દરમિયાન અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સાળાનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. સુરતથી યુવરાજસિંહના સાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે સુરત પોલીસનું ટ્વિટ સામે આવ્યું છે જેમાં ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહને જ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે