તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ‘મિસિસ સોઢી’એ પ્રોડ્યૂસર અસિત મોદી સામે લગાવ્યો આ ગંભીર આરોપ, 15 વર્ષ બાદ શોને કર્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-05-11 17:12:42

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, ટીવી સિરીયલમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીનો રોલ નિભાવનાર‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર જાતીય સતામણી જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ શોના અન્ય એક કલાકાર શૈલેષ લોઢાએ પણ નિર્માતા અસિત મોદી પર ફી નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.


જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી


જેનીફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યૂસર અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે અસિત કુમાર મોદી ઉપરાંત પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી તથા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ કરાવી છે. 


15 વર્ષોથી થઈ રહ્યું છે શોષણ


જેનીફરે જણાવ્યું કે 15 વર્ષોથી થઈ રહેલા શોષણ અંગે જણાવ્યું કે 7 માર્ચે તેમની સાથે કાંઈક એવું થયું કે તે ભૂલી નહીં શકે. તેમણે કહ્યું કે માર્ચ 6 ના રોજ તેમની એનિવર્સરી હતી, જે દિવસે આ ઘટના થઈ. મને ઘરે જવા દેવામાં આવી નહોંતી અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મેકર્સે મારી કારને રોકી અને મને ધમકી આપી હતી. મેં કહ્યું કે હું છેલ્લા 15 વર્ષથી સીરિયલમાં કામ કરી રહ્યું છું. તમે મારી સાતે આવું ન કરી શકો, પછી તે લોકોએ મને ડરાવી અને ધમકાવી. આ કારણે મેં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી