ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈ તંત્ર એલર્ટ! વિકટ પરિસ્થિતિ પહેલા કચ્છમાં શરૂ કરાયું સ્થળાંતર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-12 17:34:38

જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ બિપોરજોય વાવાઝોડું વિકરાળ તેમજ ભયજનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે તો તેજગતિથી પવન પણ વહી રહ્યો છે. અનેક બંદરો પર ભયાવહ સિગ્નલ લાગુ કરવામાં આવ્યા છે. સૌથી વધારે સંકટ કચ્છ પર તોળાઈ રહ્યું છે. કચ્છમાં વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કચ્છના અનેક વિસ્તારોમાં વસતા લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવી રહ્યું છે. 20 જેટલા ગામોમાં વસતા લોકોને નજીકના સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે કચ્છની તમામ શાળાઓમાં થોડા દિવસો સુધી રજા જાહેર કરવામાં આવી છે.  


20 જેટલા ગામોના લોકોનું કરાશે સ્થળાંતર

વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર એકદમ એલર્ટ દેખાઈ રહ્યું છે. અનેક બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી ખાતે ટકરાઈ શકે છે. વાવાઝોડાને પગલે પીએમ ઓફિસથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તે સિવાય અનેક જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. દરિયા ગાંડો બની રહ્યો છે. ત્યારે કચ્છના જખૌના કાંઠાળ વિસ્તારના ગામોથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અંદાજીત 20 ગામોના લોકોનું સ્થાળાંતર શરૂ કરવામાં આવ્યું છે.    


પોતાના જીવને જોખમમાં રાખી NDRFની ટીમ બચાવે છે લોકોના જીવ!

દેશના કોઈ જગ્યા પર જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે દેવદૂત બની રેસ્ક્યુ કરવા એનડીઆરએફની ટીમ પહોંચી જતી હોય છે. ખતરાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને સમજાવાય છે કે સ્થળાંતર કરવું તેમના જીવન માટે જરૂરી છે. પરંતુ લોકો પોતાની ઝુંપડીને છોડવા તૈયાર નથી હોતા. તે સમજે છે કે જો તેઓ બીજી જગ્યા પર જશે તો કેવી રીતે પોતાનું જીવન ગુજારો કરશે. પૈસા બધા માટે મહત્વના છે પરંતુ જીવન કરતા તો મુલ્યવાન નથીને. આ વાત સ્થાળાંતર કરતા લોકોએ પણ સમજવી પડશે અને એનડીઆરએફની ટીમ તમારા હીત માટે જ કહી રહ્યા છે.          



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.