શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષા મોકૂફ, હવે આ તારીખે યોજાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-14 16:46:04

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો તખરો તોળાઈ રહ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાથી સૌથી નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું આજે અને કાલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે કહેર વર્તાવી શકે છે. 15 જૂનના રોજ વાવાઝોડું જખૌ પોર્ટ નજીક લેન્ડ ફોલ કરશે અને તેની અસર 6 કલાક સુધી રહી શકે છે. આ જ કારણે શિક્ષણ વિભાગે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.


શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે કર્યું ટ્વીટ


શિક્ષણ વિભાગે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષાઆગામી તા.18 જૂનના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા તા.25 જૂનના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે ટ્વીટરના માધ્યમથી પરીક્ષા મોકુફીના સરકારના નિર્ણય અંગે જાણકારી આપી હતી.


ઉમેદવારો માટે હિતકારી નિર્ણય


રાજ્યના શિક્ષણ વિભાગના આ મહત્વના નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.