TET-TATના ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, હનુમાનજીને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-02 16:43:48

ગુજરાતમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી નહીં પરંતુ કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી વાત ઉમેદવારો કહી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. અલગ અલગ માધ્યમથી ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે પણ અલગ અલગ જગ્યાઓ પર આંદોલન કરવામાં આવ્યા હતા. તાપીમાં શિક્ષકોની કાયમીભરતી કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો ગયા હતા અને જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી હતી.

રજૂઆત કરવા જતા ઉમેદવારોને અટકાવી દેવાતા 

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક જ માગ કરી રહ્યા છે કે કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ ગયા હતા. તેમની વાત સાંભળવામાં આવી નહીં. પીએમ સુધી તેમણે પોતાની વાત રજૂ કરી. પરંતુ તેમની માગ હજી સુધી ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રીને પણ અનેક વખત રજૂઆત કરવા ગયા પરંતુ તેમને અટકાવી દેવાતા હતા. 

Image

હનુમાનજીને પત્ર લખી વ્યક્ત કરી વ્યથા   

અનેક સમય વીતિ ગયો હોવા છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈ ઉમેદવારોમાં રોષ ભરાયો છે. આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હનુમાનજીને પત્ર લખી ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. રામ ધૂન પણ ઉમેદવારોએ બોલાવી હતી. હવે જોવું રહ્યું કે આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.   

Image



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી