TET-TAT અને જ્ઞાન સહાયકો પોતાની માગ CM સુધી પહોંચાડવા Gandhinagar પહોંચ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:37:19

ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને જ્ઞાન સહાયકની માગ રાખનારા અભ્યાર્થીઓ પોતાની માગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્ઞાન સહાયકના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેવા માગતા હતા. અભ્યાર્થીઓના કહ્યા મુજબ તે કોઈ વિરોધ માટે ગાંધીનગર નહોતા આવ્યા બસ પોતાની માગ ટપાલ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા માગતા હતા, પણ એવામાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને તમામ અભ્યાર્થીઓને ડબ્બામાં પૂરીને પોલીસ થાણે લઈ જવામાં આવ્યા હતા.

TET-TATના ઉમેદવારોએ કહ્યું કે તે આંદોલન કરવા નથી આવ્યા! 

અગાઉ પણ કોન્ટ્રાક્ટ પ્રથા સામે લડવા માટે ગુજરાત ભરથી જ્ઞાન સહાયકો વિદ્યાસહાયકો અને ભાવિ શિક્ષકો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે તે પોતાની માગ સામે રાખે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને જેણે સરકારને 156 સીટ આપી તેના જ અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ કહેતા હતા કે અમે કોઈ આંદોલન કરવા નથી આવ્યા અમે બસ ટપાલ મોકલીને જતા રહેવાના છીએ પણ તેમને પકડી લેવામાં આવ્યા હતા. 


કાયમી ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ

ગુજરાત સરકાર કહે છે કે અમે શિક્ષણ બાબતે સારા સુધારાઓ કરવા જઈ રહ્યા છીએ તો આ માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેના માટે સરકાર સુધારા કરવાના છે એની માગ સાંભળવી જોઈએ કે તેમનું કહેવું શું છે. આ લોકોએ પોતાનો અવાજ દબાય તેના માટે મત નહોતા આપ્યા. તેમનું કહેવું છે કે સરકારે જે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની વાત કરી છે તે પાછી લઈ લે અને પોતાના જીવવના અમુલ્ય વર્ષો જેણે શિક્ષક બનવાના સપના જોયો હોય તેને કોન્ટ્રાક્ટવાળી ભરતી રદ કરીને અને કાયમી નોકરી માટે ભરતી કરવી જોઈ.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી