સંસ્કૃતિની વાત કરતી સરકારે સંસ્કૃત પાઠશાળાના આચાર્યોની જ ધરપકડ કરી!


  • Published By :
  • Published Date : 2023-02-27 14:39:06

ગુજરાત સરકાર સંસ્કૃત ભાષાને બચાવવા પ્રયત્ન કરી રહી છે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાનું રક્ષણ કરતા શિક્ષકોને પણ આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે. પોતાની પડતર માગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી વિરોધ દર્શાવ્યો હતો. સાતમા પગાર પંચ આપવાની માગ કરવામાં આવી હતી તે ઉપરાંત શિક્ષણ વિભાગના પરિપત્ર 21-10-2022ને રદ્દ કરવા જેવા વિવિધ મુદ્દાઓને લઈને સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. 


શું છે સંસ્કૃત શાળાના શિક્ષકોની માગ? 

પોતાની માગને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે લોકો વિરોધનું શસ્ત્ર ઉઠાવે છે. ત્યારે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ પણ વિરોધનું શસ્ત્ર ઉઠાવ્યું છે. બે વર્ષથી સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાંય આ અંગે કોઈ નિરાકરણ નથી આવ્યું. સંસ્કૃત પાઠશાળાના કર્મચારીઓની ભરતી કરવામાં આવે જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓના અંગ્રેજી અને કમ્પ્યુટર વિષયના ખંડ સમયના અધ્યાપકોની બજેટમાં જોગવાઈ કરી છે છતાં મંજૂરી આપવામાં આવી નથી.  તે ઉપરાંત સંસ્કૃત પાઠશાળાનું બે વિભાગમાં વિભાજન ન કરી ગુરૂકુળ પરંપરાને યથાવત રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તે સિવાય સાતમા પગાર પંચ આપવાની માગ પણ કરાઈ હતી. 


વિરોધ કરી રહેલા શિક્ષકોની કરાઈ અટકાયત 

સત્યાગ્રહ છાવણી ખાતે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ કર્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર સમક્ષ ઘણા સમયથી માગ રાખવામાં આવી હતી પરંતુ તેનું નિરાકરણ બે વર્ષથી નથી કરવામાં આવ્યું. ત્યારે વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે.          




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.