TET-TATના ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે, Gujarat સરકારની બાપ્પાને કરી ફરિયાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:06:56

દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ઠેર-ઠેર ગણપતિ પંડાલનું નિર્માણ થયું છે. ગણપતિ પંડાલમાં ન્યાયની માગ સાથે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચી રહ્યા છે. વિવિધ રીતે અને અનોખી રીતે ભાવિ શિક્ષકો પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.  ભક્તોની સાથે દ્વારે દ્વારે ન્યાયની માંગણી લઇ પહોંચતા રાજ્યના ભાવિ શિક્ષક ઉમેદવારો પોતાની વાત ગણેશજી અને સાથે નેતાજીઓને પણ પહોંચાડવા ગણેશ મંડપમાં પહોંચ્યા હતા, તેમની માંગ શું છે તે આપણી સાથે નેતાજી અને અધિકારીઓ જાણે જ છે, પણ એક આશામાં નીકળ્યા છે, દરેક શક્ય ઉપાયો કરી લેવા છે, ત્યારે પૂરતી સંખ્યામાં ફોર્મ ભરાયાના જવાબ સામે વિવિધ જિલ્લાઓમાં અવનવી રીતે સતત વિરોધ કરતા જ્ઞાનસહાયકો પણ જોવા મળી રહ્યા છે.

સાધુ સંતોને, સરકારી અધિકારીઓને ઉમેદવારોએ કરી છે રજૂઆત 

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાતને, તેમની માગને પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. સાધુ,સંત અને શંકર બાદ જ્ઞાનસહાયકો પોતાની સહાય માટે શ્રી ગણેશના મંડપે પહોંચ્યા હતા, જ્યાં પોતાની માંગ મૂકી હતી, પ્રસાદ લઈને જતા ભક્તોની સામે આ જ્ઞાનસહાયકો પોસ્ટર લઈને આવ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાના વાતની રજૂઆત કરી હતી. 

 

શું ભગવાન ઉમેદવારોની કાયમી ભરતી કરાવે છે તે જોવું રહ્યું...

જ્ઞાનસહાયકો અમદાવાદ, રાજકોટ પાલનપુર જેવા મોટાભાગના શહેરોમાં આ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, આમાં રાજકોટમાં જ્ઞાનસહાયકો શ્રીજીની સાથે નેતાજીને પણ એક જ માંડવે મળી લીધું હતું, રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને રમેશ ટિલાળાને પણ મળ્યા હતા, હવે આ ધારાસભ્યો પર તેમની રજૂઆતની કોઈ અસર થાય છે કે નહિ તે જોવાનું રહ્યું, બાકી વિપક્ષના નેતાઓ અત્યરે તો જ્ઞાનસહાયકનો સાથ આપી રહ્યા છે, સચિવાલયમાં પણ પત્રો લખી રહ્યા છે, ભાજપના પણ 1-2 નેતાઓએ જ્ઞાનસહાયક મુદ્દે વિચાર કરવા જણાવ્યું હતું, પણ અત્યારે તો વિરોધ જ વધી રહ્યો છે, ઉપાય નથી મળી રહ્યા. હવે દસ દિવસ માટે પધારેલા ગણેશજી કાયમીભરતી કરાવે છે કે નહિ તે જોવું રહ્યું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.