રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, ફેબ્રુઆરીમાં થતો ઉનાળાની ગરમીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:41:29

ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આ વખતે જેમ શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ ઉનાળો પણ આકરો રહેવાની આશંકા સેવાઈ રહી છે. રાજ્યના અનેક સ્થળો પર તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું અને એ સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.


બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ 

આ વખતે ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારે આ વખતનો ઉનાળો પણ આકરો રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું હતું. આ અનુમાન સાચું સાબિત થઈ રહ્યું છે. ફ્રેબુઆરીમાં જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 


અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું

રાજકોટનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદમાં 37.2 ડિગ્રી, કંડલામાં 37.6 ડિગ્રી, સુરતમાં 37.8 ડિગ્રી, વલસાડમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં એકાએક ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધુ ઉચકાઈ શકે છે અને ભારે તડકાનો અનુભવ થઈ શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. પહેલી વાર એવું બની રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.