TET-TAT અને જ્ઞાન સહાયકો પોતાની માગ CM સુધી પહોંચાડવા Gandhinagar પહોંચ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:37:19

ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને જ્ઞાન સહાયકની માગ રાખનારા અભ્યાર્થીઓ પોતાની માગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્ઞાન સહાયકના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેવા માગતા હતા. અભ્યાર્થીઓના કહ્યા મુજબ તે કોઈ વિરોધ માટે ગાંધીનગર નહોતા આવ્યા બસ પોતાની માગ ટપાલ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા માગતા હતા, પણ એવામાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને તમામ અભ્યાર્થીઓને ડબ્બામાં પૂરીને પોલીસ થાણે લઈ જવામાં આવ્યા હતા.

TET-TATના ઉમેદવારોએ કહ્યું કે તે આંદોલન કરવા નથી આવ્યા! 

અગાઉ પણ કોન્ટ્રાક્ટ પ્રથા સામે લડવા માટે ગુજરાત ભરથી જ્ઞાન સહાયકો વિદ્યાસહાયકો અને ભાવિ શિક્ષકો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે તે પોતાની માગ સામે રાખે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને જેણે સરકારને 156 સીટ આપી તેના જ અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ કહેતા હતા કે અમે કોઈ આંદોલન કરવા નથી આવ્યા અમે બસ ટપાલ મોકલીને જતા રહેવાના છીએ પણ તેમને પકડી લેવામાં આવ્યા હતા. 


કાયમી ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ

ગુજરાત સરકાર કહે છે કે અમે શિક્ષણ બાબતે સારા સુધારાઓ કરવા જઈ રહ્યા છીએ તો આ માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેના માટે સરકાર સુધારા કરવાના છે એની માગ સાંભળવી જોઈએ કે તેમનું કહેવું શું છે. આ લોકોએ પોતાનો અવાજ દબાય તેના માટે મત નહોતા આપ્યા. તેમનું કહેવું છે કે સરકારે જે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની વાત કરી છે તે પાછી લઈ લે અને પોતાના જીવવના અમુલ્ય વર્ષો જેણે શિક્ષક બનવાના સપના જોયો હોય તેને કોન્ટ્રાક્ટવાળી ભરતી રદ કરીને અને કાયમી નોકરી માટે ભરતી કરવી જોઈ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.