તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો ઓડિયો ક્લીપ થયો વાયરલ, પપ્પાની વાત સાંભળી તમારૂં મગજ કામ નહીં કરે, સાંભળો ક્લીપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 13:48:22

દરેક જગ્યાએ તથ્ય પટેલની ચર્ચાઓ થઈ રહી છે. લોકોની માગ છે કે તથ્ય પટેલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ બધા વચ્ચે આપણે એ વાતને ભૂલી ગયા કે તથ્ય જેટલો જવાબદાર છે તેનાથી વધારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જવાબદાર છે. તથ્ય પટેલ કરતા વધારે કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે તથ્ય પટેલે પોતાના 19 વર્ષના જીવન કાળ દરમિયાન એ જ વસ્તુ શીખી હશે જે તેણે પોતાના પિતાને કરતા જોયા હશે. 

તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ 

અમે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વાત એટલા માટે કરી રહ્યા છીએ. કારણ કે તેના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી રહી છે, એ વાતચીત સાંભળતા એવું લાગે છે કે તમે પોતાના અંગત વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. ઓડિયો ક્લીપમાં તે કહી રહ્યા છે કે આવું તો થાય હવે, ગાડી તો ઠોકાય હવે... બહુ ટેન્શન નહીં લેવાનું હવે.. ઓડિયો ક્લીપ હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ બધું કહી રહ્યા છે.     


ઓડિયો ક્લીપ સાંભળી તમારૂં દિમાગ કામ નહીં કરે!

પ્રજ્ઞેશ પટેલને એટલા માટે સજા થવી જોઈએ કારણ કે પ્રજ્ઞેશ પટેલના પાપનું પરિણામ છે તથ્ય પટેલ. કહેવાય છે કે તમે બાળકને જેવું બનાવો તેવું તે બાળક બને છે. માતા પિતા જે પ્રમાણે વર્તે છે તે જોઈ જોઈને બાળકના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. જે પ્રમાણેનો માહોલ ઘરમાં, તેના માતા પિતા બનાવતા હોય છે તેજ પ્રમાણે બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે. તમે એવું કહો કે 18-19 વર્ષનો બાળક ગાડી ઠોકે તે ચાલે, પરંતુ તે ન ચાલે. 

જેટલો દોષી તથ્ય પટેલ છે તેનાથી વધારે દોષી તેના પિતા છે

તમને જેમ તમારૂં સંતાન વ્હાલું હોય છે, બધી સુખ સુવિધાઓ આપવા તમે તત્પર રહો છો, તેવી જ રીતે બીજા માતા પિતાને પણ પોતાના સંતાનનો જીવ એટલો જ વ્હાલો હોય છે. જો પ્રજ્ઞેશ પટેલે તથ્યને સાચી દીશા બતાવી હોત તો આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જ કદાચ ન સર્જાઈ હોત. 10 લોકોએ પોતાનો જીવ ન ગુમાવ્યા હોત. કોઈ માતા પિતાએ પોતાના યુવાન સંતાનને ન ગુમાવી હોત. આ કેસમાં જેટલો તથ્ય દોષી છે તેનાથી પણ વધારે દોષી તેના પિતા છે. માટે તથ્ય પટેલને તો સજા થવી જ જોઈએ પરંતુ તેનાથી પણ વધારે તેના પિતાને સજા થવી જોઈએ.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે