T-20 World Cup 2024 : IND અને England વચ્ચે રોમાંચક મેચ, સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને આપ્યો આટલા રનથી પરાજય, આ તારીખે રમાશે ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-06-28 12:09:43

હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ મેચને જોવાનો ક્રેઝ ક્રિકેટ ચાહકોમાં અલગ જ હોય છે.. અને એમાં પણ જો ભારતની મેચ હોય તો તો વાત અલગ જ છે. ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાઈ હતી. ભારતના ખેલાડીઓએ ઈંગ્લેન્ડના ખેલાડીઓને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 20 ઓવરમાં ભારતીય ટીમે 171 રન બનાવ્યા હતા સાત વિકેટ ગુમાવીને... ટાર્ગેટ 172નો હતો પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઈન્ડિયાની જીત થઈ ગઈ..

 

68 રનથી ભારતની ટીમનો વિજય થયો

ક્રિકેટના ચાહકો માટે ટી 20 વર્લ્ડ કપ જોવાનો ક્રેઝ અલગ જ હોય છે.. ભારતમાં મોટા ભાગના લોકોને જો તમે પૂછશો કે તમને કઈ રમત ગમે તો તે કહેશે ક્રિકેટ. એમાં પણ જો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય તો તો વાત જ અલગ છે માહોલ જ અલગ  છે.. હાલ ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ગઈકાલે બીજી સેમિ ફાઈનલ મેચ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ હતી જેમાં ભારતની ટીમે 68 રનથી જીત મેળવી છે. 


29 તારીખે છે ફાઈનલ મેચ 

રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી જ્યારે સૂર્યકુમાર યાદવે પણ ટીમને જીતાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે 36 બોલમાં 47 રન બનાવ્યા.. કુલદીપ યાદવે પણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ગુરૂવારે રમાયેલી મેચ એકદમ રોમાંચક હતી. 29 તારીખે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે. બધાની નજર આ મેચ પર રહેવાની છે.ત્યારે તમને ગઈકાલની મેચ કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.