આવતી કાલે Gandhinagarમાં TET-TAT ઉમેદવારો કરશે હલ્લાબોલ, Yuvrajsinhએ યુવાનોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-10-19 12:34:00

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચઢ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આવતી કાલે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદમાં રેલી પહોંચે તે પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં યુવા અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ યાત્રાનો સાતમો દિવસ છે. આ યાત્રા આજે હિંમતનગર પહોંચવાની છે. 



પોતાના હક માટે યુવાનો લડત આપે તે માટે યુવરાજસિંહે કર્યું આહ્વાહન  

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવા માટે ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો ઉમેદવારોએ આંદોલન ચલાવ્યું હતું પરંતુ મેદાનમાં આવી ઉમેદવારો લડત આપી રહ્યા છે. અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો આપની યુવા અધિકાર યાત્રામાં જોડાયા છે પરંતુ અનેક એવા ઉમેદવારો પણ છે જે માત્ર સોશિયલ મીડિયા પર આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે. પોતાના હક માટે ઉમેદવારો લડે તેવું આહ્વાહન યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી તો આંદોલન કરી જ રહી છે પરંતુ પોતાના હકની લડાઈ લડવા માટે ઉમેદવારોએ આગળ આવું પડશે તેવી વાત યુવરાજસિંહે કરી હતી.



ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં એકત્ર થશે ઉમેદવારો 

ગઈકાલે ઉમેદવારોની દાંડી યાત્રા 2.0 શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના વિસ્તારમાં પહોંચી હતી. મહીસાગર આવતા જ ઉમેદવારોનો જુસ્સો વધી ગયો હતો. જ્ઞાન સહાયક વિરૂદ્ધ નારા તો લગાવ્યા હતા પરંતુ શિક્ષણ મંત્રી હાય હાયના નારા પણ ઉમેદવારોએ લગાવ્યા હતા. જ્ઞાનસહાયકનો વિરોધ જોર-શોરથી ઉમેદવારો કરી રહ્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન રંગ લાવે છે કે કેમ તે તો સમય જ બતાવશે કારણ કે સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે.    




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.