ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈ તંત્ર એલર્ટ! વિકટ પરિસ્થિતિ પહેલા કચ્છમાં શરૂ કરાયું સ્થળાંતર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-12 17:34:38

જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ બિપોરજોય વાવાઝોડું વિકરાળ તેમજ ભયજનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે તો તેજગતિથી પવન પણ વહી રહ્યો છે. અનેક બંદરો પર ભયાવહ સિગ્નલ લાગુ કરવામાં આવ્યા છે. સૌથી વધારે સંકટ કચ્છ પર તોળાઈ રહ્યું છે. કચ્છમાં વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કચ્છના અનેક વિસ્તારોમાં વસતા લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવી રહ્યું છે. 20 જેટલા ગામોમાં વસતા લોકોને નજીકના સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે કચ્છની તમામ શાળાઓમાં થોડા દિવસો સુધી રજા જાહેર કરવામાં આવી છે.  


20 જેટલા ગામોના લોકોનું કરાશે સ્થળાંતર

વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર એકદમ એલર્ટ દેખાઈ રહ્યું છે. અનેક બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી ખાતે ટકરાઈ શકે છે. વાવાઝોડાને પગલે પીએમ ઓફિસથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તે સિવાય અનેક જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. દરિયા ગાંડો બની રહ્યો છે. ત્યારે કચ્છના જખૌના કાંઠાળ વિસ્તારના ગામોથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અંદાજીત 20 ગામોના લોકોનું સ્થાળાંતર શરૂ કરવામાં આવ્યું છે.    


પોતાના જીવને જોખમમાં રાખી NDRFની ટીમ બચાવે છે લોકોના જીવ!

દેશના કોઈ જગ્યા પર જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે દેવદૂત બની રેસ્ક્યુ કરવા એનડીઆરએફની ટીમ પહોંચી જતી હોય છે. ખતરાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને સમજાવાય છે કે સ્થળાંતર કરવું તેમના જીવન માટે જરૂરી છે. પરંતુ લોકો પોતાની ઝુંપડીને છોડવા તૈયાર નથી હોતા. તે સમજે છે કે જો તેઓ બીજી જગ્યા પર જશે તો કેવી રીતે પોતાનું જીવન ગુજારો કરશે. પૈસા બધા માટે મહત્વના છે પરંતુ જીવન કરતા તો મુલ્યવાન નથીને. આ વાત સ્થાળાંતર કરતા લોકોએ પણ સમજવી પડશે અને એનડીઆરએફની ટીમ તમારા હીત માટે જ કહી રહ્યા છે.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.