જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઠાર મરાયા! સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં કર્યું પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 11:59:30

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો તેમજ આતંકવાદોથી વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. ફાયરિંગ દરમિયાન પાંચ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર મારી દીધા છે. એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

    

પાંચ આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર!

ફરી એક વખત સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આતંકી છુપાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર થઈ ગયું છે. મહત્વનું છે કે હજી પણ સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. મહત્વનું છે કે આતંકવાદીઓ ઘાટીમાં એક્ટિવ થઈ રહ્યા છે. 


પહેલા પણ આતંકવાદી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી! 

કાશ્મીર પોલીસના ADGPએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદીઓ આ સ્થળ પર છુપાયા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં તે વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને હાલમાં પણ સર્ચ ઓપરેશન અતર્ગત તપાસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પૂરૂ પાડવામાં આવ્યું હતું. જયારે સર્ચ ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી અને તેના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મંગળવારે પણ સુરક્ષાબળો દ્વારા આતંકવાદીઓને ઠાર મરાયા હતા. ત્યારે આજે વધુ પાંચ આતંકવાદીઓને મારી પડાયા છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.