આવતી કાલે Gandhinagarમાં TET-TAT ઉમેદવારો કરશે હલ્લાબોલ, Yuvrajsinhએ યુવાનોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-10-19 12:34:00

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચઢ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આવતી કાલે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદમાં રેલી પહોંચે તે પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં યુવા અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ યાત્રાનો સાતમો દિવસ છે. આ યાત્રા આજે હિંમતનગર પહોંચવાની છે. 



પોતાના હક માટે યુવાનો લડત આપે તે માટે યુવરાજસિંહે કર્યું આહ્વાહન  

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવા માટે ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો ઉમેદવારોએ આંદોલન ચલાવ્યું હતું પરંતુ મેદાનમાં આવી ઉમેદવારો લડત આપી રહ્યા છે. અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો આપની યુવા અધિકાર યાત્રામાં જોડાયા છે પરંતુ અનેક એવા ઉમેદવારો પણ છે જે માત્ર સોશિયલ મીડિયા પર આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે. પોતાના હક માટે ઉમેદવારો લડે તેવું આહ્વાહન યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી તો આંદોલન કરી જ રહી છે પરંતુ પોતાના હકની લડાઈ લડવા માટે ઉમેદવારોએ આગળ આવું પડશે તેવી વાત યુવરાજસિંહે કરી હતી.



ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં એકત્ર થશે ઉમેદવારો 

ગઈકાલે ઉમેદવારોની દાંડી યાત્રા 2.0 શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના વિસ્તારમાં પહોંચી હતી. મહીસાગર આવતા જ ઉમેદવારોનો જુસ્સો વધી ગયો હતો. જ્ઞાન સહાયક વિરૂદ્ધ નારા તો લગાવ્યા હતા પરંતુ શિક્ષણ મંત્રી હાય હાયના નારા પણ ઉમેદવારોએ લગાવ્યા હતા. જ્ઞાનસહાયકનો વિરોધ જોર-શોરથી ઉમેદવારો કરી રહ્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન રંગ લાવે છે કે કેમ તે તો સમય જ બતાવશે કારણ કે સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.