મોડી રાત્રે સુરતની ધ્રૂજી ધરા, લોકોમાં જોવા મળ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-11 11:59:38

ગુજરાતના અનેક શહેરોમાં આજકાલ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા અરવલ્લી નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે સુરતમાં મોડી રાત્રે ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 3.8 તીવ્રતાના ધરતીકંપના આંચકા આવ્યા હતા. સુરતથી 27 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્રબીંદુ નોંધવામાં આવ્યું હતું. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો હતો.


મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા   

તુર્કી તેમજ સીરિયામાં ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા અમરેલીના 10 ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ગત મોડી રાત્રે રિક્ટર સ્કેલની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બીદું સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું. આખા સુરત જિલ્લામાં આ ભૂકંપનો અનુભવ થયો હતો. રાત્રીના 12.51 વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી હતી. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ડર જોવા મળ્યો હતો. 


અવારનવાર ધરા ધ્રૂજતા લોકોમાં ભય    

થોડા દિવસો પહેલા કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તેની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે સિવાય થોડા દિવસો પહેલા અરવલ્લીના 10 ગામોની ધરા પણ ધ્રૂજી હતી. ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો ભયભીત જોવા મળ્યા છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.