સુરેન્દ્રનગરઃ ચોટીલાના ઝીંઝુડા ગામે પ્રેમી યુગલે મોતને વ્હાલુ કર્યું, યુવતીએ લખ્યું ' યુવકને હું ભગાડી લાવી છું....'


  • Published By :
  • Published Date : 2023-11-29 22:15:23

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર પ્રેમીયુગલના મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમીજોડાએ ઘરેથી ભાગીને અહીં આવી મોતને વ્હાલુ કર્યું હતું. આ મામલે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી છુટ્યા હતા. આ પ્રેમી યુગલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે બંનેના પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.






રૂ.50ની નોટ પર લખી સ્યુસાઈડ નોટ


આ મામલાની જાણ થતાં ચોટીલા પોલીસ મથકના કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં યુગલ પાસેથી 50 રૂપિયાની ચલણી નોટ મળી આવી હતી, જેના પર લખાણ મળી આવ્યું હતું કે, યુવકને હું ભગાડી ગઈ છું. યુવક મને નથી ભગાડી ગયો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિશાલ પાટડીયા અને યુવતીની ઓળખ સપના સીસોણદા તરીકે થઈ છે, જેઓ સુલતાનપુર ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.