કાલે ભારત V/S પાકિસ્તાન મુકાબલો, કઈ ટીમનું પલડું ભારે, વરસાદની શક્યતા કેટલી, જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 21:09:58


ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચની બંને દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હાઈવોલ્ટેજ મેચ આવતી કાલે રવિવાર 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો જોરદાર તૈયારી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મહિનામાં આ ત્રીજો મુકાબલો હશે. 


વરસાદ વિઘ્નરૂપ બને તેવી આશંકા


આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારી આ મેચ પર વરસાદી પાણી ફરી વળે તેની સંભાવના છે.  હવામાન વિભાગે પણ મીની ફ્લડ એલર્ટ આપ્યું છે. આ જ કારણે ટીમ ઈન્ડિયાએ પણ ઈન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. હવે જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે, તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે. સારા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિડનીમાં રમાયેલી મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી,પણ વરસાદ ન પડ્યો અને મેચ રમાઈ હતી.


T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ સારો 


T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 6 વખત ટકરાયા છે. જેમાં ભારતને 5 મેચમાં, જ્યારે પાકિસ્તાનને 1 મેચમાં જીત મળી છે. T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે ઓવરઓલ 11 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી. તે ઉપરાત ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.