Gandhinagar ખાતે રજૂઆત કરવા પહોંચેલા TET-TATના ઉમેદવારોને પોલીસે કર્યા ડિટેઈન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 13:27:37

જ્ઞાનસહાયકનો વિરોધ છેલ્લા ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. ત્યારે શિક્ષક દિવસ પર ગુજરાતના ભાવિ શિક્ષકો આ અંગે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારોને દર વખતની જેમ તેમને ડિટેઈન કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે તેઓ મુખ્યમંત્રી, અધિકારીઓને પત્ર આપી રજૂઆત કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી દીધી છે.  

ઉમેદવારો સાથે આવું વર્તન કેટલું યોગ્ય?

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવમાં આવે તેવી માગ ઉમેદવારોની છે. સરકારને રજૂઆત કરવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સરકાર સુધી તે પહોંચે તે પહેલા જ તે લોકોને અટકાવાઈ દેવાતા હતા. અલગ અલગ પ્રકારે તેઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી સહિતના અનેક પદાધિકારીઓને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચવાના હતા. પરંતુ પોલીસે દર વખતની જેમ રસ્તા પર તેમને રોકી દીધા છે. અને જે પ્રમાણે ઉમેદવારો સાથે પોલીસ વર્તન કરી રહી છે કે જોઈને એક પ્રશ્ન થાય કે શું આ લોકો કોઈ આતંકવાદી છે? શું એ કોઈને નુકસાન પહોંચાડવા આવ્યા છે? વિરોધ કરવા આવેલા ઉમેદવારોએ હાય હાયના નારા લગાવ્યા હતા. સરકાર હાય હાય, શિક્ષણ મંત્રી હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. 


જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે...!

એક તરફ ઠેર-ઠેર શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. શિક્ષકોનું સન્માન થઈ રહ્યું છે તો બીજી તરફ શિક્ષક દિવસે જ ગુજરાતના ભાવિ શિક્ષકોની આવી હાલત છે. ભાવિ શિક્ષકો સાથે પોલીસકર્મીઓએ જે વર્તન કર્યું તે જોઈને દિલ ધ્રુજી ઉઠે છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી