તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ‘મિસિસ સોઢી’એ પ્રોડ્યૂસર અસિત મોદી સામે લગાવ્યો આ ગંભીર આરોપ, 15 વર્ષ બાદ શોને કર્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-05-11 17:12:42

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, ટીવી સિરીયલમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીનો રોલ નિભાવનાર‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર જાતીય સતામણી જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ શોના અન્ય એક કલાકાર શૈલેષ લોઢાએ પણ નિર્માતા અસિત મોદી પર ફી નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.


જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી


જેનીફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યૂસર અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે અસિત કુમાર મોદી ઉપરાંત પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી તથા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ કરાવી છે. 


15 વર્ષોથી થઈ રહ્યું છે શોષણ


જેનીફરે જણાવ્યું કે 15 વર્ષોથી થઈ રહેલા શોષણ અંગે જણાવ્યું કે 7 માર્ચે તેમની સાથે કાંઈક એવું થયું કે તે ભૂલી નહીં શકે. તેમણે કહ્યું કે માર્ચ 6 ના રોજ તેમની એનિવર્સરી હતી, જે દિવસે આ ઘટના થઈ. મને ઘરે જવા દેવામાં આવી નહોંતી અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મેકર્સે મારી કારને રોકી અને મને ધમકી આપી હતી. મેં કહ્યું કે હું છેલ્લા 15 વર્ષથી સીરિયલમાં કામ કરી રહ્યું છું. તમે મારી સાતે આવું ન કરી શકો, પછી તે લોકોએ મને ડરાવી અને ધમકાવી. આ કારણે મેં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.