TET-TATના ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા Jamawatની ઓફિસ, ઉમેદવારોએ ઠાલવ્યો પોતાનો આક્રોશ, સાંભળો તેમની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-26 12:18:56

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. યોજના અંતર્ગત 11 મહિના માટે શિક્ષકોને કરાર પર રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત કરવા માટે અનેક વખત મંત્રીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચતો. ત્યારે ટેટ ટાટના ઉમેદવારો પોતાની રજૂઆત લઈ જમાવટની ઓફિસે આવ્યા હતા.

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે 

શિક્ષકોના શીરે દેશના ભાવિને ઘડવાની જવાબદારી રહેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થી દેશનો ભાવિ નાગરિક છે. શાળામાં જે સંસ્કાર મળે તે બાળકના જીવન પર ઘણી અસર કરતા હોય છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કહી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે પોલીસ તેમને રોકી દેતા હતા. 


જમાવટની ઓફિસે આવેલા ઉમેદવારોએ ઠાલવ્યો રોષ 

TET-TATના ઉમેદવારોનો અવાજ સરકારે સાંભળ્યો નહીં ત્યારે તેમણે જમાવટને રજૂઆત કરી. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા જમાવટની ઓફિસે આવ્યા હતા તેમાંથી એક મહિલા ઉમેદવારે પોતાની આપવીતી કહી હતી. પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાયમી ભરતી ન થવાને કારણે તેમને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે તે તેમણે જણાવી હતી. પોતાની વેદના તેમણે ઠાલવી હતી. જ્યારે રજૂઆત કરવા અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન થાય છે તે તેમણે જણાવ્યું હતું. ઉમેદવારે જણાવ્યું કે જો એક દિવસ માટે પણ શિક્ષક ચોક ડસ્ટર ઉઠાવવાનું બંધ કરી દે તો આખી શિક્ષણ વ્યવસ્થા પર શું અસર થાય છે તે ખબર પડે. શિક્ષકોનું શું મહત્વનું છે તે તેમણે જણાવ્યું હતું.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.