TET- TAT પાસ ઉમેદવારો કાયમી નોકરી માટે આંદોલન કરે છે તો બાળકો શિક્ષકની માંગ કરે છે! બાળકે કરી ભુપેન્દ્ર દાદાને અપીલ કે... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:34:20

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. શાળામાં શિક્ષકો જ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે તેવા સવાલો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા. ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન બાદ સરકાર જાગી અને શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી.

ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા રજૂઆત કરવા 

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરમાં થોડા દિવસો પહેલા આંદોલન પણ કરવામાં આવ્યું. સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો, મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે બાળક ભૂપેન્દ્ર દાદાને અપીલ કરી રહ્યો છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે..   

દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં 

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આંદોલન વખતે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે અત્યંત ચોંકાવનારા હતા. જે રીતે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હતું તે ચોંકાવનારૂં હતું.. ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરવામાં આવી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.  




ભૂપેન્દ્ર દાદાને નાના બાળકે કરી આ અપીલ 

 પરંતુ આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યો છે. મહત્વનું છે કે આંદોલન થયા બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.. આ જાહેરાતને અનેક ઉમેદવારો લોલીપોપ જણાવી રહ્યા છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.