સુરેન્દ્રનગરઃ ચોટીલાના ઝીંઝુડા ગામે પ્રેમી યુગલે મોતને વ્હાલુ કર્યું, યુવતીએ લખ્યું ' યુવકને હું ભગાડી લાવી છું....'


  • Published By :
  • Published Date : 2023-11-29 22:15:23

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર પ્રેમીયુગલના મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમીજોડાએ ઘરેથી ભાગીને અહીં આવી મોતને વ્હાલુ કર્યું હતું. આ મામલે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી છુટ્યા હતા. આ પ્રેમી યુગલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે બંનેના પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.






રૂ.50ની નોટ પર લખી સ્યુસાઈડ નોટ


આ મામલાની જાણ થતાં ચોટીલા પોલીસ મથકના કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં યુગલ પાસેથી 50 રૂપિયાની ચલણી નોટ મળી આવી હતી, જેના પર લખાણ મળી આવ્યું હતું કે, યુવકને હું ભગાડી ગઈ છું. યુવક મને નથી ભગાડી ગયો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિશાલ પાટડીયા અને યુવતીની ઓળખ સપના સીસોણદા તરીકે થઈ છે, જેઓ સુલતાનપુર ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..