Gandhinagar ખાતે રજૂઆત કરવા પહોંચેલા TET-TATના ઉમેદવારોને પોલીસે કર્યા ડિટેઈન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 13:27:37

જ્ઞાનસહાયકનો વિરોધ છેલ્લા ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. ત્યારે શિક્ષક દિવસ પર ગુજરાતના ભાવિ શિક્ષકો આ અંગે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારોને દર વખતની જેમ તેમને ડિટેઈન કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે તેઓ મુખ્યમંત્રી, અધિકારીઓને પત્ર આપી રજૂઆત કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી દીધી છે.  

ઉમેદવારો સાથે આવું વર્તન કેટલું યોગ્ય?

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવમાં આવે તેવી માગ ઉમેદવારોની છે. સરકારને રજૂઆત કરવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સરકાર સુધી તે પહોંચે તે પહેલા જ તે લોકોને અટકાવાઈ દેવાતા હતા. અલગ અલગ પ્રકારે તેઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી સહિતના અનેક પદાધિકારીઓને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચવાના હતા. પરંતુ પોલીસે દર વખતની જેમ રસ્તા પર તેમને રોકી દીધા છે. અને જે પ્રમાણે ઉમેદવારો સાથે પોલીસ વર્તન કરી રહી છે કે જોઈને એક પ્રશ્ન થાય કે શું આ લોકો કોઈ આતંકવાદી છે? શું એ કોઈને નુકસાન પહોંચાડવા આવ્યા છે? વિરોધ કરવા આવેલા ઉમેદવારોએ હાય હાયના નારા લગાવ્યા હતા. સરકાર હાય હાય, શિક્ષણ મંત્રી હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. 


જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે...!

એક તરફ ઠેર-ઠેર શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. શિક્ષકોનું સન્માન થઈ રહ્યું છે તો બીજી તરફ શિક્ષક દિવસે જ ગુજરાતના ભાવિ શિક્ષકોની આવી હાલત છે. ભાવિ શિક્ષકો સાથે પોલીસકર્મીઓએ જે વર્તન કર્યું તે જોઈને દિલ ધ્રુજી ઉઠે છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.