Surat : Gandhinagar GIFTCityમાં મળેલી દારૂની છૂટનો આ રીતે નોંધાવ્યો વિરોધ, દારૂની બોટલો લઈને રસ્તા પર ઉતર્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-25 14:33:50

વિરોધના અનેક વીડિયો તમે જોયા હશે. વિરોધ કરવા માટે બેનરો તેમજ સૂત્રોચ્ચારનો પ્રયોગ લોકો કરતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સીટી માટે દારૂની છૂટ આપી દીધી છે. આને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે પરંતુ સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે અલગ છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ પણ દારૂની બોટલો સાથેનો વિરોધ! ત્યારે પ્રશ્ન થાય કે દારૂની બોટલ તેમની પાસે આવી ક્યાંથી?

દારૂની બોટલો સાથે લગાવ્યા નારા 

સુરતથી વિરોધના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એ વીડિયો જે પણ જુએ તે એવું જ કહે છે કે ભાઈ આ શું છે? ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય સામે સુરતમાં સ્વાભિમાન સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું. સંસ્થાના આગેવાન કિરીટ વાઘેલા સહિતના સભ્યોએ ભાગળ ચાર રસ્તા પર વિરોધ કર્યો હતો. દારૂની બોટલો સાથે રસ્તા વચ્ચે બેસીને નારાઓ લગાવાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે પ્રદર્શન કરનારાઓને અટકાવ્યા હતા.   


દારૂનો વિરોધ કરવા માટે દારૂ લઈને રસ્તા પર આવ્યા!

જબરજસ્ત કહેવાય નહિ કે દારૂનો વિરોધ કરવા માટે તમે જ રસ્તા પર બેસી દારૂની બોટલ લઈ આવો અને એવુ કહો કે દારૂની છૂટી તો હોવી જ ન જોઈએ. તો ભલા માણસ આ સુરતમાં તો દારૂબંધી છે જ. આખા ગુજરાતમાં દારૂબંધી છે તો આ લોકો પાસે દારૂ ક્યાંથી આવ્યો આપણે ભલે કેટલો પણ વિરોધ કરીએ. આપણે માનવું જ પડશે કે ગુજરાતમાં ભલે દારૂબંધી છે પણ સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય પણ છે લોકો પીવે પણ છે અને હવે તો રસ્તા વચ્ચે બેસી અને વિરોધ પણ કરે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.