TV Debateમાં છલકાયું TET-TATના ઉમેદવારનું દર્દ! સરકારને ક્યારે દેખશે ઉમેદવારોની આંખોમાંથી નીકળતા આંસુ? સાંભળો ઉમેદવારની વ્યથા....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-15 16:14:31

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ માધ્યમો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થવાના હતા પરંતુ તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા હતા. પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા ઉમેદવારો અનેક વખત જમાવટની ઓફિસે આવ્યા છે. જ્યારે જ્યારે ઉમેદવારો ઓફિસ આવ્યા છે ત્યારે તેમની વેદના તેમની આંખોમાંથી છલકાઈ છે. 

ટીવી-શોમાં છલકાઈ ઉમેદવારોની વેદના 

સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉમેદવારો મીડિયાનો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ મીડિયાના માધ્યમથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ ઝી ચોવીસ કલાકના સ્ટૂડિયોમાં પોતાની વેદના રજૂ કરી હતી. જ્યારે તે પોતાની વાત રાખી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. પોતાની વેદનાને રજૂ કરવા તે સ્ટૂડિયો પહોંચ્યા હતા. ત્યારે મહિલા ઉમેદવાર રડી પડ્યા હતા. તેમનો આક્રોશ છલકાઈ રહ્યો હતો. 


જીજ્ઞેશ મેવાણી આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારોએ ઘણી વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો અવાજ સરકારે હજી સુધી સાંભળ્યો નથી. પત્ર લકી અનેક વખત શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. હનુમાન દાદા તેમજ શિવજીને પણ પત્ર લખી પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. સનાતનના શરણે પણ ઉમેદવારો ગયા હતા. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તે બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આંદોલન કરવાની વાત કરી હતી. ત્યારે જોવું એ રહ્યું કે આ આંદોલનનું શું પરિણામ આવે છે.   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.