તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો ઓડિયો ક્લીપ થયો વાયરલ, પપ્પાની વાત સાંભળી તમારૂં મગજ કામ નહીં કરે, સાંભળો ક્લીપ


  • Published By :
  • Published Date : 2023-07-28 13:48:22

દરેક જગ્યાએ તથ્ય પટેલની ચર્ચાઓ થઈ રહી છે. લોકોની માગ છે કે તથ્ય પટેલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ બધા વચ્ચે આપણે એ વાતને ભૂલી ગયા કે તથ્ય જેટલો જવાબદાર છે તેનાથી વધારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જવાબદાર છે. તથ્ય પટેલ કરતા વધારે કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે તથ્ય પટેલે પોતાના 19 વર્ષના જીવન કાળ દરમિયાન એ જ વસ્તુ શીખી હશે જે તેણે પોતાના પિતાને કરતા જોયા હશે. 

તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ 

અમે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વાત એટલા માટે કરી રહ્યા છીએ. કારણ કે તેના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી રહી છે, એ વાતચીત સાંભળતા એવું લાગે છે કે તમે પોતાના અંગત વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. ઓડિયો ક્લીપમાં તે કહી રહ્યા છે કે આવું તો થાય હવે, ગાડી તો ઠોકાય હવે... બહુ ટેન્શન નહીં લેવાનું હવે.. ઓડિયો ક્લીપ હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ બધું કહી રહ્યા છે.     


ઓડિયો ક્લીપ સાંભળી તમારૂં દિમાગ કામ નહીં કરે!

પ્રજ્ઞેશ પટેલને એટલા માટે સજા થવી જોઈએ કારણ કે પ્રજ્ઞેશ પટેલના પાપનું પરિણામ છે તથ્ય પટેલ. કહેવાય છે કે તમે બાળકને જેવું બનાવો તેવું તે બાળક બને છે. માતા પિતા જે પ્રમાણે વર્તે છે તે જોઈ જોઈને બાળકના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. જે પ્રમાણેનો માહોલ ઘરમાં, તેના માતા પિતા બનાવતા હોય છે તેજ પ્રમાણે બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે. તમે એવું કહો કે 18-19 વર્ષનો બાળક ગાડી ઠોકે તે ચાલે, પરંતુ તે ન ચાલે. 

જેટલો દોષી તથ્ય પટેલ છે તેનાથી વધારે દોષી તેના પિતા છે

તમને જેમ તમારૂં સંતાન વ્હાલું હોય છે, બધી સુખ સુવિધાઓ આપવા તમે તત્પર રહો છો, તેવી જ રીતે બીજા માતા પિતાને પણ પોતાના સંતાનનો જીવ એટલો જ વ્હાલો હોય છે. જો પ્રજ્ઞેશ પટેલે તથ્યને સાચી દીશા બતાવી હોત તો આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જ કદાચ ન સર્જાઈ હોત. 10 લોકોએ પોતાનો જીવ ન ગુમાવ્યા હોત. કોઈ માતા પિતાએ પોતાના યુવાન સંતાનને ન ગુમાવી હોત. આ કેસમાં જેટલો તથ્ય દોષી છે તેનાથી પણ વધારે દોષી તેના પિતા છે. માટે તથ્ય પટેલને તો સજા થવી જ જોઈએ પરંતુ તેનાથી પણ વધારે તેના પિતાને સજા થવી જોઈએ.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.