TET-TATના ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા Jamawatની ઓફિસ, ઉમેદવારોએ ઠાલવ્યો પોતાનો આક્રોશ, સાંભળો તેમની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-26 12:18:56

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. યોજના અંતર્ગત 11 મહિના માટે શિક્ષકોને કરાર પર રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત કરવા માટે અનેક વખત મંત્રીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચતો. ત્યારે ટેટ ટાટના ઉમેદવારો પોતાની રજૂઆત લઈ જમાવટની ઓફિસે આવ્યા હતા.

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે 

શિક્ષકોના શીરે દેશના ભાવિને ઘડવાની જવાબદારી રહેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થી દેશનો ભાવિ નાગરિક છે. શાળામાં જે સંસ્કાર મળે તે બાળકના જીવન પર ઘણી અસર કરતા હોય છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કહી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે પોલીસ તેમને રોકી દેતા હતા. 


જમાવટની ઓફિસે આવેલા ઉમેદવારોએ ઠાલવ્યો રોષ 

TET-TATના ઉમેદવારોનો અવાજ સરકારે સાંભળ્યો નહીં ત્યારે તેમણે જમાવટને રજૂઆત કરી. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા જમાવટની ઓફિસે આવ્યા હતા તેમાંથી એક મહિલા ઉમેદવારે પોતાની આપવીતી કહી હતી. પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાયમી ભરતી ન થવાને કારણે તેમને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે તે તેમણે જણાવી હતી. પોતાની વેદના તેમણે ઠાલવી હતી. જ્યારે રજૂઆત કરવા અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન થાય છે તે તેમણે જણાવ્યું હતું. ઉમેદવારે જણાવ્યું કે જો એક દિવસ માટે પણ શિક્ષક ચોક ડસ્ટર ઉઠાવવાનું બંધ કરી દે તો આખી શિક્ષણ વ્યવસ્થા પર શું અસર થાય છે તે ખબર પડે. શિક્ષકોનું શું મહત્વનું છે તે તેમણે જણાવ્યું હતું.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી