TET-TATના ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, હનુમાનજીને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-02 16:43:48

ગુજરાતમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી નહીં પરંતુ કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી વાત ઉમેદવારો કહી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. અલગ અલગ માધ્યમથી ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે પણ અલગ અલગ જગ્યાઓ પર આંદોલન કરવામાં આવ્યા હતા. તાપીમાં શિક્ષકોની કાયમીભરતી કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો ગયા હતા અને જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી હતી.

રજૂઆત કરવા જતા ઉમેદવારોને અટકાવી દેવાતા 

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક જ માગ કરી રહ્યા છે કે કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ ગયા હતા. તેમની વાત સાંભળવામાં આવી નહીં. પીએમ સુધી તેમણે પોતાની વાત રજૂ કરી. પરંતુ તેમની માગ હજી સુધી ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રીને પણ અનેક વખત રજૂઆત કરવા ગયા પરંતુ તેમને અટકાવી દેવાતા હતા. 

Image

હનુમાનજીને પત્ર લખી વ્યક્ત કરી વ્યથા   

અનેક સમય વીતિ ગયો હોવા છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈ ઉમેદવારોમાં રોષ ભરાયો છે. આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હનુમાનજીને પત્ર લખી ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. રામ ધૂન પણ ઉમેદવારોએ બોલાવી હતી. હવે જોવું રહ્યું કે આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.   

Image



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.