મોડી રાત્રે સુરતની ધ્રૂજી ધરા, લોકોમાં જોવા મળ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-11 11:59:38

ગુજરાતના અનેક શહેરોમાં આજકાલ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા અરવલ્લી નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે સુરતમાં મોડી રાત્રે ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 3.8 તીવ્રતાના ધરતીકંપના આંચકા આવ્યા હતા. સુરતથી 27 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્રબીંદુ નોંધવામાં આવ્યું હતું. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો હતો.


મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા   

તુર્કી તેમજ સીરિયામાં ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા અમરેલીના 10 ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ગત મોડી રાત્રે રિક્ટર સ્કેલની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બીદું સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું. આખા સુરત જિલ્લામાં આ ભૂકંપનો અનુભવ થયો હતો. રાત્રીના 12.51 વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી હતી. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ડર જોવા મળ્યો હતો. 


અવારનવાર ધરા ધ્રૂજતા લોકોમાં ભય    

થોડા દિવસો પહેલા કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તેની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે સિવાય થોડા દિવસો પહેલા અરવલ્લીના 10 ગામોની ધરા પણ ધ્રૂજી હતી. ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો ભયભીત જોવા મળ્યા છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.