TET-TAT ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા 'બાપુ'ના શરણે, YuvrajSinh Jadejaએ સરકાર પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-02 17:14:53

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર ભરતી આધારીત રદ્દ કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત મહાત્મા ગાંધીને પત્ર લખી રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં યુવરાજસિંહ જાડેજા સાથે ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને રજૂઆત કરી હતી.

મંત્રી બાદ ભગવાનોને જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા કરી છે અરજી 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે તેમણે અનેક વખત ધરણા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ત્યાંથી હટાવી દેવામાં આવતા. ઉમેદવારો સાથે પોલીસવાળા એવું વર્તન કરતા હતા જાણે તે કોઈ આતંકવાદી હોય. મહિલા ઉમેદવારોને ઢસેડીને લઈ જવામાં આવતી હતી. ત્યારે સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા. સીએમ, શિક્ષણમંત્રી તેમજ વડાપ્રધાનને પણ પત્ર લખ્યો પરંતુ ઉમેદવારોના હાથમાં નિરાશા આવી. તે બાદ ઉમેદવારોએ સાધુ-સંતોને પત્ર લખી રજૂઆત કરી. તે બાદ હનુમાનજીને, મહાદેવજીને તેમજ ગણપતિ દાદાને પત્ર લખી જ્ઞાન સહાયક રદ્દ કરવા માટે અપીલ કરી હતી.


યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કર્યા પ્રહાર 

ત્યારે આજે ગાંધી જયંતિ છે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને તેમણે પત્ર લખ્યો હતો. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ પણ હાજર હતા. યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. યુવરાજસિંહે કહ્યું કે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે અમે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.