સુરેન્દ્રનગરઃ ચોટીલાના ઝીંઝુડા ગામે પ્રેમી યુગલે મોતને વ્હાલુ કર્યું, યુવતીએ લખ્યું ' યુવકને હું ભગાડી લાવી છું....'


  • Published By :
  • Published Date : 2023-11-29 22:15:23

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર પ્રેમીયુગલના મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમીજોડાએ ઘરેથી ભાગીને અહીં આવી મોતને વ્હાલુ કર્યું હતું. આ મામલે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી છુટ્યા હતા. આ પ્રેમી યુગલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે બંનેના પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.






રૂ.50ની નોટ પર લખી સ્યુસાઈડ નોટ


આ મામલાની જાણ થતાં ચોટીલા પોલીસ મથકના કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં યુગલ પાસેથી 50 રૂપિયાની ચલણી નોટ મળી આવી હતી, જેના પર લખાણ મળી આવ્યું હતું કે, યુવકને હું ભગાડી ગઈ છું. યુવક મને નથી ભગાડી ગયો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિશાલ પાટડીયા અને યુવતીની ઓળખ સપના સીસોણદા તરીકે થઈ છે, જેઓ સુલતાનપુર ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી