ઠરાવ વગર TAT પાસ ઉમેદવારોની ભરતી અધ્ધરતાલ, સરકાર સત્વરે નિર્ણય લે તેવી શિક્ષણ મંત્રીને રજુઆત


  • Published By :
  • Published Date : 2023-02-13 21:43:22

રાજ્ય સરકાર દ્વારા TAT પાસ ઉમેદવારોની ભરતી કરવા માટે કોઈ ઠરાવ કરવામાં ન આવતા તેમની ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. આ માટે TAT પાસ ઉમેદવારોએ ફરી શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ઉમેદવારોએ TATના પ્રમાણપત્રની સમયમર્યાદા વધારવા મુદ્દે પણ ઉમેદવારો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે સરકાર દ્વારા  ત્યારે ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે કે TATના પ્રમાણપત્ર સબંધિત ઠરાવ પસાર કરી ભરતી પ્રક્રિયા કરવામાં આવે. ઉમેદવારોએ ધોરણ 9 થી 12 માં 10 હજાર જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ કરી છે. આ બાબતે અગાઉ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઠરાવ પસાર કરી ઉમેદવારોને આશ્વાસન આપ્યું હતું.  જો  કે આશ્વાસન આપ્યું હોવા છતાં પણ ઠરાવ પસાર ન થતા ભરતી પ્રક્રિયા અધ્ધરતાલ થઈ છે.  


જીતુ વાઘાણીએ કહ્યું પણ TAT ઠરાવ ન કર્યો


ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી આ બાબતે ટાટ પાસ ઉમેદવાર  ઉમેદવારોએ તેમની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે અમે છેલ્લા બે વર્ષથી શિક્ષણમંત્રીને આ રજૂઆત કરી રહ્યાં છીએ.  અમારી TAT ભરતી TAT વેલીડીટીના ઠરાવના કારણે અટકી છે. જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી  હતા. ત્યારે તેઓએ માર્ચ 2022 માં TAT પ્રમાણ પત્રની વેલીડીટી વધારવામાં આવી છે તેવું કહ્યું છે. જો કે આજ સુધી તે અંગે કોઈ  ઠરાવ થયો નથી. તેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ ઠરાવ ઝડપથી કરવામાં આવે અને અમારી અટકી પડેલી ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી છે. ઉમેદવારો તેમની આ આજીજી સરકાર સાંભળે અને સત્વરે કાર્યવાહી કરે તેવી વિનંતી કરી રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.