સંસ્કૃતિની વાત કરતી સરકારે સંસ્કૃત પાઠશાળાના આચાર્યોની જ ધરપકડ કરી!


  • Published By :
  • Published Date : 2023-02-27 14:39:06

ગુજરાત સરકાર સંસ્કૃત ભાષાને બચાવવા પ્રયત્ન કરી રહી છે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાનું રક્ષણ કરતા શિક્ષકોને પણ આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે. પોતાની પડતર માગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી વિરોધ દર્શાવ્યો હતો. સાતમા પગાર પંચ આપવાની માગ કરવામાં આવી હતી તે ઉપરાંત શિક્ષણ વિભાગના પરિપત્ર 21-10-2022ને રદ્દ કરવા જેવા વિવિધ મુદ્દાઓને લઈને સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. 


શું છે સંસ્કૃત શાળાના શિક્ષકોની માગ? 

પોતાની માગને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે લોકો વિરોધનું શસ્ત્ર ઉઠાવે છે. ત્યારે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ પણ વિરોધનું શસ્ત્ર ઉઠાવ્યું છે. બે વર્ષથી સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાંય આ અંગે કોઈ નિરાકરણ નથી આવ્યું. સંસ્કૃત પાઠશાળાના કર્મચારીઓની ભરતી કરવામાં આવે જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓના અંગ્રેજી અને કમ્પ્યુટર વિષયના ખંડ સમયના અધ્યાપકોની બજેટમાં જોગવાઈ કરી છે છતાં મંજૂરી આપવામાં આવી નથી.  તે ઉપરાંત સંસ્કૃત પાઠશાળાનું બે વિભાગમાં વિભાજન ન કરી ગુરૂકુળ પરંપરાને યથાવત રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તે સિવાય સાતમા પગાર પંચ આપવાની માગ પણ કરાઈ હતી. 


વિરોધ કરી રહેલા શિક્ષકોની કરાઈ અટકાયત 

સત્યાગ્રહ છાવણી ખાતે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ કર્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર સમક્ષ ઘણા સમયથી માગ રાખવામાં આવી હતી પરંતુ તેનું નિરાકરણ બે વર્ષથી નથી કરવામાં આવ્યું. ત્યારે વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે.          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.