શાળામાં તાજીયાની થીમ પર ગરબા, ભીનું સંકેલવા શિક્ષક કરાયા સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:59:25

હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અનેક શાળાઓમાં એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખૂબ ઉત્સાહ પૂર્વક બાળકો આમાં ભાગ લેતા હોય છે. ત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બાળકોને ગરબાની બદલીમાં તાજિયા રમાડવામાં આવ્યા હતા.

વિડીયો વાયરલ થતા સર્જાયો હતો વિવાદ

નડિયાદની એક સરકારી શાળાની ઘટના છે. ગરબાને બદલે તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ વાત ઉપરી અધિકારીઓ સુધી પહોંચતા ત્વરિત કાર્યવાહી કરાતા ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


વિવાદ શાંત કરવા શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

આ ઘટના છે નડિયાદના હાથજ ગામમાં આવેલી સરકારી શાળામાં તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. પે-સેન્ટર શાળાનો આ વિડીયો સામે આવતા હિંદુ સેનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગરબાના સ્થાને તાજીયા પર ડાન્સ કરતાનો વિડીયો સામે આવતા અનેક લોકોએ દોષિત અધિકારીઓ પર આકરા પગલા લેવા માટે ફોર્સ કર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્વરિત એક્શન લીધા હતા અને 4 શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. વિડીયોમાં બાળકો ગરબા કરવાને બદલે છાતી પર હાથ મારતા નજરે પડ્યા હતા.       



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .