મોડી રાત્રે સુરતની ધ્રૂજી ધરા, લોકોમાં જોવા મળ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-11 11:59:38

ગુજરાતના અનેક શહેરોમાં આજકાલ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા અરવલ્લી નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે સુરતમાં મોડી રાત્રે ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 3.8 તીવ્રતાના ધરતીકંપના આંચકા આવ્યા હતા. સુરતથી 27 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્રબીંદુ નોંધવામાં આવ્યું હતું. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો હતો.


મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા   

તુર્કી તેમજ સીરિયામાં ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા અમરેલીના 10 ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ગત મોડી રાત્રે રિક્ટર સ્કેલની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બીદું સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું. આખા સુરત જિલ્લામાં આ ભૂકંપનો અનુભવ થયો હતો. રાત્રીના 12.51 વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી હતી. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ડર જોવા મળ્યો હતો. 


અવારનવાર ધરા ધ્રૂજતા લોકોમાં ભય    

થોડા દિવસો પહેલા કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તેની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે સિવાય થોડા દિવસો પહેલા અરવલ્લીના 10 ગામોની ધરા પણ ધ્રૂજી હતી. ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો ભયભીત જોવા મળ્યા છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.