કાલે ભારત V/S પાકિસ્તાન મુકાબલો, કઈ ટીમનું પલડું ભારે, વરસાદની શક્યતા કેટલી, જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 21:09:58


ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચની બંને દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હાઈવોલ્ટેજ મેચ આવતી કાલે રવિવાર 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો જોરદાર તૈયારી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મહિનામાં આ ત્રીજો મુકાબલો હશે. 


વરસાદ વિઘ્નરૂપ બને તેવી આશંકા


આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારી આ મેચ પર વરસાદી પાણી ફરી વળે તેની સંભાવના છે.  હવામાન વિભાગે પણ મીની ફ્લડ એલર્ટ આપ્યું છે. આ જ કારણે ટીમ ઈન્ડિયાએ પણ ઈન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. હવે જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે, તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે. સારા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિડનીમાં રમાયેલી મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી,પણ વરસાદ ન પડ્યો અને મેચ રમાઈ હતી.


T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ સારો 


T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 6 વખત ટકરાયા છે. જેમાં ભારતને 5 મેચમાં, જ્યારે પાકિસ્તાનને 1 મેચમાં જીત મળી છે. T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે ઓવરઓલ 11 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી. તે ઉપરાત ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.