TET-TATના ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે, Gujarat સરકારની બાપ્પાને કરી ફરિયાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:06:56

દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ઠેર-ઠેર ગણપતિ પંડાલનું નિર્માણ થયું છે. ગણપતિ પંડાલમાં ન્યાયની માગ સાથે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચી રહ્યા છે. વિવિધ રીતે અને અનોખી રીતે ભાવિ શિક્ષકો પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.  ભક્તોની સાથે દ્વારે દ્વારે ન્યાયની માંગણી લઇ પહોંચતા રાજ્યના ભાવિ શિક્ષક ઉમેદવારો પોતાની વાત ગણેશજી અને સાથે નેતાજીઓને પણ પહોંચાડવા ગણેશ મંડપમાં પહોંચ્યા હતા, તેમની માંગ શું છે તે આપણી સાથે નેતાજી અને અધિકારીઓ જાણે જ છે, પણ એક આશામાં નીકળ્યા છે, દરેક શક્ય ઉપાયો કરી લેવા છે, ત્યારે પૂરતી સંખ્યામાં ફોર્મ ભરાયાના જવાબ સામે વિવિધ જિલ્લાઓમાં અવનવી રીતે સતત વિરોધ કરતા જ્ઞાનસહાયકો પણ જોવા મળી રહ્યા છે.

સાધુ સંતોને, સરકારી અધિકારીઓને ઉમેદવારોએ કરી છે રજૂઆત 

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાતને, તેમની માગને પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. સાધુ,સંત અને શંકર બાદ જ્ઞાનસહાયકો પોતાની સહાય માટે શ્રી ગણેશના મંડપે પહોંચ્યા હતા, જ્યાં પોતાની માંગ મૂકી હતી, પ્રસાદ લઈને જતા ભક્તોની સામે આ જ્ઞાનસહાયકો પોસ્ટર લઈને આવ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાના વાતની રજૂઆત કરી હતી. 

 

શું ભગવાન ઉમેદવારોની કાયમી ભરતી કરાવે છે તે જોવું રહ્યું...

જ્ઞાનસહાયકો અમદાવાદ, રાજકોટ પાલનપુર જેવા મોટાભાગના શહેરોમાં આ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, આમાં રાજકોટમાં જ્ઞાનસહાયકો શ્રીજીની સાથે નેતાજીને પણ એક જ માંડવે મળી લીધું હતું, રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને રમેશ ટિલાળાને પણ મળ્યા હતા, હવે આ ધારાસભ્યો પર તેમની રજૂઆતની કોઈ અસર થાય છે કે નહિ તે જોવાનું રહ્યું, બાકી વિપક્ષના નેતાઓ અત્યરે તો જ્ઞાનસહાયકનો સાથ આપી રહ્યા છે, સચિવાલયમાં પણ પત્રો લખી રહ્યા છે, ભાજપના પણ 1-2 નેતાઓએ જ્ઞાનસહાયક મુદ્દે વિચાર કરવા જણાવ્યું હતું, પણ અત્યારે તો વિરોધ જ વધી રહ્યો છે, ઉપાય નથી મળી રહ્યા. હવે દસ દિવસ માટે પધારેલા ગણેશજી કાયમીભરતી કરાવે છે કે નહિ તે જોવું રહ્યું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી