Surat : Gandhinagar GIFTCityમાં મળેલી દારૂની છૂટનો આ રીતે નોંધાવ્યો વિરોધ, દારૂની બોટલો લઈને રસ્તા પર ઉતર્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-25 14:33:50

વિરોધના અનેક વીડિયો તમે જોયા હશે. વિરોધ કરવા માટે બેનરો તેમજ સૂત્રોચ્ચારનો પ્રયોગ લોકો કરતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સીટી માટે દારૂની છૂટ આપી દીધી છે. આને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે પરંતુ સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે અલગ છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ પણ દારૂની બોટલો સાથેનો વિરોધ! ત્યારે પ્રશ્ન થાય કે દારૂની બોટલ તેમની પાસે આવી ક્યાંથી?

દારૂની બોટલો સાથે લગાવ્યા નારા 

સુરતથી વિરોધના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એ વીડિયો જે પણ જુએ તે એવું જ કહે છે કે ભાઈ આ શું છે? ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય સામે સુરતમાં સ્વાભિમાન સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું. સંસ્થાના આગેવાન કિરીટ વાઘેલા સહિતના સભ્યોએ ભાગળ ચાર રસ્તા પર વિરોધ કર્યો હતો. દારૂની બોટલો સાથે રસ્તા વચ્ચે બેસીને નારાઓ લગાવાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે પ્રદર્શન કરનારાઓને અટકાવ્યા હતા.   


દારૂનો વિરોધ કરવા માટે દારૂ લઈને રસ્તા પર આવ્યા!

જબરજસ્ત કહેવાય નહિ કે દારૂનો વિરોધ કરવા માટે તમે જ રસ્તા પર બેસી દારૂની બોટલ લઈ આવો અને એવુ કહો કે દારૂની છૂટી તો હોવી જ ન જોઈએ. તો ભલા માણસ આ સુરતમાં તો દારૂબંધી છે જ. આખા ગુજરાતમાં દારૂબંધી છે તો આ લોકો પાસે દારૂ ક્યાંથી આવ્યો આપણે ભલે કેટલો પણ વિરોધ કરીએ. આપણે માનવું જ પડશે કે ગુજરાતમાં ભલે દારૂબંધી છે પણ સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય પણ છે લોકો પીવે પણ છે અને હવે તો રસ્તા વચ્ચે બેસી અને વિરોધ પણ કરે છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.