રાજ્યમાં 5360 શિક્ષકોની કરવામાં આવશે ભરતી, આગામી દિવસોમાં યોજાશે TETની પરીક્ષા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 18:10:12


ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનો અસંતોષ દુર કરવાના ભરચક પ્રયાસો કરી રહી છે. વિરોધ પક્ષો મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને ભાજપને ઘેરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતા. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી અંગેનો મહત્વનો નિર્ણય કરી હજારો બેકાર શિક્ષકોના દિલ જીતી લીધા છે. ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યા સહાયકો માટે આ આનંદના સમાચાર છે. 


શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે


કેબિનેટની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં જ શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. વાઘાણીએ કહ્યું કે શિક્ષણ વિભાગમાં ભરતી સમયસર થાય છે. છેલ્લે 3300 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જિલ્લાફેર બદલી અંગે તેમણે જણાવ્યું કે, હાલ આ કેસ હાઇકોર્ટમાં છે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર તત્કાલ ભરતી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ સાથે જ લાંબા સમયથી શિક્ષક બનવા માંગતા બેરોજગારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


ટેટ અંગે મહત્વની જાહેરાત 


TET પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી ટેટની પરીક્ષા જ  લેવામાં આવી નથી. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. શક્ય તેટલી ઝડપથી ભરતી પુર્ણ થાય તેવો પ્રયાસ રહેશે. આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન કરી દેવાશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .