સુરતવાસીઓએ શોધ્યું ગરબાનું અલગ ડેસ્ટિનેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 09:36:47

ગરબા અને ગુજરાતને એક બીજાના પર્યાય ગણવામાં આવે તો અતિશ્યોક્તિ ન કહેવાય. ગરબા અને ખાણી-પીણીના શોખીન હોવાને કારણે ગુજરાતીઓ જગપ્રખ્યાત થયા છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મ્યુઝિક પર, કોઈ પણ સમયે ગરબા કરવા ગુજરાતીઓ ઉત્સુક હોય છે. જ્યાં અને જ્યારે પણ મોકો મળે ત્યારે ગરબા કરવામાં ગુજરાતીઓ પાછા પડતા નથી. આવી જ એક ઘટના સુરતમાં જોવા મળી હતી, જ્યાં તેઓ સ્વીમિંગ પુલમાં ગરબા કરતા નજરે પડ્યા હતા.

સ્વીમિંગ પુલમાં જામી ડાંડિયાની રમઝટ

ગરબાને સૌથી લાંબો ચાલતો ડાન્સ ફેસ્ટિવલ ગણવામાં આવે છે. આમ તો જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં ગરબા થતા હોય છે. પરંતુ ગુજરાતમાં ગરબાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. નવરાત્રિ દરમિયાન અનેક સ્થળો પર ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ગરબાનું આયોજન સ્વીમિંગ પુલમાં કરાયું હતું. સ્વીમિંગ પૂલમાં ડાંડિયા રમી સુરતવાસીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.