તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો ઓડિયો ક્લીપ થયો વાયરલ, પપ્પાની વાત સાંભળી તમારૂં મગજ કામ નહીં કરે, સાંભળો ક્લીપ


  • Published By :
  • Published Date : 2023-07-28 13:48:22

દરેક જગ્યાએ તથ્ય પટેલની ચર્ચાઓ થઈ રહી છે. લોકોની માગ છે કે તથ્ય પટેલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ બધા વચ્ચે આપણે એ વાતને ભૂલી ગયા કે તથ્ય જેટલો જવાબદાર છે તેનાથી વધારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જવાબદાર છે. તથ્ય પટેલ કરતા વધારે કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે તથ્ય પટેલે પોતાના 19 વર્ષના જીવન કાળ દરમિયાન એ જ વસ્તુ શીખી હશે જે તેણે પોતાના પિતાને કરતા જોયા હશે. 

તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ 

અમે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વાત એટલા માટે કરી રહ્યા છીએ. કારણ કે તેના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી રહી છે, એ વાતચીત સાંભળતા એવું લાગે છે કે તમે પોતાના અંગત વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. ઓડિયો ક્લીપમાં તે કહી રહ્યા છે કે આવું તો થાય હવે, ગાડી તો ઠોકાય હવે... બહુ ટેન્શન નહીં લેવાનું હવે.. ઓડિયો ક્લીપ હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ બધું કહી રહ્યા છે.     


ઓડિયો ક્લીપ સાંભળી તમારૂં દિમાગ કામ નહીં કરે!

પ્રજ્ઞેશ પટેલને એટલા માટે સજા થવી જોઈએ કારણ કે પ્રજ્ઞેશ પટેલના પાપનું પરિણામ છે તથ્ય પટેલ. કહેવાય છે કે તમે બાળકને જેવું બનાવો તેવું તે બાળક બને છે. માતા પિતા જે પ્રમાણે વર્તે છે તે જોઈ જોઈને બાળકના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. જે પ્રમાણેનો માહોલ ઘરમાં, તેના માતા પિતા બનાવતા હોય છે તેજ પ્રમાણે બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે. તમે એવું કહો કે 18-19 વર્ષનો બાળક ગાડી ઠોકે તે ચાલે, પરંતુ તે ન ચાલે. 

જેટલો દોષી તથ્ય પટેલ છે તેનાથી વધારે દોષી તેના પિતા છે

તમને જેમ તમારૂં સંતાન વ્હાલું હોય છે, બધી સુખ સુવિધાઓ આપવા તમે તત્પર રહો છો, તેવી જ રીતે બીજા માતા પિતાને પણ પોતાના સંતાનનો જીવ એટલો જ વ્હાલો હોય છે. જો પ્રજ્ઞેશ પટેલે તથ્યને સાચી દીશા બતાવી હોત તો આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જ કદાચ ન સર્જાઈ હોત. 10 લોકોએ પોતાનો જીવ ન ગુમાવ્યા હોત. કોઈ માતા પિતાએ પોતાના યુવાન સંતાનને ન ગુમાવી હોત. આ કેસમાં જેટલો તથ્ય દોષી છે તેનાથી પણ વધારે દોષી તેના પિતા છે. માટે તથ્ય પટેલને તો સજા થવી જ જોઈએ પરંતુ તેનાથી પણ વધારે તેના પિતાને સજા થવી જોઈએ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.