ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ થઈ જાહેર, બુમરાહ-હર્ષલની ટીમમાં વાપસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:17:18

ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે 12 સપ્ટેમ્બરે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મેગા ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરી. સોમવારે બપોરે પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ હશે. મુખ્ય ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નથી. તેને અને દીપક ચાહરને રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈને પણ રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપની ફાઈનલ ફિફ્ટીનનો ભાગ નથી, પરંતુ સારી વાત એ છે કે ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે. એશિયા કપ 2022 માટે ટીમમાં સ્થાન પામેલા રવિ બિશ્નોઈ અને આવેશ ખાન આ વખતે ટીમમાંથી બહાર છે. બાકીના 13 ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી, ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ ફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને પણ મુખ્ય ટીમમાં રાખવામાં આવ્યો છે. 


ICC T20 વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.


સ્ટેન્ડબાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચાહર.


ઓસ્ટ્રેલિયા T20I સિરીઝ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ.


દક્ષિણ આફ્રિકા T20Is સિરીઝ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.


ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ રવિવાર 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. બંને ટીમો ગ્રુપ 2 નો ભાગ છે. પાકિસ્તાન પછી, ભારતે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સિવાય બે અન્ય ટીમો સામે ટકરાવાનું છે, જેની જાહેરાત ગ્રુપ સ્ટેજની મેચો પછી કરવામાં આવશે. મુખ્ય મેચો પહેલા ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ પણ રમશે.




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.