સુરતવાસીઓએ શોધ્યું ગરબાનું અલગ ડેસ્ટિનેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 09:36:47

ગરબા અને ગુજરાતને એક બીજાના પર્યાય ગણવામાં આવે તો અતિશ્યોક્તિ ન કહેવાય. ગરબા અને ખાણી-પીણીના શોખીન હોવાને કારણે ગુજરાતીઓ જગપ્રખ્યાત થયા છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મ્યુઝિક પર, કોઈ પણ સમયે ગરબા કરવા ગુજરાતીઓ ઉત્સુક હોય છે. જ્યાં અને જ્યારે પણ મોકો મળે ત્યારે ગરબા કરવામાં ગુજરાતીઓ પાછા પડતા નથી. આવી જ એક ઘટના સુરતમાં જોવા મળી હતી, જ્યાં તેઓ સ્વીમિંગ પુલમાં ગરબા કરતા નજરે પડ્યા હતા.

સ્વીમિંગ પુલમાં જામી ડાંડિયાની રમઝટ

ગરબાને સૌથી લાંબો ચાલતો ડાન્સ ફેસ્ટિવલ ગણવામાં આવે છે. આમ તો જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં ગરબા થતા હોય છે. પરંતુ ગુજરાતમાં ગરબાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. નવરાત્રિ દરમિયાન અનેક સ્થળો પર ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ગરબાનું આયોજન સ્વીમિંગ પુલમાં કરાયું હતું. સ્વીમિંગ પૂલમાં ડાંડિયા રમી સુરતવાસીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .