TET- TAT પાસ ઉમેદવારો કાયમી નોકરી માટે આંદોલન કરે છે તો બાળકો શિક્ષકની માંગ કરે છે! બાળકે કરી ભુપેન્દ્ર દાદાને અપીલ કે... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:34:20

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. શાળામાં શિક્ષકો જ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે તેવા સવાલો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા. ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન બાદ સરકાર જાગી અને શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી.

ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા રજૂઆત કરવા 

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરમાં થોડા દિવસો પહેલા આંદોલન પણ કરવામાં આવ્યું. સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો, મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે બાળક ભૂપેન્દ્ર દાદાને અપીલ કરી રહ્યો છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે..   

દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં 

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આંદોલન વખતે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે અત્યંત ચોંકાવનારા હતા. જે રીતે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હતું તે ચોંકાવનારૂં હતું.. ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરવામાં આવી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.  




ભૂપેન્દ્ર દાદાને નાના બાળકે કરી આ અપીલ 

 પરંતુ આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યો છે. મહત્વનું છે કે આંદોલન થયા બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.. આ જાહેરાતને અનેક ઉમેદવારો લોલીપોપ જણાવી રહ્યા છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.