TV Debateમાં છલકાયું TET-TATના ઉમેદવારનું દર્દ! સરકારને ક્યારે દેખશે ઉમેદવારોની આંખોમાંથી નીકળતા આંસુ? સાંભળો ઉમેદવારની વ્યથા....


  • Published By :
  • Published Date : 2023-09-15 16:14:31

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ માધ્યમો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થવાના હતા પરંતુ તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા હતા. પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા ઉમેદવારો અનેક વખત જમાવટની ઓફિસે આવ્યા છે. જ્યારે જ્યારે ઉમેદવારો ઓફિસ આવ્યા છે ત્યારે તેમની વેદના તેમની આંખોમાંથી છલકાઈ છે. 

ટીવી-શોમાં છલકાઈ ઉમેદવારોની વેદના 

સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉમેદવારો મીડિયાનો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ મીડિયાના માધ્યમથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ ઝી ચોવીસ કલાકના સ્ટૂડિયોમાં પોતાની વેદના રજૂ કરી હતી. જ્યારે તે પોતાની વાત રાખી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. પોતાની વેદનાને રજૂ કરવા તે સ્ટૂડિયો પહોંચ્યા હતા. ત્યારે મહિલા ઉમેદવાર રડી પડ્યા હતા. તેમનો આક્રોશ છલકાઈ રહ્યો હતો. 


જીજ્ઞેશ મેવાણી આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારોએ ઘણી વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો અવાજ સરકારે હજી સુધી સાંભળ્યો નથી. પત્ર લકી અનેક વખત શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. હનુમાન દાદા તેમજ શિવજીને પણ પત્ર લખી પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. સનાતનના શરણે પણ ઉમેદવારો ગયા હતા. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તે બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આંદોલન કરવાની વાત કરી હતી. ત્યારે જોવું એ રહ્યું કે આ આંદોલનનું શું પરિણામ આવે છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.