તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો ઓડિયો ક્લીપ થયો વાયરલ, પપ્પાની વાત સાંભળી તમારૂં મગજ કામ નહીં કરે, સાંભળો ક્લીપ


  • Published By :
  • Published Date : 2023-07-28 13:48:22

દરેક જગ્યાએ તથ્ય પટેલની ચર્ચાઓ થઈ રહી છે. લોકોની માગ છે કે તથ્ય પટેલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ બધા વચ્ચે આપણે એ વાતને ભૂલી ગયા કે તથ્ય જેટલો જવાબદાર છે તેનાથી વધારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જવાબદાર છે. તથ્ય પટેલ કરતા વધારે કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે તથ્ય પટેલે પોતાના 19 વર્ષના જીવન કાળ દરમિયાન એ જ વસ્તુ શીખી હશે જે તેણે પોતાના પિતાને કરતા જોયા હશે. 

તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ 

અમે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વાત એટલા માટે કરી રહ્યા છીએ. કારણ કે તેના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી રહી છે, એ વાતચીત સાંભળતા એવું લાગે છે કે તમે પોતાના અંગત વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. ઓડિયો ક્લીપમાં તે કહી રહ્યા છે કે આવું તો થાય હવે, ગાડી તો ઠોકાય હવે... બહુ ટેન્શન નહીં લેવાનું હવે.. ઓડિયો ક્લીપ હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ બધું કહી રહ્યા છે.     


ઓડિયો ક્લીપ સાંભળી તમારૂં દિમાગ કામ નહીં કરે!

પ્રજ્ઞેશ પટેલને એટલા માટે સજા થવી જોઈએ કારણ કે પ્રજ્ઞેશ પટેલના પાપનું પરિણામ છે તથ્ય પટેલ. કહેવાય છે કે તમે બાળકને જેવું બનાવો તેવું તે બાળક બને છે. માતા પિતા જે પ્રમાણે વર્તે છે તે જોઈ જોઈને બાળકના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. જે પ્રમાણેનો માહોલ ઘરમાં, તેના માતા પિતા બનાવતા હોય છે તેજ પ્રમાણે બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે. તમે એવું કહો કે 18-19 વર્ષનો બાળક ગાડી ઠોકે તે ચાલે, પરંતુ તે ન ચાલે. 

જેટલો દોષી તથ્ય પટેલ છે તેનાથી વધારે દોષી તેના પિતા છે

તમને જેમ તમારૂં સંતાન વ્હાલું હોય છે, બધી સુખ સુવિધાઓ આપવા તમે તત્પર રહો છો, તેવી જ રીતે બીજા માતા પિતાને પણ પોતાના સંતાનનો જીવ એટલો જ વ્હાલો હોય છે. જો પ્રજ્ઞેશ પટેલે તથ્યને સાચી દીશા બતાવી હોત તો આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જ કદાચ ન સર્જાઈ હોત. 10 લોકોએ પોતાનો જીવ ન ગુમાવ્યા હોત. કોઈ માતા પિતાએ પોતાના યુવાન સંતાનને ન ગુમાવી હોત. આ કેસમાં જેટલો તથ્ય દોષી છે તેનાથી પણ વધારે દોષી તેના પિતા છે. માટે તથ્ય પટેલને તો સજા થવી જ જોઈએ પરંતુ તેનાથી પણ વધારે તેના પિતાને સજા થવી જોઈએ.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.