ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ થઈ જાહેર, બુમરાહ-હર્ષલની ટીમમાં વાપસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:17:18

ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે 12 સપ્ટેમ્બરે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મેગા ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરી. સોમવારે બપોરે પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ હશે. મુખ્ય ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નથી. તેને અને દીપક ચાહરને રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈને પણ રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપની ફાઈનલ ફિફ્ટીનનો ભાગ નથી, પરંતુ સારી વાત એ છે કે ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે. એશિયા કપ 2022 માટે ટીમમાં સ્થાન પામેલા રવિ બિશ્નોઈ અને આવેશ ખાન આ વખતે ટીમમાંથી બહાર છે. બાકીના 13 ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી, ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ ફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને પણ મુખ્ય ટીમમાં રાખવામાં આવ્યો છે. 


ICC T20 વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.


સ્ટેન્ડબાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચાહર.


ઓસ્ટ્રેલિયા T20I સિરીઝ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ.


દક્ષિણ આફ્રિકા T20Is સિરીઝ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.


ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ રવિવાર 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. બંને ટીમો ગ્રુપ 2 નો ભાગ છે. પાકિસ્તાન પછી, ભારતે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સિવાય બે અન્ય ટીમો સામે ટકરાવાનું છે, જેની જાહેરાત ગ્રુપ સ્ટેજની મેચો પછી કરવામાં આવશે. મુખ્ય મેચો પહેલા ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ પણ રમશે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.