તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ફરી ચર્ચામાં આવ્યો! પડતર પૈસા ન મળતા શૈલેષ લોઢાએ પ્રોડક્શન હાઉસ વિરૂદ્ધ કેસ કર્યો દાખલ!


  • Published By :
  • Published Date : 2023-04-21 13:28:57

સોની સબ આવતી લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ સમાચાર કોણ કલાકારની એન્ટ્રી કે એક્ઝિટના નથી પરંતુ તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ અસિત મોદીની પ્રોડક્શન કંપની વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી કરી છે. ત્યારે મળતી માહિતી અનુસાર પડતર પૈસા ન મળતા અસિત કુમાર મોદી વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે.  


શૈલેષ લોઢાએ કરી અસિત કુમાર વિરૂદ્ધ ફરિયાદ!

ઘણા લાંબા સમયથી ચાલતા ટિવી સિરયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અનેક કલાકારોએ અલવિદા કહી દીધું છે. દયા ભાભીનો રોલ નિભાવનાર દિશા વાકાણી અનેક વર્ષોથી શોમાં પરત ફર્યા નથી. તે સિવાય અનેક કલાકારોને રિપ્લેસ થઈ ગયા છે. તારક મહેતાનો રોલ નિભાવનાર શૈલેષ લોઢાએ થોડા સમય પહેલા જ સિરીયલને છોડી દીધી હતી. શો છોડ્યા બાદ પણ શૈલેષ લોઢા ચર્ચામાં રહ્યા હતા. અસિત કુમાર સાથે ચાલતી અનબન અનેક વખત સામે આવી છે. 


શું પ્રોડક્શન હાઉસ વિરૂદ્ધ થશે કાર્યવાહી? 

ત્યારે મળતી માહિતી અનુસાર શૈલેષ લોઢાને લગભગ એક વર્ષથી બાકી રહેલું પેમેન્ટ આપ્યું નથી. 6 મહિના સુધી રાહ જોયા બાદ પણ પેમેન્ટ ના મળતાં તેઓ કાયદસેરની કાર્યવાહી અસિત મોદીની પ્રોડક્શન કંપની વિરૂદ્ધ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની પાસે ગયા અને આ મામલે કાર્યવાહી કરી હતી. અસિત કુમારે અત્યાર સુધી સેલેરી નથી આપી જે મામલે આવતા મહિને સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી