કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે TET-TAT ઉમેદવારો ગાંધીનગરના રસ્તા પર! કર્યો વિરોધ અને કર્યા સૂત્રોચ્ચાર


  • Published By :
  • Published Date : 2024-09-05 16:35:08

શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું કહેવાયું છે, લખાયું છે..પરંતુ જ્યારે ભાવિ શિક્ષકોને રસ્તા પર ઉતરવું પડે વિરોધ કરવા માટે તો? ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ.. વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો હતો અને આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

એક વર્ષ પહેલા પણ કર્યું હતું આંદોલન

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે.. અનેક શાળાઓ એવી છે કે જ્યાં ભણવા માટે બાળકો છે પરંતુ શિક્ષકો નથી.. સરકારી શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી તે લોકો પોતાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે.. ગયા વર્ષે શિક્ષક દિવસના દિવસે પણ ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા હતા.. આજે એક વર્ષ પછી પણ તે લોકો પોતાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે.. 



શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારોના પ્રતિનિધી મંડળે કરી મુલાકાત - સૂત્ર

ગુજરાતમાં સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. પોતાની માગને લઈ તે લોકો લડી લેવાના મૂડમાં દેખાયા હતા. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. નોટિફિકેશનની રાહ જોવાઈ રહી હતી.. પરંતુ સરકારે હજી સુધી કોઈ જાહેરાત નથી કરી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તેવી માગ સાથે ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતા અને પોતાની માગ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. એવી માહિતી સામે આવી છે કે શિક્ષકોની ભરતી માટે પ્રતિનિધી મંડળે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરી હતી.. આ મુલાકાત સકારાત્મક છે અને ઉમેદવારો મંત્રીના જવાબથી સંતુષ્ટ છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.