તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર, પિતા પ્રજ્ઞેશ પટેલને 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા


  • Published By :
  • Published Date : 2023-07-21 22:43:04

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, મિરઝાપુર કોર્ટે સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપી તથ્યને કોર્ટમાં રજૂ કરવાની વાતને લઈને મોટી સંખ્યામાં લોકો મિરઝાપુર કોર્ટ બહાર પહોંચ્યા હતા. જેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી તથ્ય પટેલે બેફામ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા હતા.


પબ્લિક પ્રોસિક્યુટરે કરી આ દલીલ 


ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપી તથ્ય પટેલના 5 દિવસના રીમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પુરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની તપાસની પણ જરૂર હોવાનું તેમણે કહ્યું. આ સાથે જ આરોપીના મોબાઈલ ફોનની તપાસ પણ જરૂરી હોવાની દલીલ કરાઇ હતી. એવી દલીલ પણ કરાઇ હતી કે આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સાથે જ આરોપી કઇ રેસ્ટોરન્ટમાંથી આવ્યો તેની તપાસ પણ જરૂર હોવાનું કહેવાયું હતું.


આરોપીના વકીલ નિસાર વૈદ્યે શું દલીલો કરી?


આરોપીના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે આરોપીને માર માર્યો તેનો વિડિયો છે પણ માર મારવા સામે કોઈ ફરિયાદ નહી. અનેક રજૂઆત કરી પણ ફરિયાદ ન લેવાઇ. કોર્ટ ને વિનંતી કે અમારી ફરિયાદ પણ લેવામાં આવે પિતા વિરુદ્ધ આરોપ લગાવ્યો કે ગાળો બોલી પરંતુ તેવો એક પણ વીડિયો નથી , અને ગાળો બોલવા સામે કોઇ કલમ નથી, આરોપી તથ્યના વકીલે દલીલ કરી કે આરોપીના મૂળભૂત હકોનું હનન થઇ રહ્યું છે.


આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું કે 19 વર્ષનો છોકરો સીમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેની પર મીડિયા ટ્રાયલ થયું. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને માર્યો. ઘટના સ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવાયા. મરનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. આરોપીના માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટના સ્થળે ગયા. આરોપીના વકીલે એવી પણ દલીલ કરી કે રાત્રે 12.30 બનાવ બને છે. ત્યાં એક એક્સિડેન્ટ પહેલાથી હતો પરંતુ પોલીસે ડાયવર્ઝન કે બેરીકેડ મૂક્યા ન હતા. તેમણે કહ્યું કે આ કાવતરુ કે મર્ડર નથી. કારમાં જે-જે હતા તે લોકો તો સામેથી હાજર થયા છે.


આરોપી તથ્યના વકીલે દલીલ કરી હતી કે, આરોપીને આખા રસ્તામાં કેટલી સ્પીડે ગાડી ચાલી તે ન કહી શકે. આરોપી કહે કે 20ની સ્પીડે ચાલતી હતી તો કોર્ટ માનશે? આ માટે FSLની ટીમ છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં ડેમોસ્ટ્રેશન કર્યું છે. આવી સત્તા પોલીસ પાસે નથી, નહીંતર તમે અને હું શા માટે છીએ? મોબાઈલ ફોન પોલીસ પાસે છે. કોને કોને ફોન કર્યા તે જોઈ લો. રિમાન્ડના મુદ્દા માટે આરોપીની જરૂર નહીં. જેગુઆર ગાડીમાં GPS લાગેલું હોય છે. કંપની પાસે માહિતી મંગાતા તે પણ મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મંગાવી શકાય. મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારું રેકર્ડ લઈ આવ્યા તો અગાઉ આરોપીએ આવો ગુન્હો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમાં હોય જ. આરોપી યુટ્યુબર અને કમ્પોસર તેમજ સિંગર છે. તથ્યના વકીલે દલીલ કરી કે અકસ્માત કરે તેના બંધારણીય હક રદ્દ ન થઈ જાય. તેના પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં આરોપી બનાવ્યા. આરોપી અને તેના પિતા નથી ભાગ્યા. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા છૂપાવ્યો નથી. CCTV જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું તે હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એક પણ મુદ્દામાં આરોપીની ઉપસ્થિતિની જરૂર નહીં.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.