જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઠાર મરાયા! સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં કર્યું પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 11:59:30

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો તેમજ આતંકવાદોથી વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. ફાયરિંગ દરમિયાન પાંચ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર મારી દીધા છે. એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

    

પાંચ આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર!

ફરી એક વખત સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આતંકી છુપાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર થઈ ગયું છે. મહત્વનું છે કે હજી પણ સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. મહત્વનું છે કે આતંકવાદીઓ ઘાટીમાં એક્ટિવ થઈ રહ્યા છે. 


પહેલા પણ આતંકવાદી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી! 

કાશ્મીર પોલીસના ADGPએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદીઓ આ સ્થળ પર છુપાયા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં તે વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને હાલમાં પણ સર્ચ ઓપરેશન અતર્ગત તપાસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પૂરૂ પાડવામાં આવ્યું હતું. જયારે સર્ચ ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી અને તેના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મંગળવારે પણ સુરક્ષાબળો દ્વારા આતંકવાદીઓને ઠાર મરાયા હતા. ત્યારે આજે વધુ પાંચ આતંકવાદીઓને મારી પડાયા છે.     




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.