Gandhinagar ખાતે રજૂઆત કરવા પહોંચેલા TET-TATના ઉમેદવારોને પોલીસે કર્યા ડિટેઈન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 13:27:37

જ્ઞાનસહાયકનો વિરોધ છેલ્લા ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. ત્યારે શિક્ષક દિવસ પર ગુજરાતના ભાવિ શિક્ષકો આ અંગે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારોને દર વખતની જેમ તેમને ડિટેઈન કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે તેઓ મુખ્યમંત્રી, અધિકારીઓને પત્ર આપી રજૂઆત કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી દીધી છે.  

ઉમેદવારો સાથે આવું વર્તન કેટલું યોગ્ય?

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવમાં આવે તેવી માગ ઉમેદવારોની છે. સરકારને રજૂઆત કરવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સરકાર સુધી તે પહોંચે તે પહેલા જ તે લોકોને અટકાવાઈ દેવાતા હતા. અલગ અલગ પ્રકારે તેઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી સહિતના અનેક પદાધિકારીઓને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચવાના હતા. પરંતુ પોલીસે દર વખતની જેમ રસ્તા પર તેમને રોકી દીધા છે. અને જે પ્રમાણે ઉમેદવારો સાથે પોલીસ વર્તન કરી રહી છે કે જોઈને એક પ્રશ્ન થાય કે શું આ લોકો કોઈ આતંકવાદી છે? શું એ કોઈને નુકસાન પહોંચાડવા આવ્યા છે? વિરોધ કરવા આવેલા ઉમેદવારોએ હાય હાયના નારા લગાવ્યા હતા. સરકાર હાય હાય, શિક્ષણ મંત્રી હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. 


જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે...!

એક તરફ ઠેર-ઠેર શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. શિક્ષકોનું સન્માન થઈ રહ્યું છે તો બીજી તરફ શિક્ષક દિવસે જ ગુજરાતના ભાવિ શિક્ષકોની આવી હાલત છે. ભાવિ શિક્ષકો સાથે પોલીસકર્મીઓએ જે વર્તન કર્યું તે જોઈને દિલ ધ્રુજી ઉઠે છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.