સુરતના વરાછામાં કાદવ જ કાદવ, મેટ્રોની કામગીરીએ લોકોની મુશ્કેલી વધારી


  • Published By :
  • Published Date : 2023-02-13 20:03:22

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. જો કે તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રની બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આસપાસની સોસાયટીઓમાં કાદવનો પ્રવાહ ધસી આવતા તે સોસાયટીઓના રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ છે.   


સુરતના વરાછામાં લોકોની હાલત કફોડી


સુરતના વરાછાના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરીના કારણે સોસાયટીમાં કાદવના થર જામી ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. આ સોસોયટીઓના રહિશોએ તેમના ઘરમાં કાદવ ઘૂસતો રોકવા માટે ઈંટોની આડશો મુકવી પડી રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો છે એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવતો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. લોકોએ સ્થાનિક વહીવટીતંત્રને રજુઆતો કરી પણ તંત્રએ લોકોની મુશ્કેલીનો હલ કરવા માટે અત્યાર સુધી કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.