TET-TATના ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, હનુમાનજીને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-02 16:43:48

ગુજરાતમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી નહીં પરંતુ કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી વાત ઉમેદવારો કહી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. અલગ અલગ માધ્યમથી ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે પણ અલગ અલગ જગ્યાઓ પર આંદોલન કરવામાં આવ્યા હતા. તાપીમાં શિક્ષકોની કાયમીભરતી કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો ગયા હતા અને જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી હતી.

રજૂઆત કરવા જતા ઉમેદવારોને અટકાવી દેવાતા 

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક જ માગ કરી રહ્યા છે કે કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ ગયા હતા. તેમની વાત સાંભળવામાં આવી નહીં. પીએમ સુધી તેમણે પોતાની વાત રજૂ કરી. પરંતુ તેમની માગ હજી સુધી ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રીને પણ અનેક વખત રજૂઆત કરવા ગયા પરંતુ તેમને અટકાવી દેવાતા હતા. 

Image

હનુમાનજીને પત્ર લખી વ્યક્ત કરી વ્યથા   

અનેક સમય વીતિ ગયો હોવા છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈ ઉમેદવારોમાં રોષ ભરાયો છે. આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હનુમાનજીને પત્ર લખી ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. રામ ધૂન પણ ઉમેદવારોએ બોલાવી હતી. હવે જોવું રહ્યું કે આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.   

Image



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.