TET-TATના ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા Jamawatની ઓફિસ, ઉમેદવારોએ ઠાલવ્યો પોતાનો આક્રોશ, સાંભળો તેમની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-26 12:18:56

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. યોજના અંતર્ગત 11 મહિના માટે શિક્ષકોને કરાર પર રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત કરવા માટે અનેક વખત મંત્રીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચતો. ત્યારે ટેટ ટાટના ઉમેદવારો પોતાની રજૂઆત લઈ જમાવટની ઓફિસે આવ્યા હતા.

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે 

શિક્ષકોના શીરે દેશના ભાવિને ઘડવાની જવાબદારી રહેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થી દેશનો ભાવિ નાગરિક છે. શાળામાં જે સંસ્કાર મળે તે બાળકના જીવન પર ઘણી અસર કરતા હોય છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કહી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે પોલીસ તેમને રોકી દેતા હતા. 


જમાવટની ઓફિસે આવેલા ઉમેદવારોએ ઠાલવ્યો રોષ 

TET-TATના ઉમેદવારોનો અવાજ સરકારે સાંભળ્યો નહીં ત્યારે તેમણે જમાવટને રજૂઆત કરી. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા જમાવટની ઓફિસે આવ્યા હતા તેમાંથી એક મહિલા ઉમેદવારે પોતાની આપવીતી કહી હતી. પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાયમી ભરતી ન થવાને કારણે તેમને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે તે તેમણે જણાવી હતી. પોતાની વેદના તેમણે ઠાલવી હતી. જ્યારે રજૂઆત કરવા અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન થાય છે તે તેમણે જણાવ્યું હતું. ઉમેદવારે જણાવ્યું કે જો એક દિવસ માટે પણ શિક્ષક ચોક ડસ્ટર ઉઠાવવાનું બંધ કરી દે તો આખી શિક્ષણ વ્યવસ્થા પર શું અસર થાય છે તે ખબર પડે. શિક્ષકોનું શું મહત્વનું છે તે તેમણે જણાવ્યું હતું.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.