TET-TAT પાસ ઉમેદવારોના ફરી Gandhinagarમાં ધામા, કાયમી શિક્ષકની ભરતી માટેની માંગ સાથે આંદોલન! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 08:49:49

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોના ધામા જોવા મળી રહ્યા છે. ઉમેદવારોની એક જ માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. 

કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન! 

આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ કોટિનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજરાતમાં શિક્ષકોની કમી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરી છે.  યુવરાજસિંહની આગેવાની હેઠળ દાંડી કૂચ પણ કાઢી હતી. તે ઉપરાંત વિવિધ તહેવારો પર વિરોધ પણ ઉમેદવારોએ દર્શાવ્યો છે. 


ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોના ધામા!

થોડા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા. કોઈ વખત પતંગ પર કાયમી શિક્ષકોની ભરતીની માગ લખી હતી તો કોઈ વખત ભગવાનને રજૂઆત કરી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.