તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ફરી ચર્ચામાં આવ્યો! પડતર પૈસા ન મળતા શૈલેષ લોઢાએ પ્રોડક્શન હાઉસ વિરૂદ્ધ કેસ કર્યો દાખલ!


  • Published By :
  • Published Date : 2023-04-21 13:28:57

સોની સબ આવતી લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ સમાચાર કોણ કલાકારની એન્ટ્રી કે એક્ઝિટના નથી પરંતુ તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ અસિત મોદીની પ્રોડક્શન કંપની વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી કરી છે. ત્યારે મળતી માહિતી અનુસાર પડતર પૈસા ન મળતા અસિત કુમાર મોદી વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે.  


શૈલેષ લોઢાએ કરી અસિત કુમાર વિરૂદ્ધ ફરિયાદ!

ઘણા લાંબા સમયથી ચાલતા ટિવી સિરયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અનેક કલાકારોએ અલવિદા કહી દીધું છે. દયા ભાભીનો રોલ નિભાવનાર દિશા વાકાણી અનેક વર્ષોથી શોમાં પરત ફર્યા નથી. તે સિવાય અનેક કલાકારોને રિપ્લેસ થઈ ગયા છે. તારક મહેતાનો રોલ નિભાવનાર શૈલેષ લોઢાએ થોડા સમય પહેલા જ સિરીયલને છોડી દીધી હતી. શો છોડ્યા બાદ પણ શૈલેષ લોઢા ચર્ચામાં રહ્યા હતા. અસિત કુમાર સાથે ચાલતી અનબન અનેક વખત સામે આવી છે. 


શું પ્રોડક્શન હાઉસ વિરૂદ્ધ થશે કાર્યવાહી? 

ત્યારે મળતી માહિતી અનુસાર શૈલેષ લોઢાને લગભગ એક વર્ષથી બાકી રહેલું પેમેન્ટ આપ્યું નથી. 6 મહિના સુધી રાહ જોયા બાદ પણ પેમેન્ટ ના મળતાં તેઓ કાયદસેરની કાર્યવાહી અસિત મોદીની પ્રોડક્શન કંપની વિરૂદ્ધ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની પાસે ગયા અને આ મામલે કાર્યવાહી કરી હતી. અસિત કુમારે અત્યાર સુધી સેલેરી નથી આપી જે મામલે આવતા મહિને સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.