બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં આજે સુનાવણી, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-05-08 15:38:20

ગુજરાતમાં આજે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ સુનાવણી અમદાવાદની મેટ્રો કોર્ટમાં થશે.તેજસ્વી યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતીઓ ઠગ અને ધુતારા કેમ છે? જેના પર તેમની વિરુદ્ધ ગુજરાતમાં માનહાનિનો કેસ દાખલ થયો હતો. આ મામલે 1લી મેના રોજ સુનાવણીમાં ફરિયાદી હરેશ મહેતાનું વેરિફિકેશન કરાઈને તેમનું નિવેદન કોર્ટમાં લેવામાં આવ્યું હતું. સાથે જ તેમણે કોર્ટમાં પૂરાવા પણ રજૂ કર્યા હતા. હવે કોર્ટ ફરિયાદી અને તેજસ્વી યાદવના વકીલોની દલીલો સાંભળશે. 


બિઝનેસમેન હરેશ મહેતાએ કર્યો છે કેસ

 

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના બિઝનેસમેન હરેશ મહેતાએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 21 માર્ચે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે સુનાવણી માટે 8મી મેના રોજ કહ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે જો માનહાનિનો મામલો બને છે તો તેમની સામે પણ સમન્સ જારી કરવામાં આવી શકે છે. આ કેસની છેલ્લી સુનાવણી 1 મેના રોજ થઈ હતી. 


તેજસ્વી યાદવ સામે આરોપ શું છે?


ફરિયાદી હરેશ મહેતાએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો હતો કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પટનામાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા.તેજસ્વીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે "વર્તમાનમાં જે સ્થિતિ છે તે તેને જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે, અને તેમને માફ પણ કરી દેવામાં આવે છે" આ વાત તેમણે ત્યારે કહીં હતી કે જ્યારે બેંકોના પૈસા લઈને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની રેડ નોટિસમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.