તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો પણ છે ગુનાહિત ઇતિહાસ, ડ્રગ્સનો નશો કરી રાજકોટની યુવતી પર આચર્યો હતો ગેંગરેપ


  • Published By :
  • Published Date : 2023-07-20 14:32:57

અમદાવાદ શહેરના ઇસ્કોન ફ્લાય ઓવર બ્રિજ પર બુધવારે મોડી રાતે બે અકસ્માત સર્જાયા હતા. જેમાં પહેલા થાર કાર અને ડમ્પર ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગું થયું હતુ. આ ઉપરાંત 160ની સ્પીડે દોડતી જેગુઆર કાર આવી અને ત્યાં ઉભેલા લોકોને કચડી નાખ્યાં હતાં. જેગુઆર કાર હંકારીને અકસ્માત સર્જનાર તથ્ય પટેલ નામના યુવકે 9 લોકોનો ભોગ લીધો હતા. જેગુઆર કારે એટલી જોરદાર ટક્કર મારી હતી કે લોકો 30થી 50 ફૂટ ઊંચે ઉલળીને નીચે પટકાયા હતા. જેમાં 9 લોકોનાં મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગેંગરેપ અને દુષ્કર્મનો આરોપી છે.


 બાપ એવા બેટા


નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી કારચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ ગોતા વિસ્તારનું મોટું માથું છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ મોટા બિલ્ડર છે. 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મ હાઉસની સામે આલીશાન બંગલોમાં રહે છે. આ બંગલાનું નામ હરે શાંતિ છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અકસ્માત થયાની ગણતરીની કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો છે. તેનો પિતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલ પણ સામુહિક દુષ્કર્મનો આરોપી છે. 


ગેંગરેપનો આરોપી છે પ્રજ્ઞેશ પટેલ 


તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગોતા વિસ્તારમાં રહે છે અને જમીન લે-વેચ તથા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે તેના કાળાં કરતૂત સામે આવ્યાં છે. પ્રજ્ઞેશ પટેલે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યો હતો. તે ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. તેણે રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને પાંચ યુવકો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હોવાની પોલીસ ફરિયાદ અમદાવાદમાં નોંધાવી હતી. બિલ્ડર પ્રજ્ઞેશ પટેલ અને તેના મિત્રો આ યુવતીને ઉદેપુર ફરવા લઈ ગયા હતાં. જ્યાં કોલ્ડડ્રિન્કમાં દારુ મિક્ષ કરીને યુવતીને બેભાન કરીને સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. હદ તો  ત્યા થાય છે કે આરોપીઓએ યુવતી સાથે એકવાર નહીં, પરંતુ અનેકવાર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો પાસપોર્ટ પણ છીનવી લીધો હતો. આ પછી યુવતીને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીએ બિલ્ડર પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. 3 નવેમ્બર 2020ના રોજ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, પ્રજ્ઞેશ પટેલ સામે શાહપુર- 1, રાણીપ- 1, સોલામાં- 2, ડાંગમાં NC ફરિયાદ, મહેસાણા- 1, ક્રાઈમ બ્રાન્ચ- 1 અને મહિલા ક્રાઈમ- 1 નોંધાયા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.