T-20 World Cup 2024 : IND અને England વચ્ચે રોમાંચક મેચ, સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને આપ્યો આટલા રનથી પરાજય, આ તારીખે રમાશે ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-06-28 12:09:43

હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ મેચને જોવાનો ક્રેઝ ક્રિકેટ ચાહકોમાં અલગ જ હોય છે.. અને એમાં પણ જો ભારતની મેચ હોય તો તો વાત અલગ જ છે. ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાઈ હતી. ભારતના ખેલાડીઓએ ઈંગ્લેન્ડના ખેલાડીઓને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 20 ઓવરમાં ભારતીય ટીમે 171 રન બનાવ્યા હતા સાત વિકેટ ગુમાવીને... ટાર્ગેટ 172નો હતો પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઈન્ડિયાની જીત થઈ ગઈ..

 

68 રનથી ભારતની ટીમનો વિજય થયો

ક્રિકેટના ચાહકો માટે ટી 20 વર્લ્ડ કપ જોવાનો ક્રેઝ અલગ જ હોય છે.. ભારતમાં મોટા ભાગના લોકોને જો તમે પૂછશો કે તમને કઈ રમત ગમે તો તે કહેશે ક્રિકેટ. એમાં પણ જો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય તો તો વાત જ અલગ છે માહોલ જ અલગ  છે.. હાલ ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ગઈકાલે બીજી સેમિ ફાઈનલ મેચ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ હતી જેમાં ભારતની ટીમે 68 રનથી જીત મેળવી છે. 


29 તારીખે છે ફાઈનલ મેચ 

રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી જ્યારે સૂર્યકુમાર યાદવે પણ ટીમને જીતાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે 36 બોલમાં 47 રન બનાવ્યા.. કુલદીપ યાદવે પણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ગુરૂવારે રમાયેલી મેચ એકદમ રોમાંચક હતી. 29 તારીખે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે. બધાની નજર આ મેચ પર રહેવાની છે.ત્યારે તમને ગઈકાલની મેચ કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે