શિક્ષણમંત્રીની ટ્વિટ પર ભડકી ઉઠ્યા TET-TATના ઉમેદવારો, ફરી ઉઠ્યો કાયમી ભરતીનો મુદ્દો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-29 18:26:03

છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી તેઓની માગ છે. ઉમેદવારોએ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અનેક રસ્તાઓ અપનાવ્યા. ટ્વિટર પર મુહિમ ચલાવી, સત્યાગ્રહ છાવણી પર સત્યાગ્રહ કરવાના હતા પરંતુ તે પહેલા તેમની અટકાયત થઈ ગઈ હતી. ઉમેદવારોમાં આક્રોશ એ હદે વધી ગયો છે કે શિક્ષણમંત્રી જ્યારે પણ કોઈ ટ્વિટ કરે છે તો તેમાં ઉમેદવારો કાયમી ભરતીની માગ કરતા દેખાય છે.    

ફરી શિક્ષણમંત્રીની ટ્વિટની રિપ્લાયમાં ઉઠ્યો કાયમી ભરતીનો મુદ્દો

થોડા સમય પહેલા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક પોસ્ટ શેર કરી હતી જેમાં સરકારી યોજનાનો લાભ લઈ અંતરિયાળ વિસ્તારમાં રહેતો યુવક વિદેશમાં ભણવા જવાનો હતો. એ પોસ્ટમાં પણ ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કાયમી ભરતી કરવામાં આવે તેવી માગના અનેક રિપ્લાય તેમની પોસ્ટ પર જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યા છે કે કોઈ પણ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષા જરૂરી છે. કારણ કે સારી શિક્ષા આપણી વિચારક્ષેણી, સભ્યતાને પ્રભાવિત કરે છે. 



ટ્વિટ પર  TET-TATના ઉમેદવારોએ ઠાલવ્યો રોષ 

આ વીડિયો પોસ્ટ થતાં જ TET-TATના ઉમેદવારોએ કાયમી ભરતી માટેની માગ કરતી પોસ્ટ કરવાની શરૂ કરી. ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા લોકોએ લખ્યું કે ઓર શિક્ષા કે લીયે સ્થાયી શિક્ષકભી જરૂરી હે.. યે રહ ગયા સાહબજી. તો કોઈએ લખ્યું કે કાયમી શિક્ષકોની ભરતી કરો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બંધ કરો. તો કોઈએ લખ્યું મારીમરજી. તો પ્રતિક્રિયા આપતા કમેન્ટ કરી ગુજરાતનાં શિક્ષકોનું ભવિષ્ય ડૂબતું મૂકીને નવી શિક્ષણ નિતિની ઉજવણી કરી રહ્યા છો? સંવેદનહીન વ્યક્તિત્વ ધરાવો છો આપ....    





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.