રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, ફેબ્રુઆરીમાં થતો ઉનાળાની ગરમીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:41:29

ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આ વખતે જેમ શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ ઉનાળો પણ આકરો રહેવાની આશંકા સેવાઈ રહી છે. રાજ્યના અનેક સ્થળો પર તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું અને એ સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.


બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ 

આ વખતે ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારે આ વખતનો ઉનાળો પણ આકરો રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું હતું. આ અનુમાન સાચું સાબિત થઈ રહ્યું છે. ફ્રેબુઆરીમાં જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 


અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું

રાજકોટનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદમાં 37.2 ડિગ્રી, કંડલામાં 37.6 ડિગ્રી, સુરતમાં 37.8 ડિગ્રી, વલસાડમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં એકાએક ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધુ ઉચકાઈ શકે છે અને ભારે તડકાનો અનુભવ થઈ શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. પહેલી વાર એવું બની રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.