સ્વામિનારાયણ સંપ્રદાય-સનાતન વિવાદ: રાજ્ય સરકારની મધ્યસ્થી બાદ દિનેશ પ્રસાદ અને MLA ફતેસિંહ ચૌહાણના નિવેદનોએ બળતામાં ઘી હોમ્યું


  • Published By :
  • Published Date : 2023-09-11 19:19:11

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંત ચિત્રોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતનના વિવાદ સર્જાયો હતો. આ ઝગડાના અંત માટે રાજ્યની ભાજપ સરકારે અંગત રસ લીધો હતો, અને રાજ્ય સરકારની મધ્યસ્થીથી આ ભીંત ચિત્રોને હટાવી લેવાયામાં આવ્યા હતા અને આ મામલો શાંત થયો હતો. જો કે તાજેતરમાં ભાજપના નેતાઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે અનુયાયીઓ દ્વારા જે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે તે જોતા મામલો હમણા ઠારે પડે તેવું લાગતું નથી. તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલે  એક વીડિયોમાં સનાતન ધર્મ વિશે બફાટ કર્યો હતો. તો જાણે તેમને જવાબ આપતા હોય તેમ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સ્વામિનારાયણ સંપ્રદાય પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. આ બંનેના વિવાદાસ્પદ નિવેદનોએ રાજ્ય સરકારના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે. હાલ જે પ્રકારની પરિસ્થિતી જોવા મળી રહી છે તે જોતા એવું જણાય છે કે 'બાત નિકલી હૈ તો દુર તક જાયેગી'!


દિનેશ પ્રસાદે શું બફાટ કર્યો હતો


દિનેશ પ્રસાદ નામના આ કથિત સાધુએ સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. આ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે "સનાતનના દેવી દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે તેમજ સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મથી નારાજ થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી- દેવતા સાથે કોઈ લેવા દેવા નથી તેમજ આપણે અલગ ધર્મ બનાવવાનો છે અને હિંદુ ધર્મના એવા લોકો કે જે દેવી દેવતાને માનતા ન હોય તેમજ સનાતની સિવાય બધા ધર્મના લોકોને સ્વામીનારાયણ ભગવાન સ્વીકારશે. વીડિયોમાં આગળ બોલતા આચર્ય દિનેશ પ્રસાદ કહ્યું છે કે બીજા અન્ય ધર્મના લોકોએ મને ફોન કરીને મારી પાસે આવો, તમારા દુઃખ તેમજ રોગ બધું જ ભગવાન કાઢી આપશે. હવે સનાતન ધર્મવાળા કોઈએ પણ મારી બાજુ ફરકવાનું નથી. ભગવાનની આજ્ઞા સિવાય બધા સંપ્રદાયો બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે."


દિનેશ પ્રસાદે અંતે માફી માગવી પડી


સનાતન ધર્મ વિશે  વીડિયોમાં બફાટ કર્યા બાદ અંતે દિનેશ પ્રસા માફી માગવી પડી હતી. તેમણે ખુલાસો આપતા કહ્યુ છે કે, ‘મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા શરીરમાં આવીને બોલાવી જાય છે. જ્યારે ભગવાનની વાત કરવાની હોય છે, ત્યારે આ અસુરી શક્તિઓ આવી મારી પાસે નેગેટિવ બોલાવી જાય છે. આચાર્ય દિનેશ પ્રસાદની પદવી માત્ર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપ છે.’


MLA ફતેસિંહ ચૌહાણે કર્યો વાણી વિલાસ


કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું જાહેર મંચ પર આપેલું નિવેદન સામે આવી રહ્યું છે. પોતાના મતવિસ્તારના કાર્યક્રમમાં તેઓ સ્ટેજ પરથી તેમણે કહ્યું, એના મંદિરમાં કોઈ દાડો જય નહીં બોલવાનું.  હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે 'ના' કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે.


શું વિવાદ શાંત થશે?


રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક વગદાર પંથ મનાય છે. રાજ્ય સરકારે પણ હિંદુઓમાં એકતા જળવાઈ રહે અને કોઈ પ્રકારનું વૈમનસ્ય પેદા ન થાય તે માટે આ VHP આગેવાનો અને સનાતન ધર્મના અગ્રણીઓને આગળ કરીને ઘીના ઠામમાં ઘી પડે તે માટે પ્રયાસો કર્યા હતા. આ પ્રયત્નો ઘણા અંશે સફળ પણ રહ્યા હતા. જો કે હવે રહી રહીને બંને વર્ગના લોકો દ્વારા જે પ્રકારે ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવી રહ્યા છે તે જોતા વિવાદ હાલ શાંત થાય તેવું જણાઈ રહ્યું નથી, ઉલટાનું આ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.