રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-HS મેઈન્સનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે રિઝલ્ટ


  • Published By :
  • Published Date : 2023-11-28 19:05:48

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) મેઈન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 243 કેન્દ્રોમાં 43,933 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારો પરિણામ સત્તાવાર પોર્ટલ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પરથી જોઈ શકશે. હવે TAT-HS મેઈન્સનું  પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જ્ઞાન સહાયકની ભરતી માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. 


ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારો


TAT હાયર સેકન્ડરીની પરીક્ષામાં 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા હતા. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની  43,933 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.


70 થી વધુ ગુણ મેળવનારાઓની મેઈન્સ માટે પસંદગી


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ માટે પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે સમગ્ર રાજ્યના 43,933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.