TET-TAT અને જ્ઞાન સહાયકો પોતાની માગ CM સુધી પહોંચાડવા Gandhinagar પહોંચ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:37:19

ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને જ્ઞાન સહાયકની માગ રાખનારા અભ્યાર્થીઓ પોતાની માગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્ઞાન સહાયકના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેવા માગતા હતા. અભ્યાર્થીઓના કહ્યા મુજબ તે કોઈ વિરોધ માટે ગાંધીનગર નહોતા આવ્યા બસ પોતાની માગ ટપાલ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા માગતા હતા, પણ એવામાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને તમામ અભ્યાર્થીઓને ડબ્બામાં પૂરીને પોલીસ થાણે લઈ જવામાં આવ્યા હતા.

TET-TATના ઉમેદવારોએ કહ્યું કે તે આંદોલન કરવા નથી આવ્યા! 

અગાઉ પણ કોન્ટ્રાક્ટ પ્રથા સામે લડવા માટે ગુજરાત ભરથી જ્ઞાન સહાયકો વિદ્યાસહાયકો અને ભાવિ શિક્ષકો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે તે પોતાની માગ સામે રાખે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને જેણે સરકારને 156 સીટ આપી તેના જ અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ કહેતા હતા કે અમે કોઈ આંદોલન કરવા નથી આવ્યા અમે બસ ટપાલ મોકલીને જતા રહેવાના છીએ પણ તેમને પકડી લેવામાં આવ્યા હતા. 


કાયમી ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ

ગુજરાત સરકાર કહે છે કે અમે શિક્ષણ બાબતે સારા સુધારાઓ કરવા જઈ રહ્યા છીએ તો આ માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેના માટે સરકાર સુધારા કરવાના છે એની માગ સાંભળવી જોઈએ કે તેમનું કહેવું શું છે. આ લોકોએ પોતાનો અવાજ દબાય તેના માટે મત નહોતા આપ્યા. તેમનું કહેવું છે કે સરકારે જે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની વાત કરી છે તે પાછી લઈ લે અને પોતાના જીવવના અમુલ્ય વર્ષો જેણે શિક્ષક બનવાના સપના જોયો હોય તેને કોન્ટ્રાક્ટવાળી ભરતી રદ કરીને અને કાયમી નોકરી માટે ભરતી કરવી જોઈ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.