TET-TAT ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા 'બાપુ'ના શરણે, YuvrajSinh Jadejaએ સરકાર પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-02 17:14:53

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર ભરતી આધારીત રદ્દ કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત મહાત્મા ગાંધીને પત્ર લખી રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં યુવરાજસિંહ જાડેજા સાથે ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને રજૂઆત કરી હતી.

મંત્રી બાદ ભગવાનોને જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા કરી છે અરજી 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે તેમણે અનેક વખત ધરણા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ત્યાંથી હટાવી દેવામાં આવતા. ઉમેદવારો સાથે પોલીસવાળા એવું વર્તન કરતા હતા જાણે તે કોઈ આતંકવાદી હોય. મહિલા ઉમેદવારોને ઢસેડીને લઈ જવામાં આવતી હતી. ત્યારે સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા. સીએમ, શિક્ષણમંત્રી તેમજ વડાપ્રધાનને પણ પત્ર લખ્યો પરંતુ ઉમેદવારોના હાથમાં નિરાશા આવી. તે બાદ ઉમેદવારોએ સાધુ-સંતોને પત્ર લખી રજૂઆત કરી. તે બાદ હનુમાનજીને, મહાદેવજીને તેમજ ગણપતિ દાદાને પત્ર લખી જ્ઞાન સહાયક રદ્દ કરવા માટે અપીલ કરી હતી.


યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કર્યા પ્રહાર 

ત્યારે આજે ગાંધી જયંતિ છે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને તેમણે પત્ર લખ્યો હતો. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ પણ હાજર હતા. યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. યુવરાજસિંહે કહ્યું કે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે અમે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો છે.   



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.