ગૌ હત્યા અંગે તાપી જિલ્લા કોર્ટે આપ્યું નિવેદન, કહ્યું જો ગાય લુપ્ત થઈ જશે, તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે


  • Published By :
  • Published Date : 2023-01-23 16:40:10

હિંદુ ધર્મમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર અનેક દેવ-દેવતાઓનો વાસ હોય છે. ત્યારે ગાયને લઈને તાપી સેશન્સ કોર્ટે નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની છે. કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ માતા છે. જો ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.


ગાયને લઈ તાપી કોર્ટે આપ્યું નિવેદન    

અનેક લોકો ગાયને માતાનો દરજ્જો આપતા હોય છે. લોકો એવું પણ માને છે કે ગાયની અંદર દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ત્યારે તાપી સેશન્સ કોર્ટે ગાયને લઈને નિવેદન આપ્યું છે. તાપીની સેશન્સ કોર્ટે કહ્યું કે ગાય માત્ર પ્રાણી નથી પંરતુ માતા છે. ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.  જો ગાય દુ:ખી હશે તો આપણું ઘન અને સંપત્તિ ખતમ થઈ જશે. તેના છાણનો ઉપયોગ કરીને બનાવેલા ઘરો પર એટોમિક રેડિએશનની પણ અસર નથી થતી. જ્યારે ગૌમુત્રથી ઘણી બીમારીઓની સારવાર પણ થાય છે.    


આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આપ્યું નિવેદન 

આ સુનાવણી તાપી કોર્ટે ત્યારે કરી જ્યારે મહમ્મદ અમીન નામનો યુવાન ગેરકાયદેસર રીતે 16 ગાયને મહારાષ્ટ્રથી લઈ આવ્યો. તાપી કોર્ટે મહમ્મદ અમીનને ગેરકાયદેસર રીતે ગાય લઈ જવાના ગુનામાં 5 લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી છે. જજનું માનવું હતું કે જો ગૌ હત્યા અટકાવવામાં આવશે તો પૃથ્વીની તમામ સમસ્યા હલ થઈ જશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.