યુવરાજસિંહને લઈ સુરત પોલીસે કર્યું એવું ટ્વિટ કે જેની થઈ રહી છે ચર્ચા! ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહને જ પોલીસે ગણાવ્યા આરોપી!


  • Published By :
  • Published Date : 2023-04-25 10:34:11

યુવરાજસિંહને લઈ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ હાલ ચર્ચામાં છે. પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસતા હોવાની વાત યુવરાજસિંહે આપી હતી. આ મામલે યુવરાજસિંહ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરત પોલીસે તો આ પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પાસ કરવાવવાનું કૌભાંડ યુવરાજસિંહે કરાવ્યું હોય તેવું ટ્વિટમાં દર્શાવ્યું હતું. સુરત પોલીસે ટ્વિટ કર્યું હતું કે 'બોર્ડની પરીક્ષાઓ અને અન્ય ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ આચરનાર આરોપી યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભાને દબોચી લેતી સુરત શહેર પી.સી.બી. તથા ભાવનગર SITની ટીમ.' ત્યારે આ ટ્વિટને લઈ ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે યુવરાજસિંહના સાળા કાનભાને સુરત પોલીસે ઝડપી પાડ્યો હતો.  

      

યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાના આરોપ!

ડમીકાંડ મામલે રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. યુવરાજસિંહે પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાની વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં  આવી હતી જેને અનેક લોકોને પોલીસે ઝડપી પણ પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવરાજસિંહે નામ ન લેવા માટે પૈસા લીધા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. 


સુરતથી ઝડપાયો હતો યુવરાજસિંહનો સાળો!

ભાવનગર એસઓજીએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે પોલીસ સમક્ષ હાજર થતા તે દરમિયાન અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સાળાનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. સુરતથી યુવરાજસિંહના સાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે સુરત પોલીસનું ટ્વિટ સામે આવ્યું છે જેમાં ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહને જ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.