બદલીવાંચ્છુ શિક્ષકોને લઈ મોટા સમાચાર, બદલીઓની પ્રક્રિયા અંગે સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-16 15:13:41

રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીને અનેક વખત ફરિયાદો સાંભળવા મળે છે. શિક્ષકો જિલ્લાફેર બદલી માટે ઘણી વખત મોટી રકમ પણ લાંચ પેટે ચૂકવતા હોય છે. આ બાબત શિક્ષણ ક્ષેત્રે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. જો કે બદલીવાચ્છુ શિક્ષકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે.

 

પરીક્ષાઓ બાદ થશે બદલીઓ


રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12ની પ્રિલિમનરી પરીક્ષા આગામી 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. જેના કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલીઓ હાલ પૂરતી મૌકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ઔપચારિક રીતે આ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


શિક્ષણ વિભાગ આપી સૂચના


શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર બોર્ડની પરીક્ષા અને શાળાઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી જૂન 2023 બાદ શિક્ષકોની બદલીઓની કામગીરી શરૂ થશે. શાળાઓના પરીક્ષા કાર્યક્રમ બાદ બદલીઓની પ્રક્રિયા કરવા સૂચન કરવામાં આવ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.