શાળામાં તાજીયાની થીમ પર ગરબા, ભીનું સંકેલવા શિક્ષક કરાયા સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:59:25

હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અનેક શાળાઓમાં એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખૂબ ઉત્સાહ પૂર્વક બાળકો આમાં ભાગ લેતા હોય છે. ત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બાળકોને ગરબાની બદલીમાં તાજિયા રમાડવામાં આવ્યા હતા.

વિડીયો વાયરલ થતા સર્જાયો હતો વિવાદ

નડિયાદની એક સરકારી શાળાની ઘટના છે. ગરબાને બદલે તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ વાત ઉપરી અધિકારીઓ સુધી પહોંચતા ત્વરિત કાર્યવાહી કરાતા ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


વિવાદ શાંત કરવા શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

આ ઘટના છે નડિયાદના હાથજ ગામમાં આવેલી સરકારી શાળામાં તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. પે-સેન્ટર શાળાનો આ વિડીયો સામે આવતા હિંદુ સેનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગરબાના સ્થાને તાજીયા પર ડાન્સ કરતાનો વિડીયો સામે આવતા અનેક લોકોએ દોષિત અધિકારીઓ પર આકરા પગલા લેવા માટે ફોર્સ કર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્વરિત એક્શન લીધા હતા અને 4 શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. વિડીયોમાં બાળકો ગરબા કરવાને બદલે છાતી પર હાથ મારતા નજરે પડ્યા હતા.       



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.