TET- TAT પાસ ઉમેદવારો કાયમી નોકરી માટે આંદોલન કરે છે તો બાળકો શિક્ષકની માંગ કરે છે! બાળકે કરી ભુપેન્દ્ર દાદાને અપીલ કે... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:34:20

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. શાળામાં શિક્ષકો જ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે તેવા સવાલો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા. ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન બાદ સરકાર જાગી અને શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી.

ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા રજૂઆત કરવા 

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરમાં થોડા દિવસો પહેલા આંદોલન પણ કરવામાં આવ્યું. સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો, મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે બાળક ભૂપેન્દ્ર દાદાને અપીલ કરી રહ્યો છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે..   

દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં 

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આંદોલન વખતે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે અત્યંત ચોંકાવનારા હતા. જે રીતે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હતું તે ચોંકાવનારૂં હતું.. ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરવામાં આવી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.  




ભૂપેન્દ્ર દાદાને નાના બાળકે કરી આ અપીલ 

 પરંતુ આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યો છે. મહત્વનું છે કે આંદોલન થયા બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.. આ જાહેરાતને અનેક ઉમેદવારો લોલીપોપ જણાવી રહ્યા છે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .