તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ‘મિસિસ સોઢી’એ પ્રોડ્યૂસર અસિત મોદી સામે લગાવ્યો આ ગંભીર આરોપ, 15 વર્ષ બાદ શોને કર્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-05-11 17:12:42

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, ટીવી સિરીયલમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીનો રોલ નિભાવનાર‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર જાતીય સતામણી જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ શોના અન્ય એક કલાકાર શૈલેષ લોઢાએ પણ નિર્માતા અસિત મોદી પર ફી નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.


જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી


જેનીફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યૂસર અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે અસિત કુમાર મોદી ઉપરાંત પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી તથા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ કરાવી છે. 


15 વર્ષોથી થઈ રહ્યું છે શોષણ


જેનીફરે જણાવ્યું કે 15 વર્ષોથી થઈ રહેલા શોષણ અંગે જણાવ્યું કે 7 માર્ચે તેમની સાથે કાંઈક એવું થયું કે તે ભૂલી નહીં શકે. તેમણે કહ્યું કે માર્ચ 6 ના રોજ તેમની એનિવર્સરી હતી, જે દિવસે આ ઘટના થઈ. મને ઘરે જવા દેવામાં આવી નહોંતી અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મેકર્સે મારી કારને રોકી અને મને ધમકી આપી હતી. મેં કહ્યું કે હું છેલ્લા 15 વર્ષથી સીરિયલમાં કામ કરી રહ્યું છું. તમે મારી સાતે આવું ન કરી શકો, પછી તે લોકોએ મને ડરાવી અને ધમકાવી. આ કારણે મેં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.