TET-TATના ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા Jamawatની ઓફિસ, ઉમેદવારોએ ઠાલવ્યો પોતાનો આક્રોશ, સાંભળો તેમની વેદના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-26 12:18:56

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. યોજના અંતર્ગત 11 મહિના માટે શિક્ષકોને કરાર પર રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત કરવા માટે અનેક વખત મંત્રીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચતો. ત્યારે ટેટ ટાટના ઉમેદવારો પોતાની રજૂઆત લઈ જમાવટની ઓફિસે આવ્યા હતા.

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે 

શિક્ષકોના શીરે દેશના ભાવિને ઘડવાની જવાબદારી રહેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થી દેશનો ભાવિ નાગરિક છે. શાળામાં જે સંસ્કાર મળે તે બાળકના જીવન પર ઘણી અસર કરતા હોય છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કહી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે પોલીસ તેમને રોકી દેતા હતા. 


જમાવટની ઓફિસે આવેલા ઉમેદવારોએ ઠાલવ્યો રોષ 

TET-TATના ઉમેદવારોનો અવાજ સરકારે સાંભળ્યો નહીં ત્યારે તેમણે જમાવટને રજૂઆત કરી. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા જમાવટની ઓફિસે આવ્યા હતા તેમાંથી એક મહિલા ઉમેદવારે પોતાની આપવીતી કહી હતી. પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાયમી ભરતી ન થવાને કારણે તેમને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે તે તેમણે જણાવી હતી. પોતાની વેદના તેમણે ઠાલવી હતી. જ્યારે રજૂઆત કરવા અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન થાય છે તે તેમણે જણાવ્યું હતું. ઉમેદવારે જણાવ્યું કે જો એક દિવસ માટે પણ શિક્ષક ચોક ડસ્ટર ઉઠાવવાનું બંધ કરી દે તો આખી શિક્ષણ વ્યવસ્થા પર શું અસર થાય છે તે ખબર પડે. શિક્ષકોનું શું મહત્વનું છે તે તેમણે જણાવ્યું હતું.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે