ગૌ હત્યા અંગે તાપી જિલ્લા કોર્ટે આપ્યું નિવેદન, કહ્યું જો ગાય લુપ્ત થઈ જશે, તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે


  • Published By :
  • Published Date : 2023-01-23 16:40:10

હિંદુ ધર્મમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર અનેક દેવ-દેવતાઓનો વાસ હોય છે. ત્યારે ગાયને લઈને તાપી સેશન્સ કોર્ટે નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની છે. કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ માતા છે. જો ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.


ગાયને લઈ તાપી કોર્ટે આપ્યું નિવેદન    

અનેક લોકો ગાયને માતાનો દરજ્જો આપતા હોય છે. લોકો એવું પણ માને છે કે ગાયની અંદર દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ત્યારે તાપી સેશન્સ કોર્ટે ગાયને લઈને નિવેદન આપ્યું છે. તાપીની સેશન્સ કોર્ટે કહ્યું કે ગાય માત્ર પ્રાણી નથી પંરતુ માતા છે. ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.  જો ગાય દુ:ખી હશે તો આપણું ઘન અને સંપત્તિ ખતમ થઈ જશે. તેના છાણનો ઉપયોગ કરીને બનાવેલા ઘરો પર એટોમિક રેડિએશનની પણ અસર નથી થતી. જ્યારે ગૌમુત્રથી ઘણી બીમારીઓની સારવાર પણ થાય છે.    


આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આપ્યું નિવેદન 

આ સુનાવણી તાપી કોર્ટે ત્યારે કરી જ્યારે મહમ્મદ અમીન નામનો યુવાન ગેરકાયદેસર રીતે 16 ગાયને મહારાષ્ટ્રથી લઈ આવ્યો. તાપી કોર્ટે મહમ્મદ અમીનને ગેરકાયદેસર રીતે ગાય લઈ જવાના ગુનામાં 5 લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી છે. જજનું માનવું હતું કે જો ગૌ હત્યા અટકાવવામાં આવશે તો પૃથ્વીની તમામ સમસ્યા હલ થઈ જશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.