સુરતવાસીઓએ શોધ્યું ગરબાનું અલગ ડેસ્ટિનેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 09:36:47

ગરબા અને ગુજરાતને એક બીજાના પર્યાય ગણવામાં આવે તો અતિશ્યોક્તિ ન કહેવાય. ગરબા અને ખાણી-પીણીના શોખીન હોવાને કારણે ગુજરાતીઓ જગપ્રખ્યાત થયા છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મ્યુઝિક પર, કોઈ પણ સમયે ગરબા કરવા ગુજરાતીઓ ઉત્સુક હોય છે. જ્યાં અને જ્યારે પણ મોકો મળે ત્યારે ગરબા કરવામાં ગુજરાતીઓ પાછા પડતા નથી. આવી જ એક ઘટના સુરતમાં જોવા મળી હતી, જ્યાં તેઓ સ્વીમિંગ પુલમાં ગરબા કરતા નજરે પડ્યા હતા.

સ્વીમિંગ પુલમાં જામી ડાંડિયાની રમઝટ

ગરબાને સૌથી લાંબો ચાલતો ડાન્સ ફેસ્ટિવલ ગણવામાં આવે છે. આમ તો જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં ગરબા થતા હોય છે. પરંતુ ગુજરાતમાં ગરબાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. નવરાત્રિ દરમિયાન અનેક સ્થળો પર ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ગરબાનું આયોજન સ્વીમિંગ પુલમાં કરાયું હતું. સ્વીમિંગ પૂલમાં ડાંડિયા રમી સુરતવાસીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.