TET-TAT પાસ ઉમેદવારોના ફરી Gandhinagarમાં ધામા, કાયમી શિક્ષકની ભરતી માટેની માંગ સાથે આંદોલન! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 08:49:49

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોના ધામા જોવા મળી રહ્યા છે. ઉમેદવારોની એક જ માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. 

કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન! 

આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ કોટિનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજરાતમાં શિક્ષકોની કમી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરી છે.  યુવરાજસિંહની આગેવાની હેઠળ દાંડી કૂચ પણ કાઢી હતી. તે ઉપરાંત વિવિધ તહેવારો પર વિરોધ પણ ઉમેદવારોએ દર્શાવ્યો છે. 


ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોના ધામા!

થોડા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા. કોઈ વખત પતંગ પર કાયમી શિક્ષકોની ભરતીની માગ લખી હતી તો કોઈ વખત ભગવાનને રજૂઆત કરી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."