ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈ તંત્ર એલર્ટ! વિકટ પરિસ્થિતિ પહેલા કચ્છમાં શરૂ કરાયું સ્થળાંતર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-12 17:34:38

જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ બિપોરજોય વાવાઝોડું વિકરાળ તેમજ ભયજનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે તો તેજગતિથી પવન પણ વહી રહ્યો છે. અનેક બંદરો પર ભયાવહ સિગ્નલ લાગુ કરવામાં આવ્યા છે. સૌથી વધારે સંકટ કચ્છ પર તોળાઈ રહ્યું છે. કચ્છમાં વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કચ્છના અનેક વિસ્તારોમાં વસતા લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવી રહ્યું છે. 20 જેટલા ગામોમાં વસતા લોકોને નજીકના સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે કચ્છની તમામ શાળાઓમાં થોડા દિવસો સુધી રજા જાહેર કરવામાં આવી છે.  


20 જેટલા ગામોના લોકોનું કરાશે સ્થળાંતર

વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર એકદમ એલર્ટ દેખાઈ રહ્યું છે. અનેક બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી ખાતે ટકરાઈ શકે છે. વાવાઝોડાને પગલે પીએમ ઓફિસથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તે સિવાય અનેક જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. દરિયા ગાંડો બની રહ્યો છે. ત્યારે કચ્છના જખૌના કાંઠાળ વિસ્તારના ગામોથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અંદાજીત 20 ગામોના લોકોનું સ્થાળાંતર શરૂ કરવામાં આવ્યું છે.    


પોતાના જીવને જોખમમાં રાખી NDRFની ટીમ બચાવે છે લોકોના જીવ!

દેશના કોઈ જગ્યા પર જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે દેવદૂત બની રેસ્ક્યુ કરવા એનડીઆરએફની ટીમ પહોંચી જતી હોય છે. ખતરાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને સમજાવાય છે કે સ્થળાંતર કરવું તેમના જીવન માટે જરૂરી છે. પરંતુ લોકો પોતાની ઝુંપડીને છોડવા તૈયાર નથી હોતા. તે સમજે છે કે જો તેઓ બીજી જગ્યા પર જશે તો કેવી રીતે પોતાનું જીવન ગુજારો કરશે. પૈસા બધા માટે મહત્વના છે પરંતુ જીવન કરતા તો મુલ્યવાન નથીને. આ વાત સ્થાળાંતર કરતા લોકોએ પણ સમજવી પડશે અને એનડીઆરએફની ટીમ તમારા હીત માટે જ કહી રહ્યા છે.          



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?