રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, ફેબ્રુઆરીમાં થતો ઉનાળાની ગરમીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:41:29

ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આ વખતે જેમ શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ ઉનાળો પણ આકરો રહેવાની આશંકા સેવાઈ રહી છે. રાજ્યના અનેક સ્થળો પર તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું અને એ સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.


બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ 

આ વખતે ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારે આ વખતનો ઉનાળો પણ આકરો રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું હતું. આ અનુમાન સાચું સાબિત થઈ રહ્યું છે. ફ્રેબુઆરીમાં જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 


અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું

રાજકોટનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદમાં 37.2 ડિગ્રી, કંડલામાં 37.6 ડિગ્રી, સુરતમાં 37.8 ડિગ્રી, વલસાડમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં એકાએક ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધુ ઉચકાઈ શકે છે અને ભારે તડકાનો અનુભવ થઈ શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. પહેલી વાર એવું બની રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.