જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઠાર મરાયા! સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં કર્યું પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 11:59:30

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો તેમજ આતંકવાદોથી વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. ફાયરિંગ દરમિયાન પાંચ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર મારી દીધા છે. એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

    

પાંચ આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર!

ફરી એક વખત સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આતંકી છુપાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર થઈ ગયું છે. મહત્વનું છે કે હજી પણ સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. મહત્વનું છે કે આતંકવાદીઓ ઘાટીમાં એક્ટિવ થઈ રહ્યા છે. 


પહેલા પણ આતંકવાદી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી! 

કાશ્મીર પોલીસના ADGPએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદીઓ આ સ્થળ પર છુપાયા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં તે વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને હાલમાં પણ સર્ચ ઓપરેશન અતર્ગત તપાસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પૂરૂ પાડવામાં આવ્યું હતું. જયારે સર્ચ ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી અને તેના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મંગળવારે પણ સુરક્ષાબળો દ્વારા આતંકવાદીઓને ઠાર મરાયા હતા. ત્યારે આજે વધુ પાંચ આતંકવાદીઓને મારી પડાયા છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.