શાળામાં તાજીયાની થીમ પર ગરબા, ભીનું સંકેલવા શિક્ષક કરાયા સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:59:25

હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અનેક શાળાઓમાં એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખૂબ ઉત્સાહ પૂર્વક બાળકો આમાં ભાગ લેતા હોય છે. ત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બાળકોને ગરબાની બદલીમાં તાજિયા રમાડવામાં આવ્યા હતા.

વિડીયો વાયરલ થતા સર્જાયો હતો વિવાદ

નડિયાદની એક સરકારી શાળાની ઘટના છે. ગરબાને બદલે તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ વાત ઉપરી અધિકારીઓ સુધી પહોંચતા ત્વરિત કાર્યવાહી કરાતા ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


વિવાદ શાંત કરવા શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

આ ઘટના છે નડિયાદના હાથજ ગામમાં આવેલી સરકારી શાળામાં તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. પે-સેન્ટર શાળાનો આ વિડીયો સામે આવતા હિંદુ સેનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગરબાના સ્થાને તાજીયા પર ડાન્સ કરતાનો વિડીયો સામે આવતા અનેક લોકોએ દોષિત અધિકારીઓ પર આકરા પગલા લેવા માટે ફોર્સ કર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્વરિત એક્શન લીધા હતા અને 4 શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. વિડીયોમાં બાળકો ગરબા કરવાને બદલે છાતી પર હાથ મારતા નજરે પડ્યા હતા.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે