તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, GPSCની મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની પરીક્ષા હવે આ તારીખે યોજાશે


  • Published By :
  • Published Date : 2023-06-16 21:42:24

સરકારી નોકરી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ પરીણામની કાગડોળે રાહ જોતા હોય છે. રાજ્યમાં યોજાયેલી તલાટી તથા જુનિયર ક્લાર્કની ભરતી પરિક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યું છે. આ બંને પરીક્ષાનું પરિણામ આજે એક સાથે જાહેર કરી દેવામાં આવતા ઉમેદવારોમાં સુ:ખદ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


9 એપ્રિલના રોજ યોજાઈ હતી જૂનિયર કલાર્કની પરીક્ષા


પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ લેવાયેલી જૂનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યનાં 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી. વિદ્યાર્થીઓ છેલ્લા લાંબા સમયથી આ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. સરકારે સત્તાવાર પરિણામો જાહેર કર્યા છે. જુનિયર કલાર્કના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પણ પરિણામ જોઈ શકશે.


તલાટીની પરીક્ષા 7 મેના રોજ લેવામાં આવી હતી


ગુજરાતમાં તલાટીની પરીક્ષા 7 મેના રોજ ગુજરાતમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 3470 તલાટીની જગ્યા પર લેવાયેલી પરીક્ષામં 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની જવાબદારી પણ ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની સોંપવામાં આવી હતી. આ પરીક્ષા પણ તેમના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ વિવાદ વગર પૂર્ણ થઈ હતી. ત્યારે આજે આ પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તલાટીના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકશે.


GPSCની પરીક્ષાની નવી તારીખ જાહેર


અત્રે ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને કારણે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, GPSCએ મોકુફ રાખેલી મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતી ભાષાનું પેપર 23 જુનના રોજ અને અંગ્રેજી ભાષાનુ પેપર 24 જૂનના રોજ લેવાશે. GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોકૂફ કરવામાં આવેલા સિવાયની પરીક્ષા જેમાં પ્રશ્નપત્ર 3, 4 અને 5ની પરીક્ષા અગાઉથી જ નિર્ધારીત સમય અને તારીખ પ્રમાણે એટલે કે 21 જૂન 2023 અને 23 જૂન 2023ના રોજ આયોજીત થશે. ટૂંકમાં આ પરીક્ષા સમયસર જ લેવામાં આવશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.