Gujaratમાં અલગ અલગ જગ્યાઓ પર સર્જાયા ભયંકર અકસ્માત, ક્યાંક ટ્રક અને રિક્ષા વચ્ચે થઈ ટક્કર તો ક્યાંક....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-10 12:05:36

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ પોતાનો જીવ અકસ્માત થતા ગુમાવ્યો છે. ઘરેથી નીકળેલો માણસ પરત જીવતો ઘરે આવશે કે નહીં તેની ખબર નથી હોતી. આજે એટલે મંગળવારે એટલા બધા અકસ્માત થયા કે અનેક જીંદગીઓએ પોતાના અંતિમ શ્વાસ લીધા. રાજ્યમાં સર્જાયેલા અકસ્માતમાં 9 જેટલા લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં અનેક લોકો એક જ પરિવારના છે તેવી માહિતી સામે આવી છે. જીંદગીનો કોઈ ભરોસો નથી રહ્યો. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લેશે તેની જાણ નથી. 

Fisherman of Rajpara died after accidentally falling into the sea |  અકસ્માતે દરિયામાં પડી જતા રાજપરાના માછીમારનું મોત - Divya Bhaskar

 દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. અકસ્માતની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે.

અલગ અલગ અકસ્માતોમાં થયા 11 લોકોના મોત!

રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ઘટના દાહોદમાં બની છે જ્યારે બીજા ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. દાહોદમાં સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. આ ગંભીર અકસ્માતોમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. જામનગરમાં પણ અકસ્માત સર્જાયો હોય તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. 


સુરેન્દ્રનગરમાં બે ગાડી વચ્ચે થઈ ટક્કર

સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતની વાત કરીએ તો લખતરના ઝામર ગામ નજીક આઈસર અને સેન્ટ્રો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણ લોકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા. આ અંગે મળતી માહિતી અનુસાર બાધા પૂરી કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 સુરેન્દ્રનગર: રાજ્યમાં એક જ દિવસમાં બે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમાં 9 લોકોનાં મોત નિપજ્યા છે. દાહોદ અને સુરેન્દ્રનગરમાં આજે મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. આ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ નવ લોકોના મોત થયા છે. દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે.

 લખતરના ઝમર ગામના પાટિયા પાસેનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3નાં મોત થયા છે અને 3 ઘાયલ થયા છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મહિલા અને 1 પુરુષનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતમાં 3 લોકો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એકસાથે છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લહાયમાં ગેરકાયદેસર રીતે લોકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.


દાહોદમાં ટ્રક અને રિક્ષા વચ્ચે થઈ ભયંકર ટક્કર 

બીજો એક ગંભીર અકસ્માત દાહોદમાં બન્યો છે. દાહોદમાં અકસ્માત બે ગાડીઓ વચ્ચે નહીં પરંતુ ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં જેટલા લોકોના મોત થયા છે તેઓ એક જ પરિવારના હોય તેવી માહિતી સામે આવી છે. 

 સદાદ ગામથી લખતર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

 દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. અકસ્માતની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે.

રિક્ષામાં ભરવામાં આવે છે હદથી વધારે પેસેન્જરો!

આ અકસ્માત લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એક રિક્ષામાં આટલા બધા લોકોને બેસાડાઈ જ કેવી રીતે શકાય? એક રિક્ષામાં 6થી વધારે લોકો બેઠા હતા. અનેક વખત એવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેને જોઈ આપણે કહેતા હોઈએ છીએ કે ઘેંટા બકરાની જેમ લોકોને ભરવામાં આવે છે. વધારે પૈસા કમાવવાની લાલચમાં રિક્ષાચાલકો લોકોના જીવનને દાવ પર લગાવે છે. બાળકોના આવા દ્રશ્યો પણ આપણી સામે આવતા હોય છે જેમાં સ્કૂલ રિક્ષામાં બાળકોને ઠૂસી-ઠૂસીને ભરવામાં આવે છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?    



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.