TET-TAT ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા 'બાપુ'ના શરણે, YuvrajSinh Jadejaએ સરકાર પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-02 17:14:53

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર ભરતી આધારીત રદ્દ કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત મહાત્મા ગાંધીને પત્ર લખી રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં યુવરાજસિંહ જાડેજા સાથે ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને રજૂઆત કરી હતી.

મંત્રી બાદ ભગવાનોને જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા કરી છે અરજી 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે તેમણે અનેક વખત ધરણા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ત્યાંથી હટાવી દેવામાં આવતા. ઉમેદવારો સાથે પોલીસવાળા એવું વર્તન કરતા હતા જાણે તે કોઈ આતંકવાદી હોય. મહિલા ઉમેદવારોને ઢસેડીને લઈ જવામાં આવતી હતી. ત્યારે સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા. સીએમ, શિક્ષણમંત્રી તેમજ વડાપ્રધાનને પણ પત્ર લખ્યો પરંતુ ઉમેદવારોના હાથમાં નિરાશા આવી. તે બાદ ઉમેદવારોએ સાધુ-સંતોને પત્ર લખી રજૂઆત કરી. તે બાદ હનુમાનજીને, મહાદેવજીને તેમજ ગણપતિ દાદાને પત્ર લખી જ્ઞાન સહાયક રદ્દ કરવા માટે અપીલ કરી હતી.


યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કર્યા પ્રહાર 

ત્યારે આજે ગાંધી જયંતિ છે. અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ઉમેદવારો પહોંચ્યા હતા અને બાપુને તેમણે પત્ર લખ્યો હતો. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ પણ હાજર હતા. યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. યુવરાજસિંહે કહ્યું કે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે અમે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .