તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, GPSCની મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની પરીક્ષા હવે આ તારીખે યોજાશે


  • Published By :
  • Published Date : 2023-06-16 21:42:24

સરકારી નોકરી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ પરીણામની કાગડોળે રાહ જોતા હોય છે. રાજ્યમાં યોજાયેલી તલાટી તથા જુનિયર ક્લાર્કની ભરતી પરિક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યું છે. આ બંને પરીક્ષાનું પરિણામ આજે એક સાથે જાહેર કરી દેવામાં આવતા ઉમેદવારોમાં સુ:ખદ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


9 એપ્રિલના રોજ યોજાઈ હતી જૂનિયર કલાર્કની પરીક્ષા


પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ લેવાયેલી જૂનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યનાં 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી. વિદ્યાર્થીઓ છેલ્લા લાંબા સમયથી આ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. સરકારે સત્તાવાર પરિણામો જાહેર કર્યા છે. જુનિયર કલાર્કના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પણ પરિણામ જોઈ શકશે.


તલાટીની પરીક્ષા 7 મેના રોજ લેવામાં આવી હતી


ગુજરાતમાં તલાટીની પરીક્ષા 7 મેના રોજ ગુજરાતમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 3470 તલાટીની જગ્યા પર લેવાયેલી પરીક્ષામં 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની જવાબદારી પણ ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની સોંપવામાં આવી હતી. આ પરીક્ષા પણ તેમના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ વિવાદ વગર પૂર્ણ થઈ હતી. ત્યારે આજે આ પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તલાટીના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકશે.


GPSCની પરીક્ષાની નવી તારીખ જાહેર


અત્રે ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને કારણે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, GPSCએ મોકુફ રાખેલી મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતી ભાષાનું પેપર 23 જુનના રોજ અને અંગ્રેજી ભાષાનુ પેપર 24 જૂનના રોજ લેવાશે. GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોકૂફ કરવામાં આવેલા સિવાયની પરીક્ષા જેમાં પ્રશ્નપત્ર 3, 4 અને 5ની પરીક્ષા અગાઉથી જ નિર્ધારીત સમય અને તારીખ પ્રમાણે એટલે કે 21 જૂન 2023 અને 23 જૂન 2023ના રોજ આયોજીત થશે. ટૂંકમાં આ પરીક્ષા સમયસર જ લેવામાં આવશે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.